Friday, February 17, 2017

ચાલો સાથે મળી ને સ્વ.શ્રી ભૂપત વડોદરિયાને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના લિખિત પુસ્તકો ને માણીએ

ચાલો સાથે મળી ને 89 મી જન્મ જયંતિ નિમિતે સ્વ.શ્રી ભૂપત વડોદરિયા લિખિત પુસ્તકો ને માણીએ

19 મી તારીખે રવિવારે મુકામ કર્માં કેફે સાંજે 5 વાગે..
નવજીવન પ્રેસ, ઈનકમ ટેક્સ 

"લેખક થયો ન હોત તો કદાચ હું જીવી જ શક્યો ના હોત, કેમ કે લેખકને એક સૌથી મોટો ફાયદો એ છે કે જીવનમાં કપરામાં કપરા અનુભવોને કશુંક કલાત્મક રૂપ તે આપી શકે છે." આ ભૂપત વડોદરિયા ના શબદ હતા. 

મહેનતકશ પત્રકારની પરમ સંતુષ્ટી અેટલે સમભાવ ગ્રુપ. 

તેમની માતાના શબ્દો... 'હાથ પર લીધેલા કામને કોઈકની ખોટ કે તેના શોકનું કારણ આગળ ધરીને છોડવું ન જોઈએ. એ રીતે વિચારવું એ પણ આત્મહત્યા છે.' અને ભાઈ માટે સમભાવ ગ્રુપ એક મહેનતકશ પત્રકાર તરીકે એ તેમના જીવનની પરમ આનંદ અને સંતુષ્ટીની ક્ષણો હતી એ તેમની સાથેના આખરી દિવસોના સંવાદોમાં નિહાળી છે.




Follow Facebook Page : Bhupat Vadodaria 
Sambhaav Website : www.sambhaavnews.com