Thursday, June 13, 2013

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

તર્ક-વિતર્કથી નહીંશ્રદ્ધા દ્વારા ઊંડી સમજ-ભૂપતભાઇ વડોદરિયા

આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા  કરે છેપણ દરેક માણસ
જાણ્યે-અજાણ્યે એક આંતરિક પુરુષાર્થ પણ કરતો હોય છે.
તેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છે

પોતાને ઘેર વિઝિટે બોલાવનાર એક વેપારીને જતાં જતાં ડોક્ટરે કહ્યું, "એક આટલું  યાદ રાખવું કેડોક્ટર પાટાપિંડી કરે છેબાકી જખમ રુઝાવવાનું કામ ભગવાન કરે છે અને ઘા રુઝાવનારો મોટોભગવાન બહાર જ્યાં હોય ત્યાં પણ એનો કોઇક કંપાઉન્ડર તમારી અંદર  છેબધી દવાઓ પણતમારી અંદર છેકોઇક કંપાઉન્ડર તેમાંથી સાચી દવા પસંદ કરીને તેને અસરકારક બનાવે છે."

 સુખી વેપારી કોઇ અપવાદરૃપ કિસ્સો નથીસુખી કે દુઃખીબુદ્ધિજીવી કે મહેનતકશ બધાં પુખ્ત સ્ત્રી-પરુષો કોઇ ને કોઇ વાર આવી લાગણી અનુભવે છેઘણા માણસો મનની અંદરખરાબ-ખોટા-અનિષ્ટ વિચારોને વિખેરી નાખવામાં સફળ થાય છેકોઇ ઇષ્ટદેવનું સ્મરણ કરે છે,પ્રાર્થના કરે છેપોતાનાં માતા કે પિતાનું સ્મરણ કરે છેઆમાં કશી નિર્બળતા જોવાની જરૃર નથી.માણસ જેમ જેમ વધુ ને વધુ જાણે છે તેમ તેમ તેનું ખોટું અભિમાન ઊતરી જાય છેઆપણાઅલ્પજ્ઞાનનું આપણને પારાવાર અભિમાન હોય છેઆકાશ આસમાની છે તેનું  કારણ છે.આકાશ આટલું ઊંચું છે (?) મેઘધનુષ રચાવાનું કારણ  છે ત્યાંથી માંડીને અસંખ્ય બાબતો વિશેનુંઆપણું સહેજસાજ જ્ઞાન પણ આપણને જ્ઞાનના ડુંગર જેવું લાગે છેપણ જગતના મહાનમાં મહાનવિજ્ઞાનીઓ આપણા સાધુસંતો સાથે સ્પર્ધામાં ઊતરી શકે તેટલા નમ્ર લાગે છેકારણ કે તેમણે તેમનાસૂક્ષ્મ જ્ઞાનની ખૂબ લાંબી છતાં સીમિત નળીમાંથી જોઇ લીધું છે કે જે કંઇ બહાર છે અને જે કંઇઆપણી અંદર છે તેનો પાર પામી શકાય તેવું નથી.

એટલે માણસ ઝાઝા તર્કવિતર્કમાં પડ્યા વગર શ્રદ્ધા દ્વારા એક ઊંડી સમજ કેળવી શકે છે.જીવનના નાના-મોટા અનંત દીપ પ્રગટાવનારી જે મહાશક્તિ છે તેનો કાંઇક અંશ દરેક જીવનમાંપડેલો છેઆપણે આપણી અંદર પડેલી  શક્તિને ઢંઢોળી શકીએ છીએ અને તેને કલ્યાણકારકબનાવી શકીએ છીએઅમેરિકાના મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ કહે છે કે તમારા અજ્ઞાતમનમાં ડુંગર ડોલાવવાની શક્તિ છેઅમેરિકાનો ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે કે તમે જેવુંવિચારો છો તેવા તમે બનો છો.

આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા  કરે છેપણ દરેક માણસ જાણ્યે-અજાણ્યે એક આંતરિકપુરુષાર્થ પણ કરતો હોય છેતેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છેપોતાની શી ગુંજાશ છે તેપારખવાનું છે અને તે ખરેખર શું મેળવવા ઇચ્છે છે તે પણ નક્કી કરવાનું છેએક ડોક્ટર કે એકએન્જિનિયર વિદ્યા-તાલીમ લઇને પોતાનો બાહ્ય પુરુષાર્થ પુરવાર કરે છેપણ તેના આંતરિકપુરુષાર્થનું પૂરેપૂરું બળ તેમાં ભળેલું નહીં હોય તો તે કોઇ વિશિષ્ટ પ્રદાન કરી નહીં શકેહકીકતે આંતરિક પુરુષાર્થ ખૂબ મહત્ત્વનો છેકેમ કે આમાં ખેતીનો નિયમ લાગુ પડે છેતમે એક બીજવાવ્યું હોય તો દસ બીજ તમે પામો છો.
મોટા વિજ્ઞાનીઓએદાક્તરોએઉદ્યોગપતિઓએકલાકારોએ અને ઋષિમુનિઓએ પણ અજ્ઞાતમનનાઅંતઃસ્રોતનાઅંતરની પ્રેરણાના ચમત્કારો સ્વાનુભવે જોયેલા-જાણેલા છે કાંઇએકવીસમી સદીની વિશિષ્ટ દેન નથીસિગમન્ડ ફ્રોઇડે 'અજ્ઞાત મન'ની વાત કરી તે પહેલાં સેંકડોવર્ષોથી તમામ ધર્મોએ તેની હસ્તી જાહેર કરેલી છેફ્રોઇડે ત્યાં માત્ર એક જડ જોઇ પણ તેનાં મૂળસુધી ઊંડાં જવાનો તેને સમય ના રહ્યોછેલ્લાં વર્ષોમાં કેન્સરની એક પછી એક શસ્ત્રક્રિયા કરાવીરહેલા ફ્રોઇડ લગભગ છેલ્લા દ્વાર પર પહોંચ્યા હતાપણ પાછા વળી ગયાબધીવૃત્તિઓ-પ્રવૃત્તિઓના મૂળમાં કામવૃત્તિ છે તેવું તેણે કહ્યું હતુંપણ આનું પણ મૂળ છે અને બાબતનો કોઇ અલગ મર્યાદિતરૃપ વિચાર પણ કરી શકાય તેમ નથીહમણાં એક પ્રથમ પંક્તિનાવિજ્ઞાનીએ કહ્યું છે કે, "બહુ  ઘટ રીતે અને બહુ  ખૂબીથી ગૂંથાયેલો  ચંદરવો છેગ્રહો તોઠીક, 'માણસ પણ ઠીક', પણ એક ઝીણામાં ઝીણી હસ્તીનીવસ્તુની પણ અસર છેબધું એકબીજા પર અવલંબે છેઅસર પાડે છેઅસંખ્ય ચક્રો સર્જન-વિસર્જનનાં નિરંતર ચાલ્યા  કરેછેમનથીજ્ઞાનથીસાધનથી માપી ના શકાય તેવું  જે અનંત-વિરાટ તંત્ર ચાલે છેતેની પિછાનમેળવવા પૂર્વના ઋષિ-મુનિઓ પાસે  જવું રહ્યુંબીજા કોઇની પાસે તેની વ્યાખ્યા પણ નહીં જડે. લોકો  બધાને માયા કે લીલા કહેતા હોય તો તે એક વાસ્તવિક વર્ણન છે તેમ એક વિજ્ઞાનીતરીકે મારે કહેવું જોઇએ." અજ્ઞાત મન આપણી અંદર ઇશ્વર કે પરમ શક્તિનું આસન છે તેમસમજીને તેને શુભ વિચારોશુભ સંદેશાઓ-સંકલ્પો આપવા જોઇએ.

No comments: