Monday, September 07, 2009

ધનની માયા

ધનની માયા
- ભુપતભાઇ વડોદરિયા

તાજેતરમાઁ જ નોકરીમાઁથી નિવૂત થયેલા એક સ્નેહીએ પૂછ્યુઁ, “તમને નથી લાગતુઁ કે આજકાલ યુવાનો સમક્ષ બીજો કોઇ આદર્શ જ નથી - એકજ આદર્શ કે આકાઁક્ષાથી એ દોર્વાય છે અને તે એ કે કોઇ પણ રીતે શ્રીમઁત થવુઁ ! યુવાનો પૈસાને જ આટલુઁ બધઁ મહત્વ કેમ આપે છે તે મને સમજાતુઁ નથી!”

સ્નેહીની વાતમાઁ જરૂર તથ્ય છે પણ તેને માટે યુવાનોને દોષ દેવો નકામો છે. યુવાનો સગી આઁખે જુવે છે કે અત્યારે દરેક માણસને સારા માણસ બનવામાઁ બહુ રસ નથી, પણ સફળ માણસ થવામાઁ વધુ રસ છે અને સફળ થવુઁ એટલે પૈસાદાર થવુઁ એવી સમજ એમણે કેળવી છે. તેઓ જોવે છે કે અત્યારે કોઇપણ પ્રશ્નમાઁ માણસ નૈતિકતાના દ્રષ્ટિકોણને તદન ગૌણ સમજે છે. એનુઁ કારણ પણ સ્પષ્ટ છે. પૈસાની બાબતમાઁ હવે ચોખ્ખો રૂપિયો અને મેલો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો જ નથી. આ પરસેવાની કામાણીનો રૂપિયો અને આ હાથચાલાકીનો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો નથી. સોનાને વળી કાટ કેવો? રૂપિયાને વાળી ડાઘ કેવો? પૈસા એટલે પૈસા! અત્યારે આપણને પૈસાનીજ બોલબાલા નજરે પડે છે. અત્યારે જ આવુઁ છે તેમ માનવુઁ પણ ખોટુઁ છે. અગાઉ પણ વધતા ઓછા પ્રમાણમાઁ પૈસાનુઁ પ્રભુત્વ તમામ સામજોમાઁ રહેતુઁ, તે એક નકારી ન શકાય તેવી હકીકત છે.

પૈસાથી શુઁ નથી મળતુઁ? બધુઁ જ પૈસાથી ખરીદાય છે તે યુવાનો સગી આઁખે જુએ છે. પછી તેમને પૈસાના અસાધારણ ચમત્કારમાઁ શ્રદ્ધા બેસી જાય તેની નવાઇ શુઁ આમાઁ યુવનોને દોષ દેવો નકામો છે અને આ કે તે માણસ સામે આઁગળી ચીઁધવાનો પણ કોઇ અર્થ નથી. આખી પદ્ધતિમાઁ જ એવુઁ કઁઇક છે કે આ વિષચક્રમાઁથી જેઓ બચી જવા મથે છે તેઓ તેમાઁથી બચી ગયા પછી સઁતોષની સાચી લાગણી અનુભવી શકતા નથી. એક સરકારી કર્મચારી લાઁબી નોકરીના અઁતે નિવૂત થયા. કદી તેમણે હોદા પર હતા ત્યારે કોઇની એક પાઇ પણ લીધી નહોતી. હોદા પર હતા ત્યારે તેમણે તેમના ખાતા સાથે જેમને કામ પડ્તુઁ હતુઁ તે હઁમેશા કઁઇ ને કઁઇ મદદ કરવા હાથ લઁબાવતા, પણ સરકારી કર્મચારી વિનયપૂર્વક તેનો ઇન્કાર જ કરતા. નિવૂત થયા પછી તેમના કુટુઁબમાઁ ગઁભીર માઁદગી અવી પડી. પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ પુત્રના ઓપરેશન અને દવા સારવારમાઁ થાય તેમ હતો. આ ભાઇએ કશુઁ વધારાનુઁ ધન તો મેળવ્યુઁજ નહોતુઁ. એટલે એમને માટે આવો બઁદોબસ્ત કરવાનુઁ મુશ્કેલ હતુઁ.

તેમણે જેમની પાસે પૈસા ઉછીના માગ્યા તેમણે કહ્યુઁ કે તમને જ્યારે પૈસા મળી શકે તેમ હતા ત્યારે તો લીધા નહી. હવે તમને કોણ આપે? આવુઁ કહેનાર ભાઇ જ અગાઉ કહેલુઁ કે આપણો સઁબઁધ હૈયાનો સઁબઁધ છે. - હોદ્દાનો સઁબઁધ નથી. પણ અત્યારે હવે એજ કહી રહ્યા હતા તેનો અર્થ એટલો જ હતો કે હોદ્દાના અઁતની સાથે હૈયાના સઁબઁધનો પણ અઁત આવી ગયો હતો!

નિવૂત સરકારી કર્મચારીએ પછી પોતાના પુત્રની શસ્ત્રક્રિયા તથા દવા સારવાર માટે પૈસાની વ્યવસ્થા તો કરી જ, પણ તેમના મનમાઁ વારઁવાર એવો પ્રશ્ન ઊઠ્યા કરતો - પોતે આખી જિઁદગી ચોખ્ખા હાથ રાખ્યા હતા, તેમ કરીને પોતે સારુઁ કર્યુ હતુઁ? પોતે હઁમેશા સ્વચ્છ રહ્યા તે જ સારુઁ અને સાચુઁ હતુઁ? જમણે એથી ઊલટો વહેવાર કર્યો એમની સ્થિતિ આવી કટોકટીના પ્રસઁગોમાઁ વધુ સુગમતાભરી જ જોવા મળી અને એમને કશી શિક્ષા માણસે કે કુદરતે કરી જ નથી! માણસેકે ભગવાને પોતાની પ્રામાણિકતાની કોઇ કદર કરી હોય તેમ દેખાતુઁ નથી! ટૂઁકમાઁ એ ભાઇ પોતે જ એક શઁકામાઁ ઘેરાઇ ગયા. પછી આમાઁ માણસો હ્રદયનુઁ કઁઇક સમાધાન શોધે છે તેમ તેમણે પણ શોધ્યુઁ. પણ પ્રશ્ન તેમનો એકલાનો નહોતો. દરેક માણસને આવો પ્રશ્ન થાય છે.
એ વાત સાચી છે કે સદગુણ અને સત્કર્મ એ પોતે જ તેનો એક અમુલ્ય બદલો છે અને તેના માટે બીજા કોઇ પણ બદલા કે ઇનામની આશા રાખવી જ નહીઁ જોઇએ. પણ આ સાચુઁ હોવા છતાઁ માણસ તો આખરે માણસ જ છે અને તેથી તેના મૂલ્યાઁકનના ત્રાજવા પ એની જિઁદગીના પ્રસઁગોના પ્રતિકુળ પવનના સપાટાઓની અસર થયા વગર રહેતી નથી.

માણસ જો શાઁતિથી વિચાર કરે તો તેને ભાન થયા વગર રહે નથીઁ કે પૈસાથી સુખ કે શાઁતિ મળે શકતાઁ નથી. તેનાથી કોઇ સાચી સફળતા મળવાનો ખ્યાલ પણ ખોટો છે. દુનિયાની નજરે આપ્ણે આ બધી બાબતોને જ્યારે જોઇએ ત્યારે આપણને એક આભાસ થાય છે, એક દષ્ટિભ્રમ થાય છે. આ દુનિયામાઁ તદ્દન ગરીબ ફકીર જેવો માણસો તેમની આત્મજ્યોતને લીધે યાદગાર બન્યા છે. શ્રીમઁતોને પોતાનુઁ નામ નોઁધાવવા માટે ગઁજાવર દાન કરવાઁ પડે છે અને પથ્થરની તક્તીમાઁ નામ કોતરાવવાઁ પડે છે. એથી ઊલટુઁ ઇશ્વરના બઁદાઓના, દરિદ્રનારયાણના સેવકોના અને શુદ્ધ સર્જકતાના ઉપાસકોનાઁ નામ માણસના હ્યદયમાઁ અને અખઁડ સ્મૂતિમાઁ કોતરાયાઁ છે.

Monday, July 06, 2009

જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી

જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી
- ભુપતભાઇ વડોદરિયા


એક માણસ ફરિયાદ કરે છે: હુઁ તદ્દન એકલો પડી ગયો છુઁ. જાણે કોઇની સાથે કઁઇ સઁબઁધજ રહ્યો નથી. કોઇને કહુઁ તો નવાઇ લાગે, પણ પત્નીએ પણ મને લગભગ છોડી દીધો છે. એકજ બઁગલામાઁ અમે સાથે રહીએ છીએ અને એકજ ડાઇનિઁગ ટેબલ પર સાથે જ જમીએ છીએ પણ એ બાદ્ કરતાઁ અમારી વચ્ચે જાણે કશી નિકટતા રહી નથી. અમારો સઁબઁધ ‘દુરથી સલામ’ નો જ બાકી રહ્યો છે. પત્નીએ પતિ છોડી દીધો છે અને ઇશ્વ્રરની પાછળ પડી છે! જે કોઇ મઁડળી જાત્રાએ જતી હોય તેમાઁ અમારાઁ શ્રીમતી સામેલ થઇ જવાનાઁ! જાણે એ ઘરથી દૂર જ ભાગવા માગે છે. પુખ્તવયના સઁતાન એક પછી એક દૂર ચાલ્યાઁ ગયાઁ! કોઇ ધઁધા માટે, કોઇ નોકરી માટે. કોઇ કોઇ વાર ઢળતી સાઁજે વિચાર આવે છે કે, હુઁ તો ખબર ન પડી તેમ સાવ એકલો પડી ગયો. એક સમય એવો હતો કે હુઁ ધઁધામાઁ અને ધન કમાવામાઁ એટલો મશગૂલ હતો કે મને કોઇના માટે કશો જ સમય નહોતો. આજે મને પુષ્કળ સમય છે ત્યારે પત્ની, સઁતાનો, સગાઁસઁબઁધી, મિત્રો કોઇને મારા માટે સમયજ નથી.

તાજેતરમાઁ એક એવી ઘટના બની કે તેનો વિચાર કરુઁ છુઁ ત્યારે હસ્વુઁ કે રડવુઁ તે જ નક્કી કરી શકતો નથી. એક દૂરનો ભાણેજ. એને માટે મને કઁઇક લાગણી હતી. તાજેતરમાઁ એકલતાની મારી લાગણી એટલી તીવ્ર બની કે મને કલાક-બે કલાક એ ભાણેજ સાથે ગાળવાનુઁ મન થયુઁ. હુઁ એને ઘરે ગયો તો મળ્યો નહી. એની ઓફિસે ગયો તો ક્યાઁક બહાર ગયો હતો. હુઁ હવે તો તેને મળવા તલપાપડ બન્યો, પણ હુઁ તેને શોધવા ફરુઁ અને એ મને મળે જ નહિ, જાણે મારાથી દૂર ભાગે. એક દિવસ મેઁ એની પત્નીને પુછ્યુઁ :”હુઁ એને મળવા માટે વારઁવાર ધક્કા ખાઉઁ છુઁ અને એ મને મોઁ દેખાડતોજ નથી. એને મારો સઁદેશો તમે આપ્યો હતો કે નહોતો આપ્યો? હુઁ આટલી બધી વાર ધક્કા ખાઇ ગયો તો એક વાર તો મારે ઘેર આવીને મને મળી ગયો હોત! મને સમજાતુઁ નથી કે એ કેમ મોઁ છુપાવે છે? ભાણેજની પત્નીએ કઁઇક સઁકોચ સાથે કહુયુઁ : મામા, એવુઁ નથી, પણ વર્ષો પહેલાઁ તમે તેમને રકમ આપેલી તેની ગોઠવણ તે કરી શક્યા નથી. તેમણે કહ્યુઁ છે કે એ રકમની વ્યવસ્થા એ કરીજ રહ્યા છે. જેવી રકમ તેમના હાથમાઁ આવશે કે તરત તમને મળશે.

મારે માથુઁ કૂટવુઁ કે શુઁ કરવુઁ? એ વાતને વર્ષો વીતી ગયાઁ હતા. માર એ દુરના ભાણેજને મેઁ એક સમયે કોઇ રકમ આપ્યાની વાત પણ હુઁ ભુલી ગયો હતો અને અત્યારે હુઁ મારા ભાણેજને શોધતો હતો તે તો માત્ર તેની સોબત માટે તેને શોધતો હતો. હુઁ કાઁઇ જુની રકમની વસુલાત માટે તેની પાછળ પડ્યો નહોતો. મૂળ વાત તો એની એજ છે, જે મને મુઁઝવે છે. હુઁ સાવ એકલો પડી ગયો છુઁ. આ એકલતાના અઁધારા કૂવામાઁથી મને કોઇ બહાર કાઢે. આવી પીડા અનુભવી રહેલા અને એકલા પડી ગયાની ફરિયાદ કરનારા માણસ જો પોતાની અઁદર જ ડોકિયુઁ કરે તો તેને ભાન થયા વગર રહે નહી કે પોતાની આવી હાલતનુઁ અસલ કારણ તો એ જ છે કે પોતે મોટા ભાગની જિઁદગી એક કોચલામાઁ જ જીવ્યા છે. તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી. તેમણે દરેક માણસને પોતાની જીવન-શતરઁજના એક નાના કે મોટા પ્યાદારૂપે જ જોયા છે. સ્વહિતની, સ્વાર્થની રમત હવે પોતે બઁધ કરી છે અને હવે તેઓ ખરેખર ખેલદિલીના મેદાનમાઁ માત્ર જીવનના આનઁદ માટે જ રમવા બહાર પડ્યા છે, પણ તેમાઁ ભાગ લેવા કોઇ આવતુઁ નથી. માણસ ખરેખર જીવનનો રસ અઁત સુધી જીવઁત રાખવા માગતો હોય તો તેણે પોતાની જાતમાઁ જ ગળાડુબ રહેવાને બદલે બહાર નીકળીને જીવવુઁ પડે છે. બીજા માણસોમાઁ રસ લેવો પડે છે અને બીજા માણસોના જીવનમાઁ સામેલ થવુઁ પડે છે. પોતાન જ કોચલામાઁ ‘સલામતીપુર્વક’ જીવવા માગનારનો વહેવાર એવો હોય છે કે હુઁ જેને જેને બોલાવુઁ તે બાધાઁએ મારા ત્યાઁ સારા-માઠા પ્રસઁગે અચૂક હારજ થૈ જવુઁ જોઇએ. બાકી હુઁ કોઇને ઘેર સારા કે માઠા પ્રસઁગે ન પણ જાઉઁ. મારી પાસે એટલો સમજ જ નથી. તમારી પાસે સમય નથી અને તમે બીજાને મુદલ સમય આપી શકો તેમ નથી તો બીજુઁ કોઇ પણ તમને શુઁ કામ સમય આપે? સુખી માણસોએ કોઇ ને કોઇ પ્રસઁગે સગાઁસઁબઁધીકે મિત્રોને બસો પાઁચસો રૂપિયાની મદદ કરી હોય તો એમ માને છે કે તે માણસ આપણા તાબામાઁ આવી ગયો. સુખી માણસ પુછે છે, “એલા, અમે તને પૈસા આપીએ અને તુઁ અમને સમય પણ આપી ન શકે?” પણ પેલા માણસ મોઢેથી નહી તો પણ મનોમન એવો જવાબ આપે છે કે તમે જે પૈસા આપ્યા તે તમને પાછા આપી દઇશુઁ. તમે અમને કઁઇ સમય આપ્યો નથી એટલે અમે સમય આપીએ એવી આશા-અપેક્ષા કરો તે વાજબી નહી!
________________________________

મને એવુઁ લાગે છે કે ભાઇએ લખ્યુઁ છે એમ, “તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી.” અને આવુઁ દરેક માનવી ના સારા વર્ષોમાઁ બનતુઁ હોય છે અને આખરે ધઁધો ધીરો પડે કે ઉઁમર થાય છે અને તેને લોકોની ખોટ સાલે છે અને એ ઘરના સભ્ય પોતાના કામમાઁ મશ્ગુલ બને છે અને સમય ફાળવી શકતા નથી. આથીજ માણસને એકલવાયુ લાગતુ હોય છે. આથીજ આપણે સમજવાનુ છે, મુજ વીતી તુજ વીતશે અને સમય કાઢી જ્યારે પણ શક્ય બને, ઘરના માણસો સાથે, વડિલની સાથે બે શબ્દ વાત કરવી, તેમને શુઁ કહેવુઁ છે સાઁભળવુ અને બને તો તેમની સાથે તમારી વાત શેર કરો. તેમને એકલવાયુઁ નહી લાગે. ઘાણાઁ લોકો એટલા કામમાઁ ડુબેલા રહે છે કે પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરવાનો સમય નથી કે બાળકો સાથે પણ સમય પસાર નથી કરતા. એક સાથે થોડી પલ વિતાવવી જરુરી છે.

Monday, February 09, 2009

અને આને કહેવાય વાયબ્રંટ ગુજરાતના પ્રણેતા

ઘણાઁ સમયથી અહીઁ બ્લોગ ના મૂકાયો પણ મને ખાત્રી છે કે Kidsfreesouls પર તમે ફોલો કરતા હશો.

નરેન્દ્ર મોદી વિષે અને વાયબ્રઁટ ગુજરાતની સફળતા પર વાઁચકોની ઇ-મેલ ગુજરાતની પ્રગતી ની પ્રશઁસા કરે છે. તેવોજ એક લેખ અહીઁ મુકેલ છે જે તમને વાઁચવો ગમશે અને ગુજરાતની જનતા શુઁ વિચારે છે તેની ઝાઁખી કરાવશે.

તમારી કોમેન્ટસ આવ્કાર્ય છે. તમે શુઁ વિચારો છો, જરૂર જાણાવશો.

અને આને કહેવાય વાયબ્રંટ ગુજરાતના પ્રણેતા
- કલા અમીન”તડ અને ફડ - (વીકેંડર સાપ્તાહિક)

પાઁચથી છ કરોડની વસતી જેમને જઁગી બહુમતીથી છેલ્લા 3 વખતથી ચૂટી કાઢે છે તેવા બહુર્મુખી, પતિભાશાળી, કર્તવ્યનિષ્ઠ, ઇમાનદાર, ગુજરાતના ગૌરવસમા, જેનુઁ દેશ અને પરદેશમાઁ ખુબજ માન છે - સનમાન છે, તેવાઁ મુખ્ય પ્રધાન મેળવવા ગુજરાત સદભાગી છે, એવાઁ આપણા લાડીલા ગુજરાતના નાથને ‘પોતાના કામો’ જનતા સુધી બરાબર પહોઁચતા કરવાની પૂરી તક તો લેવા દો. આજ સુધી કોઇ પણ “વડા પ્રધાન” જે નથી કરી શક્યા અને જેનો પર્યાય છે, ફ્ક્ત આપણા લોખઁડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઇ પટેલ અને આન્ધ્ર વાળા શ્રી ચઁદ્રાબાબુ નાયડુ.

આ સાથેજ તમે કહેશો કે ‘ભાઇસાબ, સરદાર પોતેજ લોખઁડી પુરુષ હતાઁ. પોતાની આસપાસ બ્લેક કમાન્ડોની જાળી ઉભી કરીને નહોતા ફરતા. તો, તેનો જવાબ પણ આપણી પાસે છે. અને તે છે, આપણા વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરાજીનો અઁજામ. ના ભાઇ, એવા અઁજામ માટે આપણે તૈયાર નથી. જે સારુ કામ કરે, તેના દુશ્મનો તો હોયજ. વિઘ્નસઁતોષી તો હોયજ. સુર્ય સામે થૂકનારા તો ઘણા હોય, પણ તે થૂક કોની પર પડે, તે તો આપણે જાણીએજ છીએ.

હવે મુળ વાત પર આવીએ. એમણે શાસનની દોર પકડી પછી ગોધરાકાઁડ જેવો કમનસીબ બનાવ બની ગયો. જેના કારણે તેમના હીતશત્રુઓને તેમના માથે માછલા ધોવાની તક મળી ગઇ હતી. પણ, હાથ-કઁગનને આરસીની શી જરૂર! જેનો જવાબ દર વખતે યોજાતી ચૂટણીના પરિણામોજ આપી દે છે. વાઁકુ બોલનારા બધાય ચૂપ થઇ જાય છે. ચૂટણીના પ્રચાર વખતે, તેઓ શ્રી, જ્યારે ગુજરાતની બહાર જાય છે ત્યારે, ઘણાઁ લોકો એવુઁ બોલતા હોય છે કે, “ભાઇ ઘર બળતુઁ મુકીને પડોશીને ત્યાઁ આગ ઓલવવા શા માટે જાવ છો?”

“ઘરના ઘઁટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એવુઁ આપણા મુખ્ય પ્રધાન શા માટે કરતા રહે છે. તમે જાણો છોને કે સારુ કામ કરવુઁ હોય તો માણસ પાસે સમજ સાથે સત્તા પણ જરૂરી છે. “ઉતર્યો અમલદાર કોડીનો” એટલે જો એમનો પક્ષ બહુમતી ના મેળવે તો તેમની સત્તા પાછી હાલકડોલક થઇ જાય અને પછી “આપણુઁ ગુજરાત” “મેગાસીટી ગુજરાત” એવા સુત્રને તેઓશ્રી ફળિભૂત કેવી રીતે કરી શકે? માટે, એ જે વખતે જે કરે તે ખુબજ જરૂરી હોય છે અને એ વખતે પણ તેઓશ્રી ગુજરાતને રેઢુઁ નથી મુકતા. ગુજરાતનુઁ હિત તો તેમના હૈયે વસેલુ છે. તેઓ સતત ગુજરાતની ગતિ વિધિ પર ધ્યાન રાખતા હોય છે, તેના સઁપર્કમાઁ રહેતા હોય છે.

અલગ અલગ રાજ્યોના મુખ્ય પ્રધાનો પર તેમના પ્રભુત્વની જરૂર છે જે તેમણે પુરી કરી છે અને કરતા રહે છે. આવા બાહોશ મુખ્ય પ્રધાન ગુજરાતને મળ્યા છે તો તેમની રીતે આગવી સૂઝ પ્રમાણે આડખીલી બન્યા વગર કામ કરવા દો.

“ વાયબ્રંટ ગુજરાત” આ શબ્દ પર હસવા વાળા લોકોને આ છેલ્લા 2009 ના વાયબ્રઁટ ગુજરાતની ગાથાએ તો ચૂપજ કરી દીધા છે. દેશની તેમજ પરદેશની મોટી મોટી હસ્તીઓ સર્વે શ્રી અનીલ અઁબાણી, સુનીલ મિત્તલ, રતન ટાટા, ઇત્યાદીએ, જેના ભરપેટ વખાણ કર્યા છે તો તેમાઁ કાઁઇક તો વજુદ હશેજને?એ લોકો કાઁઇ અમથા જ એવા વિધાન શા માટે કરે?

તો તેમેને તેમની રીતે કામ કરવા દો. હવનમાઁ હાડકા શા માટે નાઁખો છો? અને અત્યારે હિસાબ માઁગવાનો સમય નથી. ‘રોટલા ખાવને ભાઇ. રોટલા ઘડતી વખતે કેટલી વાર ટપટપ કર્યુઁ, તેનુઁ તમારે શુઁ કામ છે?” સાચુઁ કહેજો હોઁ....ગુજરાતનો નકશો બદલાઇ નથી ગયો?

તે હેઁ ભાઇ, કોઇ ખોટી વાત તો નથી કરીને? અને તમને એવુઁ લાગ્યુઁ હોય તો તમારી મરજી. મને જે લાગ્યુઁ તે મેઁ કહ્યુઁ અને તે મારી મરજી. હુઁ આપણાઁ એ ગુજરાતના તાજને લાખ લાખ સલામ કરુઁ છુઁ અને ભગવાનને પ્રાર્થના કરુઁ છુઁ કે “ગુજરાતનુઁ ભલુઁ ઇચ્છ્નાર અને કરનાર, આપણાઁ લાખેણા, લાડીલા મુખ્યપ્રધાનને દિર્ઘાયુ બક્ષે અને દિર્ઘકાળ સુધી ગુજરાતની જનતાને એમનો સથવારો સાઁપડે. જો જો પછી ગુજરાતનો ડઁકો પૂરી દુનિયામાઁ વાગશી.

- કલા અમીન