Thursday, June 13, 2013

સારા માણસ બનવું એ સૌથી કઠિન કાર્ય છે

સારા માણસ બનવું  સૌથી કઠિન કાર્ય છે

-ભુપતભાઇ વડોદરિયા

જો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારા હોય તો તેની આસપાસ સારોમાહોલ રહેવાનો  છેજો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોયવ્યસની હોય તો તેનો માહોલક્યારેય સારો રહેવાનો  નથીએક સારા પરિવારનું નિર્માણ કરવામાં કેટલીય પેઢીઓ વીતી જતીહોય છેપણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તો તે સમગ્ર કુળની કીર્તિ એકક્ષણમાં  ધૂળમાં મેળવી દે છે

આજના જમાનામાં લોકો સાતમા આસમાને વિહરતા જોવા મળે છેકોઈ સાદગીથી જીવવામાંમાનતું  નથીપરંતુ જેમના સંસ્કાર સાતમા આસમાન જેટલી ઊંચાઈવાળા છે તેવા લોકોગણ્યાગાંઠ્યા  છેસાતમા આસમાને દિમાગનો પારો  ધરાવતા અસંસ્કારી લોકોની સંખ્યા વધતીજાય છેઅત્યારે સમાજમાં સૌના દિલમાં જાગૃતિનો પ્રકાશ પ્રસરવો જરૃરી છે.
મનુષ્યનો જન્મ પામીને સારા માણસ બનવું  સંસારનું સૌથી કઠિન કાર્ય છેમનુષ્ય જો સારોમાણસ બને તો તેની આસપાસ સારો માહોલ આપોઆપ  નિર્માણ પામે છેસારો માહોલ ઊંચામહેલમાં  બને છે એવું નથીજો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારાહોય તો તેની આસપાસ સારો માહોલ રહેવાનો  છેજો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોય,વ્યસની હોય તો તેનો માહોલ ક્યારેય સારો રહેવાનો  નથીએક સારા પરિવારનું નિર્માણ કરવામાંકેટલીય પેઢીઓ વીતી જતી હોય છેપણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તોતે સમગ્ર કુળની કીર્તિ એક ક્ષણમાં  ધૂળમાં મેળવી દે છેબાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી તે માતાના વિચારો વડે સંસ્કાર પામવાનું શરૃ કરી દે છેજીવનું ચરિત્ર  સંસારનો ધર્મ છે.

માનવની પ્રકૃતિ  એવી છે કે  ઉપકાર અને સહઅસ્તિત્વની ભાવના વિના એક પળ પણસુખેથી જીવી શકતો નથીસુખનો ભલે આભાસ થતો હોયપણ વાસ્તવિક સુખ બહુ ઓછાનાનસીબમાં હોય છેધર્મનો પ્રાણ છે વિવેકજે પ્રકારે આત્માવિહીન શરીરનું કોઈ મૂલ્ય અને ઉપયોગહોતો નથી એવી  રીતે સંસ્કારરહિત વિવેકહીન ધર્મનો પણ કોઈ ઉપયોગ હોતો નથીઆવા ધર્મનુંકોઈ મૂલ્ય હોતું નથીઆત્માવિહીન શરીરની જેમ આવો ધર્મ પણ સડો ધરાવે છે અને દુર્ગંધપ્રસરાવે છેધર્માંધતાથી અનેક વિકૃતિઓ જન્મે છેઅહિંસા અને પરોપકારને બદલે સ્થાપિત હિત,સ્વાર્થની ચડસાચડસીપરસ્પર ઈર્ષ્યા અને આતંકવાદ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે છેજો તમેધર્મની સુરક્ષા ઈચ્છતા હો તો ધર્માત્મા બનોધર્મ જડ નથીતેની સુરક્ષા કરવી જોઈએધર્મ કોઈજાતિ કે સંપ્રદાય પણ નથીધર્મને ખરીદી શકાતો નથીધર્મ એક ચૈતન્યની અનુભૂતિ છેતેની સુરક્ષાઆપણે ચૈતન્યની અનુભૂતિ દ્વારા  કરી શકીશું સિવાય ધર્મની સુરક્ષાનો કોઈ રસ્તો નથી.તમામ સંપ્રદાયવર્ગઉપવર્ગ નાશવંત છેમાત્ર ધર્મ  શાશ્વત છેથોડા પરિશ્રમ દ્વારા આપણેસારાં પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએઆજે આપણી શક્તિનો એક મહત્ત્વનો હિસ્સો સામાજિકઝઘડાઓનો ઉકેલ લાવવામાં  વપરાઈ જાય છેજો  શક્તિને આપણે આંતરિક વિકાસનાકામમાં જોતરીએ તો ઈતિહાસમાં સ્થાન પ્રાપ્ત કરી શકીશુંઆજે દરેક માણસ સ્વાર્થમાં આંધળો છે,નાહકની ચડસાચડસીમાં વ્યસ્ત છેતેને બધંુ  પોતાના માટે જોઈએ છે અને બીજાના ભોગેજોઈએ છેઆવું વિચારવું યોગ્ય નથીવિજ્ઞાન અને સુવિધા  જીવનને સરળ બનાવવા માટે છે,તે પોતે  જીવન નથી.

No comments: