Thursday, March 12, 2015

12th March and an article on Books


પુસ્તક
- ભુપતભાઇ વડોદરિયા 

છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે! પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી! ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો?

જે જુવાનને મનગમતાઁ પુસ્તકો વસાવવાની પોતાની અશક્તિ માટે લાગી આવ્યઁ હતુઁ એ જુવાન સાથે ઘણી બધી વાતો નીકળી. એમાઁથી એવુઁ સમજાયુઁ કે, પુસ્તકની વાત તો ઠીક છે, ઘણી બધી આવી બાબતોમાઁ જુવાન માણસને કશીક જરૂરી અને ઉપકારક સાધનસામગ્રીથી વઁચિત રહી ગયાની લાગણી થયા કરતી હોય છે. આ લાગણી એના અઁતરને પીડ્યા કરે છે. વઁચિત રહી ગયાની લાગણી એટલી તીવ્ર હોય છે અને એટલી નકારત્મક અસર કરે છે કે એક પછી એક વસ્તુઓ તેમની નજર સામે પસાર થઇ જાય છે. એ વ્યક્તિ એ કારવાઁને જોયા કરે છે, પણ કશુઁ ઝડપી લેવા તત્પર બનતી નથી! રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે? એ તો કોઇ વિધિમાઁ ભાગ લઇ શકે નહિ. ગઁગાના કિનારે રામક્રૂષ્ણે માત્ર જળથી અઁજલી આપવાનુઁ વિચાર્યુ પણ આઁગળીઓ જકડાઇ ગઇ. જલની અઁજલિ પણ આપી ન શક્યા. રામક્રૂષ્ણથી રડી પડાયુઁ. કોઇ પણ ઉમરે માતા જાય ત્યારે માણસનુઁ હ્રદય રડ્યા વગર રહી ન શકે. રામક્રૂષ્ણ સાચુકલા માણસ હતા. એમણે બતાવ્યુઁ છે કે માણસની અઁદર જ પુસ્તકોનાઁ પુસ્તકો હોઇ શકે છે.

છેવટે માણસ પુસ્તક તરફ કેમ આટલો બધો ઉમટે છે? કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે? તોઅ માણસ જવાબમાઁ કહી શકે છે કે આ ચોપડી આપ નામદાર વાઁચી લો, તેમાઁ મારી બધી વાત આવી ગઇ છે. આવોજ અભિપ્રાય દોસ્તોવ્સીની મહાન નવલ કથા બ્રધર્સ કરામઝોવ માટે આપવામાઁ અવ્યો છે. વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇંસ્ટાઇને આ નવલકથા માટે એવુઁ કહ્યુઁ છે કે, કોઇ વૈજ્ઞાનિક ચિઁતક પાસેથી મને જે કાઁઇ મળે તેનાથી વધુ મને દોસ્તોવ્સ્કી પાસેથી મળ્યુઁ છે. પુસ્તકની ખરેખરી પ્યાસ જાગે છે ત્યારે તે ગમે ત્યાઁથી મળી જાય છે. આઇંસ્ટાઇન વાળ ન કપાવે, પણ પુસ્તક મેળવી લે અને લિઁકન સારાઁ કપડાઁ ન પહેરે, પણ પુસ્તક માટે પૈસા ખર્ચે.
 
છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ કરી શકે છે. તે માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત નક્કી કરવાની છે.

12th March and an unforgettable day for me - My dad was born this day - Gandhiji's Salt Satyagraha and Sambhaav Newspaper's birthday. It is not a death of a newspaper with many years of continuous Sambhaav Metro rolling -The new site http://www.sambhaavmetro.com is also launched. However, there is no match substitute to the newspaper that Bhupatbhai managed. One got to accept with grace. Sambhaav Newspaper started way back on 12th March 1986. A great Literature soul and Author of over 60 Books, Bhupatbhai lives in our hearts. All the best Gujarati Columnist appeared in the then Sambhaav Newspaper. And Bhai had great rapport and love for all. I worked with Sambhaav from 1997 to 2004 and he always inspired and encouraged me to be an Outstanding Journalist and I did win a laurel - got an Award for Outstanding Journalist by Kadva Patel Community Mahila wing in 2009. And, when I remember Bhai today, my heart fills with emotions that have no words to say except pray for a great literature soul and keep the wonderful memories of the yester years.


Thursday, March 05, 2015

મજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે



મજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે
ભૂપત વડોદરિયા

નોર્વેના નોબેલ પારિતોષિકવિજેતા લેખક નટ હેમસનની અલગારી’ કથાઓ વિશે વાંચતો હતો તેમાં નટ હેમસનના જીવનની પણ ઘણી વિગતો વાંચી. ઈ. સ. ૧૮૫૯માં જન્મેલા આ નોર્વિજન લેખકની પ્રથમ નવલકથા હન્ગર’ (ભૂખ) ખૂબ વખણાયેલી. નટ હેમસન ગરીબરોટીના એક ટુકડાનો મોહતાજ પણ તદ્દન મસ્ત માણસ. પગરખાં વગરના પગેજૂનાં જર્જરિત કપડાંમાં એ ખાલી ખિસ્સે ગમે ત્યાં ઘૂમ્યા કરે.

અક્ષરશઃ યાત્રિક! જુવાન નટ હેમસન અમેરિકા ગયેલો અને ત્યાં લોહીની ઊલટીઓ થઈ. હેમસનને ઇસ્પિતાલમાં લઈ ગયા અને ક્ષયરોગનું નિદાન થયું. નટ હેમસને હસીને કહ્યું કે આવા રોગના દવાદારૂ કરવાના ફાજલ પૈસા મારી પાસે નથી! એમણે લખ્યું હતું, ‘તાજી હવા લઉં છું અને તાજી હવા મારાં ફેફસાંમાં ભરું છું.’ શું બન્યું એ તો કોણ જાણે પણ નટ હેમસન ક્ષયરોગથી મુક્ત થયો હોય કે ના થયો હોયપોતાની રખડુ જિંદગીમાં ખાસ કંઈ ફેરફાર કર્યા વિના નેવું વર્ષથી વધુ જીવ્યો.

અંગ્રેજી ભાષાના એક સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી પણ ઘણું બધું લાંબું જીવ્યા. બરાબર અઠ્ઠયાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા. બેત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમના જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતીપણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા. આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને દાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નીરોગીપણું લાંબી જિંદગીનો કોઈ વીમો નથી. આપણે તંદુરસ્ત માનેલા માણસોને આપણે અચાનક મૃત્યુ પામતા જોઈએ છીએ. અચાનક બેચાર દહાડાની તબિયતની કોઈ ગરબડમાં ચાલ્યા જતા જોઈએ છીએ. આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી. એટલે માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે. કોણ કેટલું જીવશે અગર ક્યારે તેનું મૃત્યુ થશે તે ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે. એ બધા પોતાના કાર્યમાં જ બરોબર પરોવાયલા રહ્યા છે. 

તબિયતની ગમે તેટલી અસહ્ય કનડગત અને આર્થિકસામાજિક સંજોગોની ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આવી વ્યક્તિઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. તેનું એક નોંધપાત્ર દ્રષ્ટાંત રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું ગણી શકાય. તેને વાઇનું દર્દ હતું અને તેનો હુમલો આવે ત્યારે તે દિવસો સુધી માંદો અને નિર્બળ બની રહેતો. તેના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો ભારપોતાના કુટુંબનો ભાર અને આવકનું કોઈ નિશ્ચિત સાધન નહીં. વધુમાં નસીબ અજમાવવાની લાલચમાં તેણે કરેલું મોટું દેવું કઈ રીતે ચૂકવવું એની પણ સતત ચિંતા! લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે! અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે! માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાની કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ  કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથીતે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે.

ઈંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો અને બર્નાર્ડ શોની જિંદગીનાં પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેમને માથે આવી પડ્યાંતે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીનેચોક્કસ પ્રકારની શિસ્ત પાળીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું. મોં કટાણું કર્યા વિના અને હસતાં હસતાં!’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા! એમની વિનોદવૃત્તિધારદાર કટાક્ષોવક્રોક્તિઓ આજે પણ આપણને જરાય વાસી’ લાગતાં નથી. બર્નાર્ડ શો પણ ખૂબ લાંબું જીવ્યા અને તબિયતના ગંભીર પલટાઓ સામે તેમણે હસતા ચહેરા સાથે જ મુકાબલો કર્યો!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી....