Saturday, May 28, 2016

જિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ


જિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ
ભૂપત વડોદરિયા



 એક એવા માણસની વાતછે જે એમ માનતો હતો કેપોતે જીવતો જાગતો માણસછે   એનો મોટો હોદ્દો છે.પોતાની જિંદગીની દરેક પળતેણે માણી હતીતદ્દન ગરીબમાણસ હતોપણ તેનેપૈસાની ભૂખ પણ નહોતીઅને તેને મહત્ત્વાકાંક્ષા જેવુંપણ કંઈ નહોતુંતે બરાબરચુંમાળીસ વર્ષ જીવ્યોપણઆટલી ઉંમરમાં પીડા તોપુષ્કળ વેઠી હતીહાડકાંનામાળા જેવો લાગેતબિયતનરમ  રહેતે ક્ષયરોગથીપીડાતો હતોપણ તેને કદી  રોગનો કે મોતનો ડર લાગ્યો નહોતોએને મન જિંદગી એક ઉજાણી હતીદરેકદિવસ તેને માટે ઉત્સવનો દિવસ હતોઆમ જુઓ તો સમાજમાંથી  ફેંકાઈ ગયેલો માણસ હતોઓગણીસમાસૈકાનો  ઊજળો અંગ્રેજ સમાજએમાં આવા ગરીબ અને સાચાદિલ માણસને શું સ્થાન હોય તો એકખાણિયાનો દીકરોમાંડ મેટ્રિક પાસતેની એક  વિશેષતા નજરે ચઢે તેવી હતી કે તે લેખક હતોપણ એકલેખક તરીકે પણ તરત કોઈના મનમાં વસી જાય એવો નહોતોકેમ કેઔદ્યોગિક ક્રાંતિ અને પ્રગતિનીબોલબાલાના  દિવસો હતાત્યારે કોઈ માણસ કુદરતની અને ધરતીની ગોદની કે આકાશની અસીમતાની વાતકરે તો તે જુનવાણી લાગે - રહસ્યવાદી લાગે.

 માણસનું નામ ડેવિડ હરબર્ટ લોરેન્સઘણા બધા લોકો તેને 'લેડી ચેટર્લીઝ લવરનવલકથાના લેખક તરીકે ઓળખે છે નવલકથાને કારણે તે ખૂબ વગોવાયો હતોપણ તેણે  એક  નવલકથા લખી નથીતેણેચુંમાળીસ વર્ષની જિંદગીમાં ઘણી બધી નવલકથાઓ લખીસંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખી અને કવિતાઓ લખી.લેખોની સંખ્યા પણ નાનીસૂની નથીપણ તેને જે ગમ્યું તે તેણે લખ્યુંકોઈને ખુશ કરવા માટે તેણે કશું લખ્યુંનથીતેની એક નવલકથા સૌથી વધુ ચલણમાં છે - 'સન્સ એન્ડ લવર્સ.' 

'લેડી ચેટર્લીઝ લવરતેની છેલ્લીનવલકથાપણ તેને તેની હયાતીમાં કશી કીર્તિ મળી નહોતી કે કશું ધન મળ્યું નહોતુંડેવિડ હરબર્ટ લોરેન્સગરીબી અને માંદગી છતાં ગમે ત્યાં ધરતીનું રૃપ જોવા નીકળી  પડતો હતોજાણે આખી પૃથ્વીને પોતાનીબાથમાં લઈને  જીવવા માગતો હતો

'લેડી ચેટર્લીઝ લવરનવલકથા એણે મધ્ય ઇટાલીના ટસ્કન પ્રદેશનીટેકરીઓમાં બેસીને લખી હતીડી.એચલોરેન્સ .૧૮૮૫માં ૧૧મી સપ્ટેમ્બરે જન્મ્યો હતો અને ..૧૯૩૦ની બીજી માર્ચે મૃત્યુ પામ્યો હતો.

પાઇનના વૃક્ષ નીચે  વાર્તા લખવા બેસતો ત્યારે જાણે સમાધિ લાગી જતીગરોળીઓ એની ઉપર દોડાદોડી,ચડ-ઊતરની રમત માંડેપંખીઓ એની નજીક ઊડ્યા કરે અને કશા  વિક્ષેપનો અનુભવ કર્યા વગર  પોતાનુંલેખન કાર્ય કર્યા કરે.જે રીતે બતક પાણીમાં તરેમાછલી જળક્રીડા કરે અને પંખી ઊડે એટલી સહજતાથી  લખ્યા કરેલેખન એનામાટે એટલું સ્વાભાવિક હતુંપણ તેનો અર્થ  નહીં કે એક કલાકારની કોઈ  સભાનતા વિના જે કોઈ શબ્દ સૂઝેતે લખ્યા કરે તો પોતાનું હૃદય ઠરે એવી અભિવ્યક્તિ સુધી પહોંચવા માટે મથ્યા  કરતોછેલ્લી નવલકથા'લેડી ચેટર્લીઝ લવરતેણે ત્રણ વાર લખી હતી.

ગરીબ હતોકોઈ નોકરી જેવું આવકનું સાધન નહોતુંસમાજમાં કોઈ ખાસ સ્થાન નહોતું કે લેખકની બિરાદરીમાંપણ તેનું કોઈ માન નહોતુંપણ એને  બધાંની જરૃર  ક્યાં હતીએને તો જિંદગીની પ્રત્યેક નાડીનો ધબકારસાંભળવાની અને દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ હતીએને નાની- કોઈ આકાંક્ષાઓ  નહોતી.લોરેન્સ માનતો હતો કેમાણસો ખરેખર જીવતા  નથી અને નાની-મોટી ઝંખનાઓ પાછળ આંધળી દોટ મૂકે છેઅને જીવવાનું  ભૂલી જાય છે.

 પૃથ્વી ઉપર કેટલા બધા મનુષ્યો જીવે છે અને છતાં એમાંથી કેટલા થોડા માણસો ખરેખર જીવે છેમાણસભરપૂર જીવન જીવતો  નથી જિંદગીમાં અનુભવવા જેવું ઘણુંબધું છેપણ લોકો બહુ થોડું  જાણે કેઅનુભવે છેએક નાની કે મોટી નોકરીએક નાનું કે મોટું ઘરઘરમાં એક પત્નીમાણસ એક ચગડોળમાં બેસે છે,બેસી  રહે છેઘરડો થઈ જાય છે અને એક દિવસ  દુનિયા છોડીને ચાલ્યો જાય છેઅસીમ બ્રહ્માંડનાઝાકમઝોળ હિંડોળાનું રૃપ તો તેણે મુદ્દલ જોયું  નથી હોતું પૃથ્વી ઉપર વિસ્મયોની જે એક અનંત દુનિયા છેતેમાંથી પણ તેણે કશું જોયું નથીશુદ્ધ પ્રેમપદાર્થનો પણ કોઈ અનુભવ એણે કર્યો નથી પીડાથી બચીનેજીવવા માગે છે જોખમથી દૂર રહીને ચાલવા માગે છેતે ઉપરછલ્લા આનંદોની વચ્ચે એક સલામત જિંદગીજીવવા માગે છેએને કોઈ કુતૂહલ નથીકોઈ ઉમંગ કે થનગનાટ નથીકોઈ વિસ્મય  નથીએક અનંતગુફામાં વિસ્મયોના ઢેરના ઢેર એની આંખ સામે પડ્યા છે અને તે કશું જોતો નથીતેની પાસે સમય  નથીપોતેજેને પ્રાપ્તિ સમજે છે તેવી પ્રાપ્તિથી 'સંતોષમાને છેજિંદગીની કિંમતી ક્ષણો વટાવીને તેના બદલામાં તે ખોટાસિક્કા કમાય છેપણ  દુનિયામાં   ચલણ માન્ય છે એટલે એનો વહેવાર બરાબર ચાલે છેલોરેન્સ માનેછે કે નાનાં- તમામ પ્રાણીઓનું પોતાનું વિસ્મયભર્યુંરહસ્યભર્યું અસ્તિત્વ છેફક્ત માણસો વિસ્મયની લાગણી ગુમાવી બેઠા છે.

2 comments:

Anonymous said...

દાદાએ જીવન જીવવાની કળા નું સચોટ ઉદાહરણ પૂરું પડ્યું છે. ખરેખર આજે સવારેજ મુંબઈ સમાચાર માં છપાએલ "અધોરીઓ સાથે પાંચ દિવસ" સુરેશ સોમપુરા ની પ્રસ્તાવના ના કેટલાક અંશો અહી રજૂ કરું છુ " સવારે વહેલા ઊઠવાનું. એ જ રોજનો નિત્યક્રમ. ફરવા જવાનું, ચા પીવાની, છાપું વાંચવાનું, જમવાનું, બાળકો સાથે, પત્ની સાથે વાતો અને ચોક્કસ ગાડી યા બસ પકડવાની. પરિચિત ચહેરાઓની પરિચિત વાતો સાંભળ્યા કરવાની. એકાદ ઝોકું ખાઇને ટ્રેનમાંથી ઊતરવાનું અને સંત સરવરના પરબમાંથી ઠંડું પાણી પીને લિફ્ટમાં બેસી ઑફિસે પહોંચવાનું. ડહોળાયેલા રાજકારણની ડહોળાયેલી ચર્ચા, મોંઘવારીની ફરિયાદો, ફરિયાદોની ફરિયાદો અને રોજેરોજ એ જ જોક્સ, હવાઇ ગયેલી વાતો અને ખોટેખોટું હસવાનું અને જેને મળવા ઇચ્છતા ન હોઇએ તેવાને પણ ગંભીર થઇને કહેવાનું : ‘ઘણે દિવસે મળ્યા!" આ પ્રમાણે તેમણે માનવ જીવનની દૈનિક જીવન નું વર્ણન કર્યું છે ખરેખર દુનિયા માં જાણવા જેવુ છે

રાજેશ ઠાકર (writer/blogger)

Sahdevsinh Chauhan said...

તમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્લોગ લખવાની શરૂઆત કરી છે . આ મારી બ્લોગ નિ લિંક છે.