Saturday, October 04, 2008

જે વધુ નાણાઁ ભેગાઁ કરે છે તે પોતાની જિઁદગીમાઁ માત્ર આળસનુઁ વાવેતર કરે છે

જે વધુ નાણાઁ ભેગાઁ કરે છે તે પોતાની જિઁદગીમાઁ માત્ર આળસનુઁ વાવેતર કરે છે
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકામાઁ આજે ફરી મહાત્મા થોરોના જીવનમાઁ અને લાખાણોમાઁ નવી પેઢીને રસ જાગ્યો છે. ‘નવી દુનિયા’નો એ અનોખો ફિરસ્તો હતો. વધુ પૈસા, વધુ વૈભવ અને વધુ સગવડ માટે દોડી દોડીને થાકેલા માણસો થોરોની જિઁદગી તરફ પાછા વળે છે. થોરો ધૂની માણસ હતો. કેટલાકને ચક્રમ પણ લાગેલો પણ બહુ નક્કર માણસ હતો. એ પોતાની જિઁદગીનો સાચો માલિક હતો.

એક મિત્રે આમઁત્રણ મોક્લ્યુઁ. તેના જવાબમાઁ થોરોએ લખ્યુઁ : દોસ્ત, મારી જાત સાથેના મારા રોકાણો એટલા બાધા છે કે મારાથી નહિ અવાય. પોતાની જાત સાથેનાઁ રોકાણો! આજે માણસને એકલા પડતાઁ બીક લાગે છે. કઁટાળો આવે છે અને થોડીક વધુવાર માણસ એકલો પડી જાય તો તરત શેરીમાઁ કે વધુ આગળ જઇને વધુ મોટી ભીડમાઁ સોબતનુઁ સ્નાન કરવા માઁડે છે. પણ થોરોને પોતાની જાત સાથેનાઁ ખુબ રોકાણો છે, કેમકે તે સતત પોતાની જાતની સુધારણામાઁ રોકાયેલો છે. તેને કોઇ પણ કામ કુશળતાથી કરવુઁ ગમે છે. એને આવી કુશળતા પ્રાપ્ત કરવી છે પણ તે કારીગર તરીકેની પોતાની કામાણી વધારવા માટે નહીઁ. એને વધુ પૈસા કમાઇ લેવામા રસ નથી. ઇ.સ. 1845 માઁ થોરોની ઉઁમર 28 વર્ષની હશે. આ ઉઁમરે માણસ ઠરીઠામ થવાનુઁ વિચારે. કાઁઇક વાઁધો જમાવવામાઁ તલપાપડ થાય. પણ 28 વર્ષનો થોરો પાઁચ પાઉંન્ડની મૂડી સાથે, કોઇ સઁબઁધીની કુહાડી ઉછીની લઇને પોતાની જિઁદગીને એક નવા સાહસિક પ્રયોગ તરિકે અજમાવવા આગળ વધે છે. વોલ્ડન પોન્ડ પાસેના જઁગલમાઁ જાય છે. પોતાની ઝૂઁપડી બાઁધે છે અને મકાઇ બટેટાની ખેતીમાઁ લાગી જાય છે. થોરો ખેડૂત છે પણ શોખથી ખેડૂત બન્યો છે. એમ તો શોખથી એ ઘણુઁ બધુ બન્યો છે. તે પેન્સિલો બનાવે છે, તે લાકડા પણ ફાડે, લેખો પણ લખી નાઁખે. એને જાતજાતના કસબ શીખવાનો ઉમઁગ છે અને દરેક કામમાઁ તે પ્રવીણ બન્યો છે. પણ આવી કુશળતા તેને વધુને વધુ કમાણીના ભાગરૂપે જોઇતી નથી.

થોરોને કોઇ શિખામણ આપી બેસે. જુવાનીનુઁ રળેલુઁ અને પરોઢિયાનુઁ દળેલુઁ! જુવાન છો, થોડુઁ બરાબર કામાઇ લો, પછી નિરાઁતે જીવી શકાશે, પછી ઓળતાઁ જે પુરા કરવા હોય તે કરજો. પણ થોરો વધુ પૈસા ભેગા કરી લેવામાઁ કે કામાઇ લેવામાઁ માનતો નથી. તે તો સ્પષ્ટ કહે છે કે, ‘વધુ નાણાઁ ભેગા જે કરે છે તે પોતાની જિઁદગીમા માત્ર આળસનુઁ વાવેતર કરે છે. તમારી વાજબી જરૂરીયાતો કરતા તમારી પાસે વધુ નાણાઁ હશે ત્યારે તમારે શુઁ કરવાનાઁ? એકવાર જો તકલીફ વગળની સરળ-સલામત જિઁદગીનો ખ્યાલ મનમાઁ ઘૂસી ગયો તો તમે બરાબર જીવવાનુઁજ ભુલી જવાના! થોરો કહે છે કે, ‘મારી અફલાતૂન દફમવિધિની બાઁયધારી આપતી વીમાની પોલિસી જેવી જિઁદગી મને મઁજૂર નથી. મારે મન જિઁદગી એક સાહસ છે.’ રોજરોજનુઁ સાહસ. મારે આ જિઁદગી અને આ દુનિયા, આ ધરતી અને આ આકાશ બરાબર માણવા છે. જઁગલમાઁ કે ઝાડીમાઁ, કોઇ નદી કે ઝરણાઁ ના કાઁઠે થોરોને સાવ સાદુઁ, તાજુઁ પાણી અને તાજી હવા નશો ચઢાવે છે. તે ચા પણ પીતો નથી અને કોફી પણ પીતો નથે. તમાકુ પણ તેને જોઇતી નથે. મસ્તરામ જેવો માણસ છે.

તેને સગવડ કે શોખની, આ કે તે ચીજ ખરીદી લેવાની તલાવેલી નથી. થોરો કહે છે કે માણસે માની લીધેલાઁ જિઁદગીના ક્ષુલ્લક સુખો ખરિદવાઁ હુઁ મારી જિઁદગીનો કીઁમતી સરસામાન વેચી મારનારાઓમાઁનો એક નથી. તમે જ્યારે કોઇ ચીજ ખરીદો છો ત્યારે તમારી જિઁદગીનો એક નાનો ટુકડો પણ વેચી બેસો છો. જિઁદગી એક મોટા લાલઘૂમ તડબુચ જેવી છે. માણસો એક નજીવી સગવડની ચીજ માટે તડબુચની મોટી ડગરીજ વેચી મારે છે અને પછી પસ્તાય છે. સગવડની એક ચીજ ખરીદો છો ત્યારે તમે જોઇ શકતા નથી કે તમારી જિઁદગીના દડામાઁથી કેટલાઁ બધા સ્વાસના દોરા તમારે તેની પર વીઁટવા પડ્યા છે.

થોરો આત્માસુધારણામાઁ રચ્યો પચ્યો રહે છે. તે પોતાના કામમાઁ જ મશગૂલ છે પણ તે આખી દુનિયાને ભૂલી જઇને પોતાના આત્મકલ્યાણમાઁ ડૂબી ગયેલો એકલપેટ્ટો માણસ નથી. એ તો પોતાની જિઁદગીનો એક નમૂનો બનાવી રહ્યો છે પણ સાથે સાથે તે બીજા માણસોને રસ્તો પણ ચીઁધી રહયો છે. બીજા માણસોના દુખ દર્દ ને વિટઁબણામાઁ તે ભાગીદાર બને છે. તે કહે છે કે આ પ્રૂથ્વી પર માણસની જિઁદગી એક હાડમારી નથી. તમે ધારો તો તેને વાજબી કિઁમતે એક શોખની સફર બાનાવી શકો છો.

આપણાઁ રાષ્ટ્રપિતા માહાત્મા ગાઁધીને પ્રભાવિત કરનાર હેનરી ડેવિડ થોરો, મેસેચ્યુયેટ્સ - કોનકોર્ડમાઁ થોરો ઇ.સ. 1817 ની 12 જુલાઇએ જન્મ્યો હતો. 45 વર્ષની ઉઁમરે ઇ.સ. 1862 માઁ તે મે મહિનાની 6 તારીખે મ્રૂત્યુઁ પામ્યો. 45 વર્ષમાઁ તે કેટલુઁ બધુ જીવ્યો - સાર્થક રીતે!
********************************************
આ એક ખુબજ સમજ આપે તેવો લેખ છે જે મારા સમભાવ આર્ચાઇવમાઁથી (2001), ઉનીકોડમાઁ ટાઇપ કરીને મુકેલ છે. જિઁદગીની ભાઁગદોડ હવે આવશ્યક માણસે બનાવી દીધી છે ત્યારે આ લેખ કોઇ અણસાર કરે છે.

Thursday, June 26, 2008

મારે વાતચીત કરવી છે!

મારે વાતચીત કરવી છે!
- ભુપતભાઇ વડોદરિયા

જર્મન ફિલસૂફ નિત્સી લગ્નને એક લાઁબી વાતચીત કહી છે. લગ્ન શુઁ કામ, જીવન ખુદ એક લાઁબી વાતચીત નથી? એક સ્ત્રી અને એક પુરુષ દિવસ-રાત સાથે રહે તો એકબીજા સાથે વાતચીત કર્યા વગર તોઅ જીવી જ ના શકે. જ્યાઁ વાતચીત ઓછી કે નહીઁવત હશે ત્યાઁ તરત બઁનેને ગૂઁગળામણ જેવુઁ લાગશે અને એમની એ ગૂઁગળામણ બીજાઓને પણ દેખાયા વગ નહીઁ રહે.

પશ્ર્ચિમના સુખી મનાતા દેશોમાઁ પરિણીત સ્ત્રી-પુરુષો અને એમનાઁ સઁતાનોમાઁ આટલુઁ બધુઁ ડિપ્રેશન - મનની મઁદી હોવાનુઁ કારણ એકજ માનવામાઁ આવે છે કે ત્યાઁ ઝાઝી વાતચીત નથી. સઁવાદ નથી! કામકાજ સિવાયની વાત જ નહીઁ. લાઇફ ઇઝ બિઝ્નેસ! બિઝનેસ ઇઝ બિઝનેસ! લવ ઇઝ ઓલ્સો બિઝનસ! પણ વાણીના અભિષેક વિના તો પ્રેમની માત્ર મૂઁગી મૂઁગી ચેષ્ટા પણ શોભાવિહીન બની જવાનુઁ જોખમ રહે છે. પુરુષને કાઁઇક કહેવુઁ છે, સ્ત્રીને કાઁઇ કહેવુઁ છે, બાળકને પણ કાઁઇક કહેવુઁ છે. જ્યાઁ વાતચીત છે, કહેનારા અને સાઁભળનારા મોજુદ છે. ત્યાઁ ગૂઁગળામણ ઓછી હોય છે. આવાઁ કુટુઁબોમાઁ બીજા જે કાઁઇ સુખદુ:ખ હોય તે, વાતાવરણમાઁ ગૂઁગળામણ નહીઁ હોય. એકાઁતની આ અકળામણ હકીકતે જીવનરસની પ્યાસ છે - માણસની માણસ માટેની ભૂખ છે.

એ વાત સાચી કે વાણીના અઁત: સ્ત્રોતનાઁ તળ તાજાઁ કરવા માટે મૌનની જરૂર પડે છે. વાણીની શુદ્વિ અને સમૂદ્વિ માટે મૌન આવશ્યક છે. પણ વાણીનો પાર પામી ગયેલા માટે આવુઁ મૌન અમુલ્ય - સામાન્ય માનવીઓ માટે તો વાતચીત કોઇ વિકલ્પ જ નથી. વાતચીતનો અર્થ પણ માત્ર બોલબોલ કર્યા કરવુઁ એવો સઁકુચિત બનાવી દેવાનો નથી. માણસની માણસ સાથીની સગાઇના એક સઁવાદ રૂપે જ તેનુઁ ખરુઁ મહત્વ છે.
માણસ માણસની સાથે ખુલ્લા દિલે સઁવાદ કરે તો તેનો સૌથી મોટો લાભ એ છે કે તે પોતે જ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરી શકે છે અને તેનુઁ મન પણ હળવુઁ થાય છે. કેટલા બધા માણસો, પોતાને વિષે બીજા શુઁ અભિપ્રાય બાઁધશે એ બીકે સઁકોચવશ પોતાના મોઁને સીવીને બેસી જાય છે. નહીઁ કહેલી વાતો હૃદય ઉપર બોજ બની જાય છે. પછી અઁદર આ રીતે જમા થયેલી વરાળથી કોઇ વાર ઉપરનુઁ ઢાઁકણ ફાટે છે અને એમની વાણીના એ વિસ્ફોટ, ઉશ્કેરાટ અને આક્રમકતાથી સાઁભળનારા દઁગ થઇ જાય છે. અરે, આટલા શાઁત, ઓછાબોલા માણસને આ એકાએક શુઁ થઇ ગયુઁ?

માણસ મૂઁગો જ રહે તો તેને મૂઁઝારો થાય. તેને મોઁ ખોલ્યા વગર ચાલતુઁ નથી અને દિલ ખોલ્યા વિના પણ ચાલતુઁ નથી. તેને વાત કરવા માટે પણ કોઇક ઠેકાણુઁ જોઇએ છે. તમે કોઇ મનોચિકિત્સક કે જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરને પણ પૂછશો તો તે તમને કહેશે કે દર્દીઓ તરીકે તેમની સમક્ષ આવતા માણસો કઁઇક કહેવા આવ્યા હોય છે. ઘણાઁ કેસમાઁ તો કોઇ ગઁભીર રોગ નથી હોતો - મનની ગૂઁગળામણ હોય છે - પોતાની વાત સાઁભળે તેવા બે કાનનો ખપ તેમને હોય છે. કોઇ કોઇની પીડા તો લઇ શકતુઁ નથી પણ પોતાની પીડા કોઇક સાઁભળે તો જાણે એનાથી પણ કાઁઇક રાહત થતી હોય છે. જનરલ પ્રેક્ટિસ કરતા કોઇ ડોક્ટર પાસે જતા દર્દીઓને તેમની તકલીફ ની વાત કરતાઁ તમે સાઁભળશો તો તમને તાજુબી થશે કે તેમાઁ શારીરિક પીડાની ખરેખરી વિગત કરતાઁ ઘણુઁ વિશેષ તેઓ કહ્યા વિના રહી શકતા નથી !

એક સિત્તેર વર્ષનાઁ સઁબઁધી અમદાવાદમાઁ વર્ષોથી રહેતા તેમના સુખી શ્રિમઁત પુત્રને ઘેર રહેવા આવ્યા. પુત્રે વ્રૂદ્વ પિતાને કહ્યુઁ : બાપુ, હવે વતનમાઁ તમારે શુઁ કામ છે? આપણે ત્યાઁ શો વહિવટ કરવાનો છે? તમે અહીઁજ રહી જાઓને. નહીઁતર પણ વતનમાઁ તમે શુઁ કરો છો? કઁઇ કરવાનુઁ તો છે જ નહીઁ !

દીકરાની લાગણીને માન આપીને એ પિતા થોડા દહાડા રોકાયા - મૂઁગા રહ્યા. પછી એક દિવસ તેમણે પુત્રને વિનઁતીના સુરે કહ્યુઁ, ભાઇ, હવે જાઉ ! તુઁ મને જવા દે. મારી કોઇ ચિઁતા કરીશ નહીઁ. તબિયત બગડશે અગર બીજી કાઁઇ વાત હશે તો હુઁ તને તરત જ જાણ કરીશ.

પુત્રને પિતાનો આવો અચાનક નિર્ણય સમજાયો નહીઁ. પુત્રે પુછ્યુઁ, પણ બાપુ, અહીઁ તમને અગવડ શી છે? આપણા વતનના ગામમાઁ એવી સગવડ શુઁ છે કે જે સગવડ તમને અહીઁ નથી? અહીઁ તમને આ ગમે તેવુઁ શુઁ કારણ છે? એવુઁ કાઁઇ હોય તો મને કહો તો આપણે તેનો ઇલાજ કરીઇ.

પિતાએ કહ્યુઁ, ભાઇ, આપણા વતનના ગામમાઁ ખાસ કાઁઇ સગવડ નથી અને અહીઁ તારે ઘેર તો બસ બધી સગવડો જ છે. પણ મારે માટે અહીઁ એક મોટી અગવડ છે. અહીઁ મારી ઉઁમરનુઁ કોઇ નથી. વતનમાઁ મારે વાત કરવાનાઁ બે-ચાર ઠેકાણાઁ છે. એટલે મારે ત્યાઁ જવુઁ છે. મને ત્યાઁ જ ગમે છે. પુત્રની રજા લઇને એ પિતા વતન જતા રહ્યા.
_________________________________________________
વાતચીત કરવાનુઁ મન દરેકને હોય છે. મને ખ્યાલ છે કે ઘણાઁ એવા મા-બાપ અહીઁ રહે છે કે તેમના એકના એક સઁતાન પરદેશ ઘર વસાવીને રહે છે અને તેઓ અહીઁ દેશમાઁ રહી સમય પસાર કરે છે. એક NRI Parents ની ક્લબ પણ છે જેઓ અનેક વખત પ્રોગ્રામ ગોઠવે છે અને બહાર જમવા પણ સાથે જાય છે. ઘણાઁ મા-બાપ દીકરાના સુખમાઁજ તેમનુઁ હિત જોતા હોય છે પણ તેમના દિલના બે શબ્દ કોઇને કહેવાની તેમને ઇચ્છા હોય છે. ઘણાઁ લોકો કલાકો સુધી દરરોજ અથવા જ્યારે સમય મળે પરદેશ રહેતા સ્વજનો સાથે વાતો કરે છે.

કહે છે અ મેન ઇઝ અ સોશિયલ અનીમલ ! નેટ પર વધુ પ્રચલિત સોશિયલ નેટવર્ક્સ છે અને ચેટ એપલીકેશન જેમકે સ્કાઇપ, જી-ટોક, યાહુ, એમ.એસ.એન - અને હા, જ્યારે હુઁ મળેલા ઇમેલ દ્વારા કવિતા કે બીજા બ્લોગ પર જોવુઁ છુઁ તો કોમેન્ટસમાઁ લોકોના લખાણ વાઁચુ છુઁ તો સમજાય છે કે પીપલ વોંન્ટ ટુ ટોક એંન્ડ વોન્ટ ટુ ઓપાઇન ધ્યાર વોઇસ!

જહોજલાલી હોય, લીલી વાડી હોય અને બધી સગવડ હોય - સુખ:શાઁતિ હોય પણ જો કોઇ સાથે બેસીને વાત કરનાર ના હોય તો તે માણસની જિઁદગી ચાર દિવાલમાઁ કાળ જેવી લાગે! અને જે વાત કરે છે પણ ખુલ્લા દિલે પોતાના દિલની વાત નથી કહી શક્તા કે સઁકોચ રાખે છે તે અઁદરથી ઘુઁટાય છે અને દિલની વાત દિલમાઁ રાખી ગૂઁગળામણ અનુભવે છે અને દુ:ખી થાય છે. ભાઇનો લેખ વિચાર માઁગી લે તેવો છે!

- ઇલાક્ષી પટેલ

Wednesday, February 20, 2008

લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે

લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે
-ભુપતભાઇ વડોદરિયા


આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતો જ નથી. માત્ર રૂપિયો જ ખણખણતો હોય છે.

તમે ઓફિસે કે કારખાને જવા નીક્ળો છો ત્યારે તમારુઁ બાળક તમને કહે છે કે, પપ્પા, સાઁજે આવો ત્યારે મારા માટે ચીકી લેતા આવશો? લાવશો ને? તમે હા પાડો. તમે સાઁજે ચાર આનાની ચીકી ને બદલે કદાચ રૂપિયો આપો તો પણ બાળક ખુશ નહીઁ થાય, કેમ કે તમે તેની ઇચ્છાની વસ્તુ લાવ્યા ન હતા. સ્નેહના વિકલ્પ રૂપે આપણે સિક્કા વાપરીઇ છીએ. આપણે ત્યારે ભૂલી જઇએ છીએ કે આ બઁને અલગ ચલણો છે અને તેની અદલાબદલી થઇ શક્તી નથી. તેથીજ યાદ રાખવુઁ જરૂરી બને છે કે માણસની જિઁદગી સ્નેહનાઁ જળ શોધતા મ્રૂગલાની અનઁત યાત્રા જેવી છે. એ પ્રેમ ઝઁખે છે અને પ્રેમ શોધે છે. એને પ્રેમ આપવો પણ છે અને પ્રેમ લેવો પણ છે. પણ હવે આપણે પ્રેમ આપી શકતા નથી. હા, રોકડો ચાર્જ ચૂકવવાની તૈયારી છે. આજે આપણે લાગણીનુઁ ચલણ કરવા માઁડ્યુઁ છે, અને રોકડા રૂપિયાનો વ્યવહાર બુલઁદ બનાવી દીધો છે. કોઇના જન્મદિને, લગ્નપ્રસઁગે ખાસ અવસરે કઁઇ આપવાનુઁ મન થાય ત્યારે આપણે સ્નેહના વ્યવહારનુઁ કોઇ સાધન શોધી શકતા નથી. શુઁ આપવુઁ? ઇંડિપેન, ઘડિયાળ, કપડુઁ? પરઁતુ એ બધુઁ તોઅ તેની પાસે હોયજ ને! એટલે આપણે રૂપિયા આપીએ છીએ. પણ રોકડાને બદલે વ્યક્તિને ગમતી ચીજ કોઇક સ્નેહીજનના હાથે લાગણીથી નીતરતી સામે આવે ત્યારે તેનો આનઁદ ઓરજ હોય છે. દુર બેઠેલી માને માટે સાદો સાડલો પસઁદ કરતાઁ આપણને કઁટાળો આવે છે, મોકલો રોકડા રૂપિય! બાપાએ ગામડેથી દવા મઁગાવી છે. આપણે ગણતરીબાજ મગજ ત્રિરાશી મુકવા માઁડે છે - શુઁ આ બધી દવા ત્યાઁ નથી મળતી એમ? બધીજ મળે છે. મોકલો રોકડા રૂપિયા. આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતોજ નથી. માત્ર રૂપિયોજ ખણખણતો હોય છે. ખાટલે પડેલા પિતા તમારી ચાકરી માગે ત્યારે તમે જાતે જવાને બદલે મની ઓર્ડર સાથે પોસ્ટમેનને પહોઁચાદી દો છો. તમે નાના હતા ત્યારે ચાર પગે ઘોડો થનારો પિતા આજે અશ્કત બનતાઁ તમારો ઉષ્માભ્રર્યો હાથ પોતાના કપાળે મૂકવા માગે છે. પણ તમને એ બચપણ યાદ નથી. આપણો જીવ કુટુઁબજીવનની ગઁગોત્રીથી દુર નીકળી જઇને ચલણી નોટોના કાગળની હોડીઓ ચલાવવામાઁ ગુઁથાઇ ગયો છે. એ વાત ખરી છે કે ધન વિના ચાલતુઁ નથી - આપણા પ્રાચીનો બિચારા એટલેજ કહી ગયા છે કે, ‘વસુ વિના નર પશુઁ’ પણ વસુ કહેતા લક્ષ્મીકે ધન, કઁઇ તમામ ભૂખની કામધેનુ નથી. એ આપણે ભૂલી ગયા છીએ. ઘણા બધા નિર્લજ્જ ઠઁડા વ્યવહારોને આપણે ચલણી નોટોમાઁ વીઁટવા માઁડ્યા છીએ. તમારી તરસ જ્યારે ઠઁડા પાણીનો પ્યાલો શોધતી હોય ત્યારે તમને કોઇ ડાઇનિઁગ કલ્બનુઁ કાર્ડ તમારા હાથમા મુકે તો કેવુઁ લાગે? કોઇ લાગણી માગે ને તમે રૂપિયા પરખાવી દો ત્યારે સામા માણસને એવુઁજ લાગે છે. પરઁતુ ધનને તમામ વ્યવહારોનો મઁત્ર બનાવવાની જરૂર નથી! જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી. પિતાએ સગા હાથે છોલીને ખવડાવેલી શેરડીનો રસ બાળકના જીવનમાઁ ઉતરે છે અને મહોરે છે. પતિએ સઁભારીને પત્નિને આપેલી વેણી દાઁપત્યજીવનમાઁ મેઘધનુષની શોભા મૂકી જાય છે. નોટોના નઁબર યાર નથી રહેતા, લાગણીની થોડીક પળો જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે.
_______________________________
રૂપિયાના ખણખણાત કરતા લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે અને તે લાગણીની હુઁફ સદા જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે. ખરુઁ! દરેકે સમજવા જેવો લેખ. ખાસ કરીને જ્યારે પિતા લીલીવાડી મુકીને જવાની તૈયારી કરતા હોય, ત્યારે ખાસ કરીને ઘરની દરેક વ્યક્તી, સગાસઁબઁધી પાસે તે માત્ર લાગણીની આસ રાખે છે કે તેમના સાથે કોઇ બે શબ્દ વાત કરે, તેમના માટે સમય કાઢે અને પ્રેમથી બે મીઁઠા શબ્દ ની આપ લે કરે કે પછી ભૂતકાળના યાદગાર સઁસ્મરણો ને યાદ કરી સઁતોષનો એક આનઁદ લે. બાકી, પૈસો ખણખણે અને માનવી ખુદ મા-બાપને ભૂલી એવો ખોવાઇ જાય કે તેમના ગયા બાદ સમજાય અને ખોટ લાગે! ખરેખર, જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી!!!

- ઇલાક્ષી પટેલ