Gujarati Literature - Bhupatbhai Vadodaria's Column presented by Ilaxi
Friday, July 27, 2007
પુરુષાર્થ જ છેવટે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે
- ભુપતભાઇ વડોદરિયા
આપણે મોટાભાગે પરીક્ષામાં પાસ-નાપાસના આધારે વિદ્યાનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે જોવું છે કે માણસ માત્ર મેટ્રીક પાસ હોય પણ એણે ગ્રેજ્યુએટ પણ બાજુએ રહી જાય એવી વિદ્યા સંપન્ન કરી હોય. દેશના નેતાઓ પર નજર કરીએ તો એ લોકોએ ભણવામાં મોટી સિદ્ધિ મેળવી ન હતી. પણ જિંદગીની પરીક્ષામાં કોઈપણ ડિગ્રીને આંટી દે તેવી વિદ્યા હાંસલ કરી હતી.
મહત્ત્વ ડિગ્રીનું નથી પણ વિદ્યાને માટે તમે શું પ્રાપ્ત કર્યું તેનું છે. માણસ ખૂબ ઓછી ડિગ્રી ધરાવતો હોય પણ એનો પોતાનો જ્ઞાનનો કોશ બહુ વિશેષ હોય એમ બને છે. દુનિયાના મોટા માણસો માત્ર ડિગ્રીના આધારે નહીં પણ તેમણે જાતે જે વિદ્યા પ્રાપ્ત કરી તેના આધારે આગળ વધ્યા. મહાત્મા ગાંધી કોલેજની દૃષ્ટિએ બહુ બાહોશ વિદ્યાર્થી ન હતા. પણ એમણે જિંદગીની કિતાબમાંથી જે સંપન્ન કર્યું એ કોઈપણ ડિગ્રીને ટપી જાય એવું હતું.
આપણા દેશના મોટા નેતાઓએ જે કાંઈ હાંસલ કર્યુ એ એમની પોતાની સંપત્તિ હતી, નહી કે કોઈ કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રીના આધારે હતી. એમણે ડિગ્રી માટે શું કર્યુ એ મહત્ત્વનું નથી. પણ તેમણે જીવનની ખુલ્લી કિતાબમાંથી કેટલું ગ્રહણ કર્યુ તે જ મહત્ત્વનું છે.
માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પણ મોટા માણસોની સિદ્ધિઓ ડિગ્રી આધારિત ન હતી, તેઓ સામાન્ય કક્ષાના વિદ્યાર્થી હતા. બ્રિટનના મહાન વડાપ્રધાન સ્વ. વિન્સ્ટન ચર્ચિલનો દાખલો આનું એક સારું ઉદાહરણ છે. તેઓ શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન કંઈ બાહોશ વિદ્યાર્થી હોય તેમ બહાર આવ્યું ન હતું. હકિકતે તેઓએ પોતે કબૂલ્યું છે કે તેઓ છેલ્લી પાટલી પર બેસનારા વિદ્યાર્થી હતા અને તેથી જ તેઓ વડાપ્રધાન બન્યા પછી જ્યારે એક શાળાની મુલાકાતે ગયા ત્યારે તેમણે વર્ગની મુલાકાત લીધી. તેમણે પ્રથમ પાટલી પર બેઠેલાને બદલે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કરીને કહ્યું ઃ હું પણ તારી જેમ છેલ્લી પાટલી પર જ બેસતો હતો.
જિંદગીની કિતાબમાં કોઈ મહત્ત્વની ડિગ્રીઓ ન હોવા છતાં સિદ્ધિના સોપાનો સર કરનારા આપણા દેશમાં પણ અનેક પડેલ છે. સ્વ. નાનજી કાળીદાસ અને સ્વ.ધીરુભાઈ અંબાણી આના ઉત્તમ ઉદાહરણો છે. નાનજીભાઈ પાસે કોઈ મહત્ત્વની ડિગ્રી ન હતી. વળી તેઓ કોઈ મોટા શહેરમાં પણ ન હતા અને તેથી સવલતો પણ મેળવી શક્યા ન હતા. છતાં સ્વબળે આગળ વધ્યા, વિદેશ ગયા, સંપતિ અર્થ અને અનેકને પોતાના કાર્યમાં સામેલ કર્યા.
આ જ રીતે સ્વ. ધીરુભાઈ અંબાણી પણ એક સામાન્ય શિક્ષકના પુત્ર હતા. મેટ્રીકમાં નપાસ થયા હતા. શાળાના અભ્યાસમાં તેઓ ખાસ કંઈ બાહોશ ન હતા. તેઓનું ગણિત પણ કાચું હતું. છતાં કમાવા માટે વિદેશ ગયા અને પેટ્રોલપંપ પર નોકરી કરતાં કરતાં આગળ વધ્યા અને ભારતમાં આવી પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો અને સ્વબળે અબજોપતિ બન્યા. તેઓએ પોતાને મળેલા ઓછા શિક્ષણને ક્યારેય દોષ ન દીધો પણ પોતાની કાબેલિયતથી આગળ વધ્યા.
જીવનમાં દરેકને માટે આ એક વાસ્તવિક્તા છે. પાંચે આંગળીઓ સરખી નથી. તે જ રીતે તમામ બાળકો કે કિશોરો ભણવામાં સરખાં પરિણામો હાંસલ કરી શકતાં નથી. કોઈ કોઈ પ્રથમ હરોળમાં સફળ બને છે તો કોઈ કોઈ નિષ્ફળ પણ રહે છે અને ડિગ્રી પણ મેળવી શક્તા નથી. પરંતુ તેથી જિંદગીના મેદાનમાં હતાશ થવાની જરૃર હોતી નથી. ભણતરમાં સફળ રહી ડિગ્રી માત્ર મેળવવાથી જ જિંદગીની કૂચ પૂર્ણ થતી નથી. તેથી ઊલટું શાળા કે કોલેજની પરીક્ષામાં નિષ્ફળ રહી, ડિગ્રી ન મેળવી શકવાથી કાંઈ જીવનની યાત્રા પૂર્ણ થઈ જતી નથી. પરીક્ષામાં પાસ કે નપાસ એ જીવનની સંઘર્ષયાત્રાનું પ્રથમ સોપાન છે અને તેથી જ બીજા સોપાનો સર કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.વિશ્વના મહાન નેતાઓએ પોતાના જીવન દ્વારા એ હકિકત સાબિત કરી છે કે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી, શિક્ષણ, ડિગ્રી હોય કે ન હોય પુરુષાર્થ જ છેવટે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે. ભાગ્યને સહારે બેસી ન રહેતાં કર્મનો જ આધાર જીવનમાં સફળતાની ચાવી બને છે.
Tuesday, June 26, 2007
જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો
- ભુપતભાઇ વડોદરિયા
મોટી ઉંમરે માણસને સૌથી નડતી સમસ્યા છે હવે કરવું શું? માંદા થઇને પથારીમાં પડી રહેવું કે નિરોગી જીવન જીવવું? માંદગી હોય તો પણ શું સક્રિય રહી જીવન સાર્થક ન કરી શકાય? હકીકત એ છે કે સામાન્ય રીતે માણસો ઉંમર વધવાની સાથે મોટાભાગે મનથી જ હારી જતાં હોય છે. એકવાર મનથી હારી જાય પછી ખરેખર જીત પણ પિછાની શકતો નથી.
મોટી ઉંમરે પણ માણસે સંતોષ થાય અને જીવન સાર્થક થાય તેવું કાર્યક્ષેત્ર શોધી કાઢવું જોઇએ. પછી એમાં ગૂંથાઇ જવું જોઇએ. મુખ્ય વાત પ્રવૃત્તિની છે. માત્ર રોજી-રોટીની જ પ્રવૃત્તિ રહેવી ન જોઇએ. જેમના જીવનમાં કાર્યપદ્ધતિનો ગુંજારવ ચાલુ રહે છે ત્યાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક મધ નિપજ્યા વગર રહેતું નથી. જેઓ કાંઇ કરતાં નથી તેઓ વહેલા થાકીને બેસી જાય છે.
ઘણા બધા માણસો પોતાની નિષ્ક્રિયતા અગર અલ્પ પ્રવૃત્તિનો બચાવ કરતાં કહેશે કે, સાહેબ, આવડત તો એટલી બધી છે. કામ કરવું પણ એટલું બધું ગમે છે. પણ અત્યારે કાંઇ કરી શકતો નથી, કેમ કે પત્ની બીમાર છે. આવા માણસોને પૂછીએ કે ખરેખર પત્ની બીમાર છે તો તમે રસોઇ બનાવતાં શીખી ગયા? શું બધાંને રસોઇ કરી જમાડો છો? શું તમે ઘર સંભાળો છો? શું તમે પત્નીની ચાકરી કરો છો? આવા પ્રશ્નોનો જવાબ કાં તો ના કહેશે કે કાં હા- ના જેવો હશે.
વાસ્તવિકતા એ છે કે કેટલાક કિસ્સામાં આવાં કારણો સાચાં હશે, પણ મોટા ભાગના કિસ્સામાં સાચાં કારણો માણસે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ‘હેંગર’ તરીકે લટકાવવા રાખેલાં હોય છે. અરે, ઑફિસે મોડો પહોંચનાર પણ ઘેર માંદગીનું બહાનું આગળ કરે છે. મોટાભાગના માણસો આવાં નાનાં- મોટાં બહાનાંનો મોટો પડદો તૈયાર રાખે છે અને તેની પાછળ ઘણીબધી નિષ્ક્રિયતા અને આળસ ઢાંકે છે.
૫૫ થી ૬૦ વર્ષની ઉંમરના માણસોને તમે ‘પેંશનર્સ પેરેડાઇઝ’ના ઓટલે વાતોના ગપાટાં મારતાં જુઓ ત્યારે થાય કે આ બધાં કેમ આવી રીતે બેસી ગયા હશે? તેમનો દીકરો ડૉક્ટર કે એન્જિનિયર, સરકારી અમલદાર કે ખાનગી કંપનીમાં સીઇઓ હોય તે સારી વાત છે. પણ તેથી તેમણે બેસી જવાને બદલે પ્રવૃત્તિની નવી દિશા પકડવી જોઇએ. સામાજિક સેવાનું પારાવાર કામ પડયું છે. આવો એક માણસ મેં જોયો હતો બહુ ભણેલો ન હતો, પણ એણે એક કામ ઉપાડી લીધેલું જેમને ઘેર મરણ થયું હોય ત્યાં સ્મશાનઘાટ સુધી મદદરૂપ થવાનું. આમાં કોઇ કમાણી ન હતી, રડનારનાં આંસુ લૂછવાની વાત હતી. સમાજને ઉપયોગી થવાં આવા નાનાં- મોટાં લાખ કામ રાહ જોઇને પડયાં છે. માણસ ઇચ્છે તો તેને ઘડીકે નવરા થવું ના પડે એટલું કામ છે.
આવું મૂંગું કામ કરવાને બદલે માણસ અત્યારે મોટા પાટિયાં મારીને આળસને લાડ લડાવતી કલબ- પ્રવૃત્તિમાં ડૂબી જવાનું પસંદ કરે છે અને તેમ ન હોય તો પોતાની નિષ્ક્રિયતાને ધાર્મિકતાનો કેસરી સાફો બાંધી દે છે. સંસારમાં આટલા બધા માણસો નાની- મોટી વેદનામાં પીડાતા, પીસાતા હોય છે. કોઇની મદદથી હાથ લાંબો થતો જોવા ઇચ્છે છે. આવા વખતે ઈશ્વરના નામે નિવૃત્તિની પછેડી ઓઢી લેવાનું કેટલું શોભાસ્પદ બને?
તમારી ઉંમર ગમે તે હોય, તમારી તબિયત ગમે તેવી હોય, પરંતુ મનથી હારી ન જાવ અને જીવન ફરીથી જીવવાનું શરૂ કરો. મોડું થતું નથી હોતું. કોઇક મનપસંદ કામ કરીને તેનો યજ્ઞ આરંભી દો. મોતની કોઇને ખબર નથી. એ ક્યારે, કેવી રીતે આવશે તેની કોઇને ખબર નથી. જેના આવવાનો સમય નક્કી નથી તેની રાહ જોઇ સમય ન બગાડો, જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો. જે તમારી નજર સમક્ષ છે તે જીવનને જીવવાનું શરૂ કરો, જેમ જિંદગીમાં નિર્ભેળ સુખ કે દુઃખ જેવું નથી. તેમ જીત કે હાર પણ સ્પષ્ટ નથી. મૃત્યુની રાહ ન જુઓ. નક્કી કરો કે એ આવશે ત્યારે હું સૂતો તો નહીં જ હોઉં!
( ભુપતભાઇના લેખ સમભાવ મેટ્રો, અભિયાન, જનસત્તા, સઁદેશ, દિવ્ય ભાસ્કર, વિગેરેમાઁ છ્પાય છે. )
************
એક જમાનામાઁ ભાઇના લેખ ગુજરાત સમાચારમાઁ આવતા. ત્યારે, હુઁ તેનો સઁગ્રહ એક લેખકની પ્રસઁશક તરીકે કરતી. તેઓ તેમાઁ લગ્ન મઁગળ લખતા. પછી સમય જતા, ભાઇના સઁબઁધી થવાનો અવસર પ્રાપ્ત થયો અને આજે ફરી એક પ્રસઁશક (ફેન) તરીકે નેટ પર મને ગમતા લેખોનો સઁગ્રહ કરુઁ છુ. ભાઇને જયારે આ વાત કરી કે મેઁ તમારો બ્લોગ બનાવ્યો છે તો તેમને ઘણી ખુશી થઇ અને કહે કે સરસ, જ્ઞાન સદા વહેઁચતા રહેવુ.
- ઇલાક્ષી પટેલ
Wednesday, June 13, 2007
સત્યની બોલબાલા કે જુઠ ફરેબની દુનિયા
- ભુપતભાઇ વડોદરિયા
સુભાષિતમાઁ એવુઁ કહેવામાઁ આવે છે કે સત્યનો જય થાય છે ને પાપીને દઁડ થાય છે, પણ આપણે સગી આઁખે જોઇએ છીએકે સત્યની બોલબાલા નહીઁ પણ જૂઠની બોલબાલા છે. ઇશ્ર્વરના નામે લોકો અનેક જૂઠાણાઁ ચલાવે છે. પણ આવા લોકોને તે શિક્ષા કરે છે તેવુઁ જોવા મળતુઁ નથી.
એક મિત્રે કહ્યુઁ, “મને હવે કોઇનો ભરોસો કરવા જેવુઁ લાગતુઁ નથી. મને મારી જાતનો પણ વિશ્વાસ નથી. લોકો કહે છે કે ઇશ્વરનો ભરોસો કરો, પણ મને ઇશ્વરનો ભરોસો પણ કરવો ગમતો નથી. મને કોઇનો વિશ્વાસ કરવા જેવુઁ લાગતુઁ નથી. મેઁ જોયુઁ છે કે કોઇનો વિશ્વાસ કરવો એ છેતરપિઁડીનો ભોગ બનવા જેવુઁ છે. લોકો કહે છે કે ઇશ્વર સત્યના પડખે છે, પણ મને લાગે છે કે આ કળિયુગમાઁ ઇશ્વર પણ પૈસાદારોના પડખેજ છે. તેના પગમાઁ પૈસા મૂકે એની ઉપર એ મહેરબાન? આ લાઁચરુશવત નહી તો બીજુઁ શુઁ? કળિયુગમાઁ ઇશ્વર પણ ભ્રષ્ટાચારીઓનો જ છે. સાચુઁ કહો તોઅ ગરીબનુઁ કોઇ નથી અને આ કળિયુગમાઁ સાચુઁ બોલનારની પણ કોઇ કિઁમત નથી. ઇશ્વરના નામે લોકો પોતાના સ્વાર્થ માટે હળહળતુઁ જૂઠાણુઁ બોલે છે. જ્યાઁ ને ત્યાઁ પૈસાનુઁ જ ચલણ છે. સત્યની કે ન્યાયની કોઇ કિઁમત નથી. નમ્યા તે પ્રભુને ગમ્યા એમ કહેવામા આવે છે. આ સઁસારમાઁ જ્યાઁ ન્યાય જેવુઁ તો કાઁઇ જ નથી તો પ્રભુ કોના પક્ષે તેમ માનવુઁ? જે લોકો તેનાઁ ચરણમાઁ પૈસા મુકે તેના પર તે મહેરબાન, પણ તે પૈસા કઇ રીતે ને ક્યાઁથી મેળ્વયા તેનુઁ મહત્વ નથી! સુભાષિતમા એવુઁ કહેવામાઁ આવે છે કે સત્યનો જય થાય છે ને પાપીને દઁડ થાય છે, પણ આપણે સગી આઁખે જોઇએ છીએ કે સત્યની બોલબાલા નહીઁ પણ જૂઠની બોલબાલા છે. ઇશ્વરના નામે લોકો અનેક જૂઠાણાઁ ચલાવે છે પણ આવા લોકોને તે શિક્ષા કરે છે તે જોવા મળતુઁ નથી. આ તો મારે તેની તલવાર એવોજ ઘાટ છે. લોકો ઇશ્વરના નામે સોગઁદ લે છે, પણ એના નામે જૂઠુઁ બોલનારને કોઇ દઁડ દેતુઁ હોય એવુઁ તો દેખાતુઁ નથી.
પ્રશ્ન એ છે કે માણસે કોનો વિશ્વાસ કરવો? સત્યનો વિશ્વાસ, ઇશ્વરનો વિશ્વાસ? પણ અત્યારે તોઅ વિશ્વાસ કરવા જેવુઁ કશુઁ રહ્યુઁ જ નથી. પિતા સગા પુત્રનો વિશ્વાસ કરતો નથી. પતિને પત્નિમાઁ વિશ્વાસ નથી. આમ જુઓ તોઅ કોઇ કોઇનો વિશ્વાસ કરતુઁ જ નથી. સોગઁદ આપીને સાચુઁ બોલાવવાની કોશિશ થાય છે, પણ બધાઁ જ જૂઠાણાઁ સાચુઁ બોલવાના સોગઁદને નામે જ થાય છે. પ્રશ્ન એ છે કે માણસે કોના ભરોસે જીવવુઁ? શા માટે જીવવુઁ? એવુઁ લાગે છે કે જુઠાણાઁના બજારમાઁ આપણે સત્ય શોધવા નીકળયા છીએ. સત્ય એટલે શુઁ? દરેક માણસ સત્ય પોતના પક્ષે હોવાનો દાવો કરે છે. સાચુઁ કે ખોટુઁ એની છેલ્લી પરીક્ષા કોણ કરે? આપણે કહીએ છીએ કે સત્યને પક્ષે પ્રભુ છે, પણ જીવનમાઁ એવુઁ જોવામાઁ આવે છે કે જૂઠુઁ બોલનાર જીતે છે અને સાચુઁ બોલનાર દઁડનો ભોગ બને છે એટલે કોઇ વાર પ્રશ્ન થાય કે છેવટે ન્યાય કોને પક્ષે છે?
વાસ્તવિકતા એ છે કે જિઁદગીમાઁ નિર્ભેળ સત્ય કે નિર્ભેળ અસત્ય જેવુઁ હોતુઁ નથી. સઁપૂર્ણ વિશ્વાસ કે સઁપૂર્ણ અવિશ્વાસ જેવુઁ પણ હોતુઁ નથી. જિઁદગીમાઁ આખરે તો કોઇ ને કોઇના પર તો વિશ્વાસ મુકવોજ પડે છે. પિતા પુત્ર પર વિશ્વાસ ન મૂકે તોઅ તે પોતાના મિત્ર પર મૂકે છે. પતિ પત્નિ પર ન મૂકે તોઅ પોતાના સઁતાન પર મૂકે છે. વેપારી પોતાના પુત્ર પર ન મુકે તો મેનેજર પર વિશ્વાસ મૂકે છે. વિશ્વાસ મૂક્યા વગર જીવવુઁ અસઁભવ છે. આખરે આટલી મોટી દુનિયામાઁ દરેકને કોઇને કોઇના ઉપર વિશ્વાસ મૂકવોજ પડે છે, આવા વિશ્વાસ કે શ્રધાનુઁ સ્થાન ઇશ્વર હોય, સત્ય હોય, પિતા હોય, પુત્ર હોય, પતિ હોય કે મિત્ર હોય - વિશ્વાસ એ જીવનમાઁ અનિવાર્ય વાસ્તવિકતા છે. કોઇ એક વાર એકને હાથે વિશ્વાસભઁગને કારણે મુશ્કેલી ઉભી થાય તેથી જીવનભર અન્ય કોઇનામાઁ પણ વિશ્વાસ ન મૂકવો તેવુઁ વલણ યોગ્ય અને વ્યવહારુ નથી.
************
- ઇલાક્ષી પટેલ
Sunday, May 27, 2007
જે થાય તે સારા માટે જ હોય છે
- ભુપતભાઇ વડોદરિયા
દુનિયા માણસને ડગલે ને પગલે મહેણાઁ મારે છે. માણસે એ મહેણામાઁથી પડકાર ઉપાડી લઇને પરાક્રમનો પઁથ કઁડારી કાઢવો જોઇએ. મહેણાનો જવાબ વળતુઁ મહેણુઁ નથી. મહેણાનો જવાબ છે પ્રતિજ્ઞા અને પરાક્રમ. રાજાના ખોળામાઁ બેસવા માટે તારે કુખે જનમ લેવો પડશે એવુઁ મહેણુઁ અપરમાતાએ માર્યુઁ ત્યારે રાજકુમાર ધ્રુવ તપ કરવા ચાલી નીક્ળ્યા. કોઇક આપણને મહેણુઁ મારે છે ત્યારે આપણે તેનો જવાબમાઁ વધુ કડવાઁ વેણ ઉચ્ચારીને હૈયાની બળતરા ઠારીએ છીએ. મહેણુઁ મારનારને મનમાઁ ને મનમાઁ શાપ આપીએ છીએ અને તેનુઁ કડવુઁ વચન કડવાશરૂપે મનમાઁ સઁઘરીએ છીએ. પણ દુનિયામાઁ એવા માણસો હોય છે જેઓ આ મહેણાને વિધિનો સઁકેત ગણીને કોઇની પ્રત્યે કશી કડવાશ રાખ્યા વિના તપ કે તપશ્ર્યાના માર્ગે નીકળી પડે છે.
નાની મોરીસ મોટર બનાવનારો મોરીસ મોટરની એક મોટી ફેક્ટરીમાઁ કારીગર હતો. મોરીસ ભારે બાહોશ મિકેનિક. એક વાર કારખાના પર મોડો પહોઁચ્યો - જોગાનુજોગ કારખાનાના માલિક મુલાકાતે આવેલા અને મોડા પડેલા મોરીસ પર તેમની નજર પડી. માલિકને મોરીસની હોશિયારીની ખબર હતી પણ શેઠ તે શેઠ! શેઠે કહ્યુઁ કે ઠીક પડે ત્યારે ફેકટરી ઉપર આવવુઁ હોય અને ઠીક પડે ત્યારે જવુઁ હોય તો જાતે જ માલિક થવુઁ. નોકરે તો કારખાનાનો સમય સાચવવોજ જોઇએ!
મોરીસને એ મહેણુઁ હાડોહાડ વાગ્યુઁ. તેણે નોકરીને સલામ કરી અને જાતે મોટર બનાવીને જઁપ્યો અને એક નામ ઉભુઁ કરી ગયો. મોરીસ એ મહેણુઁ ખાઇને બીજા દિવસે શેઠની માફી માગીને કામ પર ચઢી જઇ શક્યો હોત. અગર એ મહેણુઁ પોતાના મર્મમાઁ ઝીલ્યા વગર તેને શેઠની સખતાઇઅ ગણીને બીજે ક્યાઁક કામે પણ લાગી જઇ શક્યો હોત. પણ એણે તો મહેણાને માથાના સાફાના છોગાની જેમ આગળ કર્યુ. એ મહેણાના ઢાળિયામાઁ એણે પ્રતિજ્ઞાનુઁ સીસુઁ પુર્યુ અને પોતાની જિઁદગી બદલી નાખી. દુનિયા માણસને ડગલે ને પગલે મહેણાઁ મારે છે. માણસે એ મહેણાઁમાઁથી પડકાર ઉપાડી લઇને પરાક્રમનો પઁથ કઁડારી કાઢવો જોઇએ. મહેણાનો જવાબ વળતુઁ મહેણુઁ નથી. મહેણાનો જવાબ છે પ્રતિજ્ઞા અને પરાક્રમ.
આજકાલ આપણે એટલી બધી આક્ષેપબાજીથી ટેવાઇ ગયા છીએ કે આપણે કોઇ સચોટ મહેણાને પણ બહુ ગઁભીર રીતે લેતા નથી. આક્ષેપ કે મહેણાથી ઉશ્કેરાઇ ના જવુઁ તે સારી વાત છે - આપણામાઁ આવી સહિષ્ણતા હોય તે સાચી સ્વસ્થતાની નિશાની છે. પણ આપણી જાતે વિચારવા જેવુઁ એટલુઁ જકે બધુઁ કેમ મુદલ વાગતુઁ નથી? તેજ અશ્વને સહજે ચાબુક અડે અને તેની જે અસર થાય એવી અસર આપણા મન પર કેમ થતી નથી? મહેણાઁનો માર કેમ આપણે મૂઁગા મૂઁગા ખાઇ લઇએ છીએ? પ્રશઁસાના વેણમાઁ એક મીઠાશ છે, ગળપણ છે. તેની પણ માણસને જરૂર તો છે જ, પણ એકલી મીઠાશ તબિયત માટે સારી નહિ. જુના દિવસોમાઁ બાળકને એક યા બીજા નિમિત્તે કડવાશ જ આપવામાઁ આવતી - કડવાશ પેટનાઁ જઁતુઓને મારે છે, અને બાળકને નીરોગી રાખે છે.
આપણે દઁભ કરતા હોઇએ તોજ આપણી જીભમાઁથી એકલાઁ મધુર વચનો નીકળી શકે. મહાત્માઓ, અલબત્ત, અપવાદ ગણાય. બાકી અપણે માણસ છીએ એટલે આપણી જીભેથી કાઁઇક ને કાઁઇક કડવુઁ નીકળી પડવાનુઁ. પણ કડવાશમાઁ ડઁખ કે દ્વેષ ના હોવો જોઇએ એટલી તકેદારી રાખવી જોઇએ. કોઇ મહેણુઁ મારે, કડવુઁ વેણ કહે, શિક્ષા જેવો આદેશ સઁભળાવે ત્યારે એમાઁ આપણા માટે કાઁઇક ગુણકારી છે કે નહિ તે જોજો. તેમાઁ આવો સાર હોય તોઅ તે લઇ લેવો અને એને પચાવવો. બાકી તેને શબ્દોની લખોટી ગણીને લખોટીની રમતમાઁ પડી ના જવુઁ. કડવાબોલી માવડી, મીઠાઁબોલાઁ લોક માઁ થી એટલુઁ તો સમજાય છે કે જેના હૈયે આપણુઁ હિત હોય તે જ કડવો ઘુઁટડો પાય - જે કોઇ કડવો ઘુઁટડો પાય તેના હૈયામાઁ પણ કદાચ કુદરતે આપણુઁ હિત જ તે વ્યક્તિની પણ જાણ બહાર મૂક્યુઁ હશે તેમ માનવુઁ શુઁ ખોટુઁ છે?
************
અમારા પટેલ માટે કહેવાય છે કે જીભ કુહાડી જેમ ધારદાર હોય છે - પણ ભાઇ જેમ કહે છે, જાણે અજાણે જ્યારે કડવા વહેણ નીકળે છે તે ઘણી વખત સામેની વ્યક્તિ માટે સારા માટે હોય છે. પોસીટીવ અને નેગેટીવ જે રીતે લઇએ પરઁતુ તે શબ્દોની અસર તો થતીજ હોય છે કારણ કે દરેક માનવી ખુદ એક સામાન્ય લાગણીપ્રધાન હોય છે. પરઁતુ જ્યારે કોઇ કડવા વેણ કહે, આક્રોશ કાઢે ત્યારે તેમાઁ આપણુઁ હિત હોય છે અને ખરેખર જોવા જઇએ તો કડવા વચન કહેનાર પણ તેનો આક્રોશ કાઢે છે અને ત્યારે તેના પ્રમાણે તે સાચુઁ બોલી નાખે છે જે આપણને હૈયામાઁ લાગી આવે છે. કડવા ઘુઁટ પીવા સહેલા નથી પણ વિચારી જોઇએ તો ઘણી વખત આપણુ હિત તેમાઁ હોય છે. જે થાય તે સારા માટે જ હોય છે - એમ સમજીને ચાલવુ.
- ઇલાક્ષી પટેલ
Thursday, May 17, 2007
પુસ્તક
- ભુપતભાઇ
છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે! પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી! ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો?
જે જુવાનને મનગમતાઁ પુસ્તકો વસાવવાની પોતાની અશક્તિ માટે લાગી આવ્યઁ હતુઁ એ જુવાન સાથે ઘણી બધી વાતો નીકળી. એમાઁથી એવુઁ સમજાયુઁ કે, પુસ્તકની વાત તો ઠીક છે, ઘણી બધી આવી બાબતોમાઁ જુવાન માણસને કશીક જરૂરી અને ઉપકારક સાધનસામગ્રીથી વઁચિત રહી ગયાની લાગણી થયા કરતી હોય છે. આ લાગણી એના અઁતરને પીડ્યા કરે છે. વઁચિત રહી ગયાની લાગણી એટલી તીવ્ર હોય છે અને એટલી નકારત્મક અસર કરે છે કે એક પછી એક વસ્તુઓ તેમની નજર સામે પસાર થઇ જાય છે. એ વ્યક્તિ એ કારવાઁને જોયા કરે છે, પણ કશુઁ ઝડપી લેવા તત્પર બનતી નથી! રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે? એ તો કોઇ વિધિમાઁ ભાગ લઇ શકે નહિ. ગઁગાના કિનારે રામક્રૂષ્ણે માત્ર જળથી અઁજલી આપવાનુઁ વિચાર્યુ પણ આઁગળીઓ જકડાઇ ગઇ. જલની અઁજલિ પણ આપી ન શક્યા. રામક્રૂષ્ણથી રડી પડાયુઁ. કોઇ પણ ઉમરે માતા જાય ત્યારે માણસનુઁ હ્રદય રડ્યા વગર રહી ન શકે. રામક્રૂષ્ણ સાચુકલા માણસ હતા. એમણે બતાવ્યુઁ છે કે માણસની અઁદર જ પુસ્તકોનાઁ પુસ્તકો હોઇ શકે છે.
છેવટે માણસ પુસ્તક તરફ કેમ આટલો બધો ઉમટે છે? કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે? તોઅ માણસ જવાબમાઁ કહી શકે છે કે આ ચોપડી આપ નામદાર વાઁચી લો, તેમાઁ મારી બધી વાત આવી ગઇ છે. આવોજ અભિપ્રાય દોસ્તોવ્સીની મહાન નવલ કથા બ્રધર્સ કરામઝોવ માટે આપવામાઁ અવ્યો છે. વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇંસ્ટાઇને આ નવલકથા માટે એવુઁ કહ્યુઁ છે કે, કોઇ વૈજ્ઞાનિક ચિઁતક પાસેથી મને જે કાઁઇ મળે તેનાથી વધુ મને દોસ્તોવ્સ્કી પાસેથી મળ્યુઁ છે. પુસ્તકની ખરેખરી પ્યાસ જાગે છે ત્યારે તે ગમે ત્યાઁથી મળી જાય છે. આઇંસ્ટાઇન વાળ ન કપાવે, પણ પુસ્તક મેળવી લે અને લિઁકન સારાઁ કપડાઁ ન પહેરે, પણ પુસ્તક માટે પૈસા ખર્ચે.
છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ કરી શકે છે. તે માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત નક્કી કરવાની છે.
***********
પુસ્તકો પર ભાઇનો આ લેખ એક વાત નુ જરૂર સુચન કરે છે કે મન હોય તો માનવી કોઇ પણ રીતે પુસ્તક મેળવીને વાઁચે છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. મારુ પુસ્તક ગાર્ડિયન ઓફ એંજલ્સ જ્યારે ઇનટરનેશનલી લૌંચ થયુઁ ત્યારે મને ખુબજ આનઁદ હતો કે હવે મારા બધા મિત્ર, સ્નેહિઓ અને સગા દુનિયાના કોઇ પણ છેડે હોય તો તે વાઁચી શકશે. ખરેખર એવુઁ બન્યુઁ કે જ્યારે મારા પબ્લિશરે થોડી કોપી મોકલાવી તે મેઁ મારા નજદિકના મિત્રોને ભેટ આપી અને તેનો અભિપ્રાય આપવા જણાવ્યુઁ. મહિના પછી તેઓને પુછતા એક બે બાકાત કરતા સર્વે જવાબ આપ્યો કે સમયજ નથી મળ્યો એક પાનુઁ ખોલવાનો પણ! અનેક ચીજ વસ્તુઓ ખરીદી શકે પણ પુસ્તક માટે એવુ નથી હોતુ. જે પુસ્તક અહી દેશમાઁ અવૈલેબલ નથી તે ફ્ક્ત ઇંટર્નેશલ વેબ્સાઇટ અને બૂકસ્ટોરમાઁ મળે છે, તે પુસ્તક ગાર્ડિયન ઓફ એંજલસ ના આજ સુધીના ખરીદનાર માત્ર મારા ધોરીયા મિત્રો છે! કહેવાનો મર્મ એટલો કે પુસ્તક વાઁચવાની આદત હોતી નથી અને આદત હોય તો પોતાના ઓળખીતા લેખકનુઁ મહત્વ હોતુઁ નથી. ભાઇના અનેક પુસ્તકો તેમણે ઘણાને આપ્યા પણ મને અનુમાન છે કે ભાઇની ચોપડીઓ જે ખરીદીને વાઁચે છે તે ભેટ મેળવેલી વઁચાતી નથી. પુસ્તકની પ્રત્યે ચાહ અને પ્યાસ જાગે તે જ અગત્યનુઁ છે. ખુદ વાઁચો અને બાળકોને પણ વાઁચન પ્રત્યે એંકરેજ કરવુ જરૂરી છે.
- ઇલાક્ષી પટેલ
Author: Guardian of Angels: A Practical guide to Joyful Parenting
Now, also available at Google Books! Find more Book links at kidsfreesouls.com
Wednesday, April 11, 2007
ઉત્તર ગુજરાત રત્ન: વસઁત પરીખ
આપણે ત્યાઁ માણસ જાહેરજીવનના રાજકારણ સિવાયના કોઇ પણ ક્ષેત્રે ભલે મોભાદાર સ્થાન ધરાવતો હોય યા તે ક્ષેત્રમાઁ તેની ઉલ્લેખનીય કામગીરી હોય છતાઁ જો તે ચાલુ મઁત્રી કે મુખ્યમઁત્રી, પૂર્વ મુખ્યમઁત્રી ન હોય તો એના અવસાન સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાઁ આવતુઁ નથી. જો કે આવા માણસોને જનતાનુઁ ઓનર એટ્લુ બધુ મળે છે કે તેને સરકારી ગાર્ડ ઓફ ઓનરની જરુર પડતી નથી. પરઁતુ સરકારમાઁ અમુક નિર્ણય સારા લેવાતા હોય છે. થોડા સમય પહેલા, કે.કા.શાસ્ત્રી અને તાજેતરમાઁ વસઁત પરીખને આવુ ગાર્ડ ઓફ ઓનર અપાયુ તે એક સરકારનુ યોગ્ય પગલુ કહેવાય.
કે.કા.શાસ્ત્રી વિષ્વ હિઁદુ પરિષદ સાથે સઁકળાયેલા હતા અને ડો. વસઁત પરીખ અમારા ગામના - એટલેકે વડનગરના અને જે ગામ મુખ્યમઁત્રી નરેન્દ્ર મોદીનુઁ પણ ગામ અને તેથી કહી શકાયકે આવુ માન સરળતાથી મળી શકે પરઁતુ જો આવી પ્રણાલીકા ચાલુ રહે તો અનેક જનહીતમા સઁકળાયેલા લોકોને માન આપી પ્રોત્સાહીત કરી શકાય. રાજકારણ સિવાય ક્યારેય ચુઁટણી ના ચુઁટાયા હોય પણ લોક્સેવા તે ધર્મ સમજીને આખી જીદગી પસાર કરનાર અનેક સારા માણસોને પણ ગાર્ડ ઓફ ઓનર મળવુઁ જોઇએ.
79 વર્ષની વયે વસઁતભાઇએ ચિર વિદાય લીધી અને ભાવી પેઢી ભાગ્યે માની શકે કે 1967 થી 1971 દરમિયાન તે વિધાનસભામાઁ હતા. ગાઁધીજી અને સર્વોદય વિચારધારાને વળેલા વસઁતભાઇ પરીખને મળવાનુ સોભાગ્ય મને તેમના મરણના થોડા દિવસ પહેલા થયેલુ. મારા કાકાજી ભગવાનદાસ પટેલ સાથે તેઓ અમારે ઘરે આવ્યા હતા અને કાકા ની સાથે વડનગર જવાના હતા. ચા-પાણી કર્યા બાદ, મેઁ તેનને મારુ પુસ્તક ‘ગાર્ડિયન ઓફ એંજલ્સ” બતાવ્યુઁ અને બધી વાત કરી. શાઁત ચિત્તે સાઁભરી તેમણે મને ગુજરાતીમાઁ બહાર પાડાવાની સલાહ આપી. અને તેમના ગયા બાદ મારા દાદા ગોપાલભાઇએ વસઁતભાઇનો વિસ્તારથી પરિચય આપ્યો. ભગવાનદાસકાકા ની લોક્સેવાની મને ખબર હતી પણ વસઁતભાઇની વાતો સાઁભરી મને લાગ્યુઁ કે આપણે તેમની પાસેથી વધુ નહી તો થોડુઁ પ્રોત્સાહન લેવુ જોઇએ. માત્ર રૂ.5400 લોકફાળામાઁ અપક્ષની ચુટણી લડી, પોતાનો ધારાસભ્યનો પગાર જે રૂ.350 હતો, તે પણ તેમણે લોકવિકાસમા વાપર્યુઁ. બસ ભાડા સુધીના ખર્ચનુ ઓડિટ કરાવ્યુ. ગુજરાત અને બિહારમાઁ આઁખોના દર્દીયોનાઁ મફત ઓપરેશન કરાવ્યા જેનો આઁકડો માઁડવો મુશ્કેલ છે. તેમના ચાહકો માનતાકે વિધાનસભા કરતા પ્રજાને તેમની વધુ જરૂર હતી. જેમના હૈયામાઁ જનતા ની સઁવેદના જીવનભર ધબકતી હતી તેવા ગુજરાતના સઁનિસ્ઠ લોકસેવક એવા વસઁતભાઇ ના મરણથી ગુજરાતે એક આદર્શ સમાજસેવક ગુમાવી દીધા છે. શ્રી નરેન્દ્ર મોદી સતત ત્રણ દિવસ હોસ્પિટલ-સિવિલમા, તેમની સ્મશાન યાત્રામાઁ અને વડનગર શોકસભામાઁ હાજરી આપી ઝાઁખી કરાવી કે વસઁતભાઇ નુ કેટલુ પ્રદાન હતુ ગુજરાતની સેવામા. ડો. વસઁતભાઇ 2001 કચ્છ ભૂકઁપ વખતે પોતાના સર્વ કામ છોડીને પોતાની ટીમ સાથે તાત્કાલીક પહોઁચી જતા અને તે આગવા કામ સદા કચ્છ ના અને ગુજરાતના લોકોને યાદ રહેશે. તેમણે કેટ્લાક ગામ દત્તક લીધા અને નવનિર્માણ સાથે નોઁધપાત્ર કામગીરી બજાવી. સુનામી વાવાઝોડામાઁ પણ તેમણે ઉલ્લેખનીયા ફાળો આપ્યો. ડો. વસઁત પરીખે, સામાજિક, રાજકિય, આર્થિક તેમજ કેળવણી ક્ષેત્રે અનેક પ્રકારની કામગીરી કરી છે.
વસઁતભાઇનો જન્મ મુળ ઉત્તર પ્રદેશમા અલિગઢ માઁ વસઁતપઁચમીના દિવસે થયો હતો. નાનપણમાઁ માતા-પિતા ગુમાવનાર વસઁતભાઇને પાલક માતા-પિતાએ નબળી પરિશ્થિતિમાઁ પણ અરોગ્યનુ શિક્ષણ આપવામાઁ ખુબ મહેનત કરેલી. વસઁતભાઇનુ બાળપણ ગરીબીમાઁ વિગ્યુ અને મઁબઇમાઁ ફેરીયા તરીકે ફળો વેચીને પોતે ઘરમાઁ મદદ કરતા. ત્યારબાદ જામનગર સરકારી મેડિકલ કોલેજમાઁ અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર ઉનિવર્સિટિમાઁ પ્રથમ આવ્યા હતા. પછી સરકારી નોકરીમાઁ જોડાયા હતા. આ દર્મિયાન વસઁતભાઇનો સઁપર્ક સર્વોદય કાર્યકર દ્વારકાદાસ જોષી સાથે થયો અને વસઁતભાઇ સરકારી નોકરી છોડીને વડનગર નાગરિક હોસ્પિટલમાઁ ગરીબ દર્દીઓની સેવામાઁ જોડાયા હતા.
ઉત્તર ગુજરાતના લોકો માટે વસઁતભાઇ દર્દીયો માટે ભગવાનનુઁ રૂપ ધરાવતા. તેમણે અનેક નિ:શુલ્ક નિદાન કેમ્પોનુ ગુજરાત અને બહાર અયોજન કર્યુ, હજારો લોકોની આઁખની સારવારમાઁ જીવન સમર્પિત કર્યુઁ. 1967 માઁ ગુજરાત વિધાનસભાના સભ્ય બની લોકોને આર્થિક રીતે સધર બનાવવા ખુબ મહેનત કરી તથા લોકોમાઁ ઉધોગો પ્રત્યે અભિગમ કેળવવામાઁ ઘણા બધા લઘુ ઉધોગો ઉભા કરાવ્યા હતા. ઉત્તર ગુજરાતને ધરોઇ બઁધ ની ભેટ આપનાર તરીકે વસઁતભાઇને લોકો યાદ રહેશે. તે સમયના ઇઁદિરા ગાઁધીને રૂબરૂ મળીને વસઁતભાઇએ આ યોજના કાર્યરત કરી હતી.
ખુબીની વાત એ છે કે મારુ પુસ્તક જોયા પછી પણ વસઁતભાઇએ મને અણસાર ન આપ્યોકે તેઓ ખુદ લેખક છે અને તેમના ગયા પછી મને ખબર પડીકે સાહિત્યક્ષેત્રે તેમનો મોટો ફાળો છે. ગીતા પ્રવેશ, કુંતી, છ્બી જેવા બેતાલીસ પુસ્તક નુ સર્જન કરી સમાજને એક અદભુત સાહિત્યાની ભેટ આપી છે. ગોપાલદાદાએ કહ્યુ કે ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનુઁ મરણ થતા ખુબજ એકલતા અનુભવતા હતા અને તુટી ગયા હતા. વસઁતભાઇએ પોતાના વસિયતનામા માઁ દેહ્દાનની ઇચ્છા વ્યકત કરી હતી જેથી બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદના તબીબી શિક્ષણ મેળવતા વિધ્યાર્થીઓને અભ્યાસ માટે સઁશોધન ઉપયોગી બને. જિદગી પર પોતાનો દેહનો લોકો માટે ઉપયોગી સેવામા પ્રયોગ કર્યો અને મરણ બાદ દેહદાન કર્યુ. તેમણે એક જગ્યાએ લખ્યુઁ છે, “મારા શરીરમાઁ યઁત્રની સહાયથી બનાવટી જીવન રેડશો નહિ. મારી જગ્યાને મ્રૂત્ય શય્યા ન લેખશો, એને જીવન શય્યા ગણજો. મારા શરીરને બીજા કોઇનુઁ જીવન ચેતનવઁતુ બને તે માટે ઉપયોગમાઁ લેજો.” આવા હતા વસઁતભાઇ. તેઓ દલિત અને વઁચિતોની તરફેણ કરનારા રચનાત્મક આગેવાન હતા. તેમણે બનાસકાઁથામાઁ ભીષણ દુષ્કાળની પરિસ્થિતિ જોઇ હતી અને તેના પર એક પુસ્તિકા પણ લખી છે. તેમને ખાતરી થઇ હતી કે નર્મદાના પાણી ગુજરાતમાઁ જ્યાઁ સુધી પહોઁચે ત્યાઁ સુધી પહોઁચાડવા જ રહ્યાઁ. કોઇ તેમા અવરોધ ના આવે અને આ મઁતવ્ય તેમણે મેઘા પાટકરને પણ લખી જણાવ્યુઁ હતુ.
વસઁતભાઇએ એક વખત સાબરમતી જેલમાઁ હતા ત્યારે તેમની પત્નિને પત્રો લખ્યા હતા અને પુસ્તક બહાર પાડ્યુ જેમાઁ તેમણે વ્યક્તિ અને સમાજની વેદના-સઁવેદનાઓ અદભુત પરિચય આપ્યો છે. ધારાસભ્ય હતા તે સમયનુ પુસ્તક પણ બહાર પાડ્યુ જેમાઁ નૈતિક રાજકારણના પ્રયોગપરસ્તો માટે ગીતા સમાન છે. આત્મકથા લખાવીને બહાર પાડવાનુ કામ અધુરુ છોડી વસઁતભાઇ વિદાય લીધી અને આવા રાજપુરૂષની આત્મકથાથી અનેક વઁચીત રહેશે.
નરેન્દ્રભાઇ મોદી વડનગરમાઁ જ્યારે શોકસભા વખતે હાજર હતા ત્યારે વસઁતભાઇની મુક તસ્વીર જાણે કહી રહી હતી કે રાજકારણ ની સાથે સાથે જન હિતમા સ્વને સોઁપી દેનાર ઉત્તમ પુરુષ છે. જન સેવા, તેજ અમુલ્ય સેવા અને સઁસારી છતાઁ સાધુચરિત લોકસેવક બનવુ તે આનુઁ નામ. નરેન્દ્ર મોદી માટે વસઁતભાઇ એક આદર્શ હતા.
અર્પણ ......
- ઇલક્ષી પટેલ
Tuesday, March 27, 2007
Watch the space
Today, I am off for a Lunch meeting with GCCI Business women's wing but will be posting soon here as I get some breathing space - so Watch this space for my gujarati writing – exploring Gujarati world on web!
- ilaxi
Wednesday, January 03, 2007
સમય આપણને સાથ આપે કે ના આપે
વિશિઁગ ઓલ ફેરવેલ 2006 ... May your dreams turn true – peace be upon you with a prosperous 2007…Enjoy blogging
(જો કોઇ જોડણી ભુલ વિગેરે હોય તો માફ કરશો. )
કહે છે ભૂપતભાઇ ની કલમ....
વિચાર મંથન - ભુપતભાઇ વડોદરિયા
માનવજાતનો ઇતિહાસ સમયના પલટાતા રઁગોની એક મોટી પોથી છે. ભગવાન શ્રીક્રૂષ્ણ સમયની આ રઁગલીલા બરાબર જાણે છે અને એટલે તો તેમણે ભગવદગીતામાઁ કહ્યુઁ છે કે સુખદુખ, સફળતા-નિષ્ફળતા, લાભ-હાનિ, માનકે અપમાન એ બધી ક્ષણોમાઁ ‘સમત્વ’ ધારણ કરો.
પોતાની ધારણા પ્રમાણે જ બધુઁ બનતુઁ લાગે અને સઁજોગો એકદમ સુગમ લાગે ત્યારે માણસ કહે છે, સમય મારી સાથે છે. હુઁ ચાહુઁ એ રીતે સમયને મારો અનુકુળ સાથીદાર બનાવી શકુઁ તેમ છુઁ! કોઇ વળી કહે છે કે સમય મારી મુઠ્ઠીમાઁ છે. સમયની કોઇ પણ ક્ષણ કેવો ઘાટ આપવો તે મારી આઁગળીઓ જાણી છે! સમયની આ બધી ક્ષણો તો માત્ર ગુઁદેલી માટી છે. હુઁ ધારુઁ તેવો આકાર અને ધારુઁ તે રૂપ-રઁગ આપી શકુઁ!
અનેક શહેનશાહોએ આવો દાવો કર્યો છે. ઇતિહાસના આખા ઝરૂખામાઁ એવા અનેક પુરુષો ઉભા છે. કેટ્લાકે છાતી ઠોકીને એવો દાવો કર્યો છે. બીજા ઘણા મોઁએથી એવુઁ બોલ્યા નથી, પણ પોતાના મનમાઁ તોઅ એમજ સમજ્યા છે કે આખરે સમય છે શુઁ? સમયને તો માણસ ધારે તે ઘાટમાઁ ઘડી શકે! પણ માણસ જાતને લાઁબા અનુભવે સમજાયુઁ છે કે સમય કોઇની સાથે હોતો નથી. સૌ સમયની એઁદર અને સમયની સાથે છે. સમય કોઇની મુઠ્ઠીમાઁ નથી. આપણેસૌ સમયની મુઠ્ઠીમાઁ છીએ. સમયને જોઇ શકાતો નથી. ખરેખર સમય છે શુ?
માણસને ફતેહ ઉપર ફતેહ મળી રહી હોય, એની આસપાસ રઁગીન ફુવારા ઉડ્યા કરતા હોય, જ્યાઁ જ્યાઁ નજર કરે ત્યાઁ ત્યાઁ તેને સુખ સુખ અને સુખજ દેખાતુઁ હોય ત્યારે તે કહે છે અગર માને છેકે સમય મારી સાથે છે અને સમય મારો સાથ છોડે જ નહિઅને હુઁ સમયનો સાથ છોડવાજ ના દઉ! મેઁ મારી કુશળતાથી એને એવી રીતે બાઁધી રાખ્યો છે કે તે ક્યાઁય છ્ટકી શકે તેમ નથી. ત્યારે માણસની લાગે છે કે સમયનો આ સાચો રઁગ છે. તે રઁગ બદલવાજ નહિ દઉ. કોઇ માનતુઁ હોય કે સમય તો રઁગ બદલતો કાચીઁડો તો તેવુ માનનારા ભુલ ખાય છે! આ કાચીઁડો હોય તો હુઁ એનોય ગુરુ છેઁ. આપણે જાણીએ છીએ કે સમયની આ રઁગીન લીલા માત્ર માણસના હાથની વાત નથી. અનુભવે આપણે જોયઁ કે પુરુષ પોતાને ગમે તેટલો બળવાન સમજતો હોય, પણ આખરે સમય પોતાને બળવાન પુરવાર કર્યા વગર રહેતો નથી.
માનવજાતનો ઇતિહાસ સમયના સતત પલટાતા રઁગોની એક મોટી પોથી છે. ભગવાન શ્રીક્રુષ્ણ સમયની આ રઁગલીલા બરાબર જાણે છે અને એટલે તો તેમણે ભગવદગીતામાઁ કહ્યુઁછે કે સુખ દુખ, સફળતા- નિષ્ફળતા, લાભ-હાનિ, માન કે અપમાન એ બધી ક્ષણોમાઁ ‘સમત્વ’ ધારણ કરો. આ બધીજ ક્ષણોને માણસના સઁજોગ અને મિજાજ પ્રમાણે રઁગ મળે છે. પણ માણસનો કોઇ સાચો રઁગ હોય તોતે પોતાની એઁદર હોઇ શકે છે. તે બહાર જે રઁગ જુએ છે તે તો સમયનો રઁગ છે. તેને કોઇ પકડી રાખી શક્યુઁ નથી. ભગવાને તો કહ્યુઁ છે કે હુઁજ કાળ છુઁ. એટલે સમયના પલટાતા રઁગોમાઁ એનીજ લીલાના દર્શન કરવા એજ એક માર્ગ છે. માણસ સમયને બદલે છે કે સમય માણસને બદલે છે તે સવાલનો કોઇ સ્પ્ષ્ટ સઁતોષકારક જવાબ આપી શક્યુઁ નથી. બુધ, મહાવીર, ઇસુખ્રિસ્ત, મહઁમદ પયગઁબરસાહેબ, એ બધા સમયનાઁ સઁતાનો કે સમયના વિધાતાઓ? લેનિન, સ્તાલીન, હિટ્લર, નેપોલિયન, લિઁકન અને ચર્ચિલ - આ બધા સમયનાઁ ફરજઁદો કે યુગવિધાતાઓ? મહાત્મા ગાઁધી અને મહઁમદઅલી ઝીણા કાળના વહેતા પ્રવહ પર એક મોટા મોજા ઉપર બેઠેલા માણસોકે એ મોજાના સર્જકો? આનો જવાબ આપણે જાણતા નથી. તેનો નિર્ણય પણ મુશ્કેલ છે. જિઁદગીની ક્ષણોના પલટાતા રઁગોથી વિચલિત થયા વિના તેને પરમાત્માની એક અકળ પણ માણી શકાય તેવી લીલા સમજીને જીવીએ.
બહારના રઁગો ભલે બદલાય, આપણી અઁદરનો પ્રેમનો, શૌર્યનો, બલિદાનનો રઁગ ના બદલાય અને એ બધાજ રઁગોમાઁ છેવટે ચૈતન્યનો એક જ રઁગ પારખીએ! સમય આપણને સાથ આપે કે ના આપે, આપણે સમયને સાથ આપવો, એની સાથે રહેવુ, એની સાથે ચાલવુઁ ને સાથે ચાલતાઁજ તે આપણને અનુકુળ બને તે માટેનો પુરુષાર્થ પણ કરતાઁ રહેવુ.
Sunday, November 12, 2006
વિચાર મંથન :જિઁદગી એક એવી રમત
જિઁદગી એક એવી રમત છે કે તેમાઁ અમ્પાયર અદશ્ય છે. તમે અમ્પાયરની તટોપી આ કે તે વ્યક્તિના માથા પર પહેરાવીને તેની સામે લડો છો, પણ તમે ભૂલી જાઓ છો કે છેવટે આ રમતમાઁ સૌથી મહત્વની વ્યક્તિ કોઇ અમ્પાયર નથી. એક ખેલાડીની હેસિયતથી તમે જ સૌથી મહત્વની વ્યક્તિ છો. ત્રણ વર્ષ પહેલાઁ મને એક માણસે ફરિયાદ કરી હતી કે અમુક મોટા શહેરની ઇસ્પિતાલમાઁ તે શસ્ત્રક્રિયા માટે દાખલ થયો હતો. ત્યાઁ તેની સારવાર બરાબર થઇ નહી. શસ્ત્રક્રિયામાઁ પણ કઁઇક ગરબડ હતી અને પરિણામે તેને ભારે અન્યાય થયો છે. આ ભાઇની માગણી એવી હતી કે ઇસ્પિતાલમાઁ જેમણે પોતાની શસ્ત્રક્રિયા કરેલી, તેમની સામે પગલાઁ લેવાઁ જોઇએ અને તેમને શિક્ષા થવી જોઇએ.
એક બીજા માણસ પણ આવીજ રીતે પોતાના દફતરમાઁ બેઠા બેઠા આવીજ ફરિયાદ પઁપાળ્યા કરે છે. તેની ફરિયાદ એ છે કે અમુક વર્ષ પહેલાઁ તેને નોકરીમાઁ અન્યાય થયો છે. જ્યારે અન્યાય થયેલો ત્યારે તે નજીવો લાગેલો, પણ હવે અત્યારે એમ લાગે છે કે તેના નોકરીના લાઁબા ગાળાનાઁ હિતોને ઘણુઁ મોટુઁ નુકશાન થયેલુ છે. હવે વર્ષો પહેલાઁના અન્યાયની જડ કોણ નાબુદ કરે! આ ભાઇનો ઘણો સમય જાતજાતનાઁ અરજી અહેવાલ ઘડવામાઁ અને લાગતા વળગતા પાસે મૌખિક રજુઆત કરવામાઁ વીતે છે. આ માણસની કોઇ એવો પ્રશ્ન પૂછે શકે કે એ જુની વાત હવે બાજુએ મૂકીને તેઓ આગળ વધવા માટે નવી સજ્જ્તા પ્રાપ્ત કરવા માટે કશુઁ કેમ કરતા નથી? વાત જૂની છે. બની ત્યારે નજીવી લાગી હતી અને હવે એ જૂની વાતનો ધજાગરો બાઁધવાની આ મિથ્યા કોશિશ શા માટે? જે વસ્તુ થઇ ગઇ તેનો અવો અફસોસ શા માટે? જે બની ગયુઁ છે અને હવે મિથ્યા થઇ શકે તેમ નથી તેને પકડી રાખવામાઁ શો લાભ?
એક ત્રીજો માણસ છે. તે વળી પોતાના બાળકને શાળાના સઁચાલકોના હાથે થયેલા અન્યાયની વાત કરીને પોતાની સમયશક્તિ વેડફે છે અને બાળકને આગળ વધતાઁ જાણે કે રોકો છે! આવી અગર બીજા પ્રકારની ફરિયાદ આગળ કરીને કેટલાક માણસો ભૂતકાળની કોઇક કોટડીમાઁ પુરાઇને લડ્યા કરે છે કે રડ્યા કરે છે અને એટલુઁ સમજતા નથી કે તેઓ સૌથી વધુ અન્યાય પોતાની જાતની જ કરી રહ્યા છે. ભૂતકાળના એક શઁકાસ્પદ અને વિવાદસ્પદ ટુકડાને પકડી રાખીને તેઓ પોતાની આઁખ સામેજ વર્તમાનની પસાર થતો જોઇ રહ્યા છે. આજે જે કરવાનુઁ છે તે કરતા નથી અને ગઇ કાલે જે બન્યુઁ હતુઁ તે નહોતુઁ બનવુઁ જોઇતુઁ, તેવી ફરિયાદમાઁ બળાપો કાઢી રહ્યા છે. આમાઁ સમજવા જેવી સાદી અને સીધી વાત એ છે કે દલીલ ખાતર માની લઇએ કે ભૂતકાળમાઁ તમને કોઇકે ખરેખર અન્યાય કર્યો હતો. જેણે ભૂતકાળમાઁ અન્યાય કર્યો હતો તે આજે તેમને ન્યાય આપવાની સ્થિતિમાઁ કે શક્તિમાઁ પણ નહી હોય. ભૂતકાળમાઁ તમને કોઇકે અન્યાય કર્યો હતો તે હકીકતને આગળ કરીને આજે તમારી જાતને શુઁ કામ અન્યાય કરો છો? બીજાઓ તમને અન્યાય કરે ત્યારે તમે તેની સામે ફરિયાદ કરો છો પણ તમે તમારી જાતની જ્યારે અન્યાય કરી રહ્યા હો એવો ઘાટ થાય છે ત્યારે તમે તમારી જાતની શા માટે ઢઁઢોળતા નથી?
જિઁદગી એવી એક રમત છે કે તેમાઁ અમ્પાયર અદ્શ્ય છે. તમે અમ્પાયરની ટોપી આ કે તે વ્યક્તિના માથા પર પહેરાવીને તેની સામે લડો છો, પણ તમે ભૂલી જાઓ છો કે છેવટે આ રમતમાઁ સૌથી મહત્વની વ્યક્તિ કોઇ અમ્પાયર નથી. એક ખેલાડીની હેસિયાતથી તમેજ સૌથી મહત્વની વ્યક્તિ છો. દ્ષ્ટ કે અદ્ષ્ટ અમ્પાયરના ચુકાદા સામે તકરારના મુદાઓ ઉભા કર્યા કરતાઁ પોતાની રમતની કથા સુધારવાનુઁ જ વધુ લાભકારક છે. આ એક બાબત છે જે તમારજ હાથમાઁ છે. માણસ વધુ કઁઇ નહી તોઅ પુરી નમ્રતાથી અને છતાઁ પુરી ખુમારીથી કહી શકે છે કે મારી દુકાનમાઁ દુખના માલનો જે ભરવો થૈ ગયો છે તેના ઉત્પાદકો ગમે તે હો, હુઁ તેનો માલિક છુઁ અને મારી દુકાનના માલની ‘અસલિયત’ ની હુઁ ખાતરી આપવા માગુઁ છુ.
Friday, November 03, 2006
ખુશ ખબર
ભાઇની બે નવી ચોપડી નવભારત સાહિત્ય મઁદીર તરફથી બહાર પડી છે. તમારી કોપી બુક કરો. નવભારતની સાઇટપર ઉપલબ્ધ છે. જો કોપી નો કોઇ પ્રોબ્લેમ થાય તો મને મેલ કરશો.
1. પઁચામ્રૂત અઁજલી
2. દિલબર દિલ
આભાર.
- ઇલાક્ષી
વેલકમ હોમ
મને એક પ્રશ્ન સદા સતાવે છે કે “જાણીને કુવામાઁ પડવા શુઁ કરવા લોકો જાય છે? પૈસા માટે! કે પછી સગા ત્યાઁ છે માટે! આપણા દેશની એકજ કમી છે કે અહિ પૈસા ડોલરના તોલે નથી મળતા પણ તેના બીજા પાસા ઘણાઁ સારા છે. અમુક એન.આર.આઇ. જ્યારે દેશ પ્રેમ બતાવે છે ત્યારે મને થાય છે કે શુઁ કરવા તો પછી પરદેશ જાવ છો. બે વાત તો ના બને ને? ભાવુક બની લાગણીથી ખેઁચાવુ અને પછી દેશના બદલે વિદેશના ગુણગાના ગાવાના હોય તો મારા હિસાબે તે દઁભી છે.
વ્હોટ એવર, કોમેંટસ આર વેલ્કમ કારણ આ એક ડીબેટ ટોપીક છે અને તેમાઁથી સચ્ચાઇનો ખયાલ આવે છે. કોઇનુ દિલ દુખે તો ભુલચુક માફ! આ તો એક બ્લોગ થૌટ છે...બાકી જો લોકો વિદેશ ના જાય તો ભારતમાઁ લોકોની સઁખ્યા ખુબજ વધી જાય! અને પાછુ નરેન્દ્ર મોદી પ્રગતીના પઁથે જતા અટકી જાય તેના કરતા સારુ છે કે નરેન્દ્ર ભાઇની સરકાર કામ કરે અને જ્યારે વિદેશી આવે ત્યારે કહે “અમારુ ગુજરાત...”
બીલેટીડ હેપી ન્યુ યર ટુ ઓલ ........વેલકમ હોમ એંડ મીટ મી ...
- ઇલાક્ષી
Tuesday, August 01, 2006
આજની ઘડી રળિયામણી!
કાલની કોને ખબર છે ! લાઇફ ક્યાઁ ડ્રિફ્ટ થાય એ તો ભગવાનજ જાણે. આઇ એમ એન એક્સપ્લોરર ઓન ધ વેબ.
બીજી એક વાત. મને યાદ છે હુઁ ભાઇને ઘરે મળી ત્યારે વાત વાતમાઁથી તેમને મે કોઇ ટોપીક પર લખવાની વાત કરી. ભાઇએ તરતજ મને તક આપી અને મને કીડ્સ પેજ સમભાવમાઁ સ્વતઁત્ર રીતે કરવા આપી દીધુ! તે પણ, પહેલા પુર્તિ પાનુ અને પછીથી તે ઓપ-એડ જે ઓપોસીટ એડીટર પેજ કહેવાય તે - આમ મે ઇગલીશ અને ગુજરાતી મા ‘ફિસોલ્સ’ છ વર્ષ બહાર પાડ્યુઁ શરુમાઁ તો ખુબજ તકલીફ પડતી કારણ કે મને ગુજરાતી લખતા ન આવડે અને પછી રજનીભાઇ વ્યાસ મને મદદ કરતા (તે મારુ પેજ સઁભારતા) . આખરે થોડો સમય આ કરીને હુઁ થાકી કે મને નહિ ફાવે ગુજરાતી લખતા , સો ભાઇએ મને કહ્યુઁ “કોઇ ચિઁતા નહિ. તમે ફ્ક્ત અઁગ્રેજી માઁ લખો અને મેઁ છ વર્ષ ‘Freesouls’ કર્યુઁ જે મે સમભાવની ઓનલાઇન સાઇટનુ સુકાન સઁભારતા પ્રિંટ માઁ બઁધ કર્યુઁ. પરઁતુ, તેજ ‘Freesouls’ , today is ‘Kidsfreesouls’ with a very big site single handedly managed by me and also stands # 1 in Google Search and Yahoo. Moreover, the topics covered in Kidsfreesouls are also used by Parents, Teachers and kids online; even educationists use this site for classroom lessons. That’s what Bhupatbhai’s message is seen through ……success comes with Opportunity and Hard work!
- ઇલાક્ષી
વિચાર મંથન - ભુપતભાઇ વડોદરિયા
બુદ્વિ અને શક્તિ છતા કેટલાક માણસો તેમના ધ્યેયમા નિષ્ફ્ળ જાય છે. સફળતાને સૌ પુજે છે. માણસને સફળતા ના મળે તો સઁબઁધકર્તા વ્યક્તિનો દોષ કાઢવામા આવે છે.
કેટલાક માણસો પોતે જીવનમાઁ સફળ થયા હોય કે ન થયા હોય પણ બીજી કોઇ વ્યક્તિ માટે એવો ચુકાદો આપી દેશે કે એ માણસ કોઇ પણ કામમાઁ સફળ થાય એવુઁ હુઁ માનતો નથી. ઘણા બાધા માણસો માટે આ પ્રકારના અભિપ્રાયો આપવામાઁ આવે છે. આવો અભિપ્રાયો આપનાર ભુલી જાય છે કે કોઇ પણ માણસમાઁ શક્તિ હોય, ધગશ હોય પણ તક ના મળે ત્યાઁ સુધી તો એ પોતાની શક્તિ કે આવડત બાતાવી શકે નહિ. આપણે જાણીએ છીએ કે કેટલાક માણસો માત્ર તકના આભાવે નિષફળ જાય છે. એટલે કોઇક એવુઁ કહે છે કે તક મળવી કે તક ઉભી કરવી એમાઁ શુઁ ભેદ છે એ કહેવાનુઁ મુશકેલ છે. આપણામાઁ કહેવત છે કે ફાવ્યુઁ વખણાય. એવા અનેક કિસ્સા આપણે જોઇએ છીએ કે જેમાઁ માણસ સફળ થઇ જાય છે અને એ પોતે પણ કહી નહિ શકે કે તક આચાનક ઉભી થઇ કે પછે તેણે તક્ને ઓળખવાની કોશીશ કરી.
બુદ્ધિ અને શક્તિ છતાઁ કેટલાક માણસો તેમના ધ્યેયમાઁ નિષ્ફળ જાય છે. સફળતાને સૌ પુજે છે. પણ માણસને સફળતા ના મળે તો સઁબઁધકર્તા વ્યક્તિનો દોષ કાઢવામાઁ આવે છે. એ વાત ખરી છે કે માણસને તક ઓળખતાઁ આવડવુઁ જોઇએ. પણ માણસનો અનુભવ છે કે કોઇ માણસ સફળ થાય એટલે આપણે કહીએ છીએ કે એણે તક ઝડપી લીધી. આપણે તકની વાત કરીએ છીએ પણ કોઇ માણસ સફળ થાય ત્યારે તેનામાઁ તક ઓળખવાની આવડત આપ્ણે જોઇએ છીએ અને જો નિષ્ફ્ળ જાય કે ખરેખર કોઇ તક ન હતી, પણ તક સમજીને એમાઁ ઝઁપલાવ્યુઁ એટલે સઁપુર્ણ નિષ્ફ્ળતા મળી. કોઇ કોઇ વાર આપણે જેને તક કકીએ છીએ એ વાસ્તવમાઁ ભાગ્યનો ઇશારો નહિ હોય? ભગ્યનો ઇશારો એટલા માટે કે ભાગ્ય મહેરબાન હોય અને કોઇ કામ બની જાય તો આપણે માણસને યશ આપીએ છીએકે એણે તક પારખી અને ઝડપી. બીજી બાજુ માણસ તક ઝડપે પણ નિષ્ફળ જાય તો આપણે ભાગ્યને દોષ દેવાને બદલે તેને દોષ દઇએ છીએ.
એક એવુઁ જાનીતુઁ સુભાશિત છે કે, “સર્વત્ર ફલતિ ભાગ્યમ, ન ચ વિધા, ન ચ પૌરુષમ” માણસ એક તક ઝદપી લે અને સફળ થાય તો એ એનુ સારુઁ નસીબ અને નિસ્ફળ જાય તો આપણે ભાગ્યને બદલે માણસને દોષ દઇએ છીએ. નિષ્ફળતામળે તો માણસો કહે છે કે એનામાઁ ત્રેવડ ન હતી. એ વખતે આપણે ભાગ્યની કે તકની વાત નથી કરતા. એક વાત સ્વીકારવી પડે કે આપણે જેને સફળતા કે નિષ્ફળતા કહીએ છીએ તે હકીકતે ભર્યુઁ નારિયેર હોય છે. તેમાઁ અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ હોઇ શકે અને થુઁકી નાખવાનુઁ મન થાય એવુઁ ખારુઁ પાણી પણ હોઇ શકે. એટલે માણસનાજીવનમાઁ સમયની દરેક ઘડી એક ભર્યુ નાળિયેર છે, તેમાઁથી અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ નીકળી શકે અને ખારુઁ દવ ખોરુઁ પાણી પણ નીકળી શકે. કોઇને અગાઉથી એવી ખબર પડતીજ નથી કે પાણી મીઠુઁ હશે કે ખારુઁ હશે. આ જ વાત માણસની કોશિશ લાગુ પડે છે. માણસ કોશિશ કરે ત્યારે એવીઆશા રાખે છે કે તેને ધાર્યુઁ પરિણામ મળે પણ આ બાબતમાઁ માણસની આશા કે ધારણા સાચાઁ કે ખોટાઁ પણ પડે.
આમ તો માણસની જિઁદગી એ પણ એક મોટા નાળિયેર જેવી જ નથી? અઁદર શુઁ છે? એનો અઁદાજ કોઇને આવી શકતો નથી. એ તો જ્યારે તમે નળિયે ફોડો ત્યારે જ અઁદર મીઠુઁ કે ખારુઁ જે હોય તે જાહેર થાય છે. આપણે જાણીએ છીએ કે માણસ આવતી કાલને જાણવા માટે જ્યોતિષી પાસે કે સાધુ-સઁત પાસે જાય છે પણ પોતાનેપાસેથી આપણે આપણા વિશેની આગાહી જાણવા માગતા હોઇએ તેને પોતાને પોતાની આવતી કાલની ખબર નથી, કેમ કે માણસનુઁ પ્રારબ્ધ કે ભાગ્ય હઁમેશાઁ ગઢ જ રહ્યુઁ હોય છે અને છતાઁ માણસને પોતાની આવતી કાલ, સફળતા કે નિષ્ફળતા, સુખ અગર દુ:ખ, સારુઁ અરોગ્ય કે માઁદગી એ બધાઁ વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા રહે છે. પણ આપણે જાણીએ છીએ કે જેમનો રાજ્યાભિષેક થવાનો હતો એ ભગવાન રામ પણ કદાચ જાણતા નહિ હોય, એટલે જ તો ઋષિઓ કહે છે કે ન જણ્યુઁ જાનકી નાથે કે સવારે શુઁ થવાનુઁ છે! એટલે આવતી કાલની કોઇની કોઇની ખબર નથી હોતી અને એથીજ આપણે કહીએ છીએ કે આજની ઘડી રળિયામણી! આપણી પાસે તો આજની ઘડી સુધારવાની એક તક છે.
Tuesday, July 11, 2006
‘ઉતાવળ’
‘ઉતાવળ’
આજના યુગનો કોઇ સૌથી મોટો અભિશાપ હોય તો તે છે ‘ઉતાવળ’. અત્યારે તમામ ચીજોમા’ઇંન્સ્ટન્ટ’ ની બોલબાલા છે. ખાવામા પણ ‘ફાસ્ટ ફુડ’! આપણે એક સપ્તાહમા અંગ્રેજી ભાષાનુ પ્રભુત્વ મેળવવુ છે, ગણિતના માસ્ટર થઇ જવુ છે. પળવારમા ‘ટેમ્પરેચર’ ડાઉન કરે તેવી ગોળીઓ જોઇએ. બધુ ફટાફટ પતાવવાનુ! આપણને જરાય ઢીલ ના ગમે! આ રીતે માણસ સમય મેળવે છે. પછી તે ગમે તે માર્ગે ઉડાઉપણે ખર્ચે છે. ઝડપથી અને ઝાઝુ કામ કરવામાખોટુ નથી. પણ દળીદળીને ઢાંકણીમાની જેમ હાથ ઉપરના કામો ઝડપથી આટોપી લઇને સમયની ખોટી બચત કરીને, પછી વેડફી નાખવાનુ ખોટુ છે. આમા તો એક સમયચોરી છે અને ખાસ તો કાળપુરુષની બેઅદબી છે. ટુકા રસ્તા કઢવાના પ્રયાસોમાથી આપણા જીવનમા પારાવાર કુત્રિમતા જન્મી છે. ધીરજના ફળ મીઠા છે તેમ કેહનારા બેવકુફ નહોતા. તેમા કાળપુરુષની અદબ હતી. આપણાથી મોટી શકતિના, આપણાથી જુદી શક્તિઓના પ્રભાવનો સ્વિકાર હતો. કેટલાક ક્યારેક ઉતાવળમા ફાવી જતા હશે, પણ મોટે ભાગે શાંતિ અને ધીરજથી ફાવતા હોય છે.
ઉતાવળે જીવીને પછી નિરાંતે મરવાનુજ છે. આ પરમ વાસ્વિકતા છે. જીવનના વર્ષોમા ખુબ ખુબ ઉતાવળ ભરીને બાકીના બધા વર્ષો ખાલીખમ બનાવી દેવાથી શુ? વરસને દિવસે જેવુ કરી નાખીને તમામ આયુષ્ય જ તમે કાપી નાખો છો. જિઁદગીમાઁ ઝડપ ભરીને તમે તેની મીઠાશને ખતમ કર્યા કરો છો તેથી શુ? ઉતાવળ ગુણાકાર જેવી લાગતી હશે, કુદરતના ક્રમમા તમે તેનો વિચાર કરશો તોતે બાદબાકી જેવી લાગશે, કુદરતના ક્રમમાઁ તમે તેનો વિચાર કરશો તો તે બાદબાકી જેવી લાગશે.
નવલકથા માટે નોબેલ ઇનામ મેળવનાર ફ્રેન્ચ નવલકથાકાર આન્દ્ર જીદને કોઇકે પુછ્યુ: “તમારા જીવનની પરમ આનઁદની ક્ષણ કઇ?” જીદે કહ્યુ : “સહારાના રણમા એક વાર મળેલો ઠઁડા પાણીનો ચઁબુ!” પ્રખર સહારાની તરસ વિના ઠઁડા પાણીનુઁ અમૃત ક્યાઁથી પારખી શકાય? મીઢાશતો આપણે ઝઁખીએ છીએ, પણ મીઠાશને મીઠાશ બનાવવાના તત્વો આપણે કાઢી નાખવાઁ છે. વિરહ વિના મિલનની મીઠાશ શી? ભુખ વિના ભોજનની મીઠાશ શી? થાક વિના આરામની મીઠાશ શી?
જલ્દી જલ્દી જીવી નાખવુઁ છે, પણ જલ્દી મરી જવુ નથી. પરસ્પર વિરોધી એવા આ પરિણામ માટે આપણે બધી કોશિશ કરીએ છીએ. જિઁદગીના ભમરડાને કોઇકે જાળ ચઢાવેલી છે. તેની ગતિએ તેને ઘુમવા દો. તેમાઁ ક્રુત્રિમ ગતિ ભરવાની કડાકુટ છોડો. ઘુમતો ભમરડો અભિમાન કરે કે હુઁજ ઘુમુઁ છુ. ધારુ તો
ઝડપથી ઘુમી શકુઁ છુ, તેના જેવુજ મિથ્યાભિમાન માણસનુ છે. માણસ ઘુમતોજ દેખાય છે અને છતાઁ આખી બાજી તેના હાથનીજ નથી! માણસ દોડે છે અને એક રાક્ષશીટ્રક ક્ષણવારમા તેને માઁસનો રોટલો કરી નાઁખે છે. ક્યાઁ ગઇ ભાઇ તારી ગતિ, તારી ઉતાવળ? તારુ ઘડિયાળ ક્યાઁ છે? માણસ સલામત ખઁડ્માઁ ડનલોપીલોના ગાદલામા સુતો છે અને ઓચિઁતુ હ્રદય બઁધ પડી જાય છે. દોડતા હોઇએ કે સુતા હોઇએ, આપણી ગતિને કોણ કાપી નાઁખે છે? સઁગ્રામના લડ્વૈયાઓનેય અદ્શ્ય રક્ષણની જરુર પડે છે અન્દ પલઁગમાઁ પોઢેલાને પણ! બધી ગતિ ને સલામતી આપણા હાથમા છે તેવુઁ માનવાની ભુલ ન કરો. જીદગી જીવવા માટે છે. તેને બરાબર જીવો. માણીને જીવો. વર્ષોની ફુટ્પટ્ટીથી તેની મીઠાશનુઁ માપ નથી નીકળવાનુઁ. સાડા પાઁચ વારનુઁ જિઁદગીનુઁ પાનેતર છે. દોઢ્ડાહ્યા વાણોતરની જેમ સત્તર વાર માપવાની ઝડપ કરશો તો તેથી લઁબાઇ વધવાની નથી. આઁસુની બાદબાકી અને સ્મિતના ગુણાકાર માટે આઁકડાની ઘાલમેલ છોડી દો. સુરજ સમયસર ઉગે છે અને સમયસર આથમે છે. પણ વચ્ચે ક્યાઁય ખોટી ઝડપ કરતો નથી. રાતે જાગીને દિવસે ઉઁઘવા કરતાઁ દિવસે જાગીને રાતે ઉઁઘવાનુજ ઠીક છે. આમ તો વાત એની એજ લાગે છે. પણ એની એજ વાત છે તો આમ ઉલટાવી શા માટે? રાતની ઉઁઘને અને દિવસની જાગ્રુતિને તેની પોતાની મીઢાશ છે. એ મીઢાશ જેવી છે તેવી માણવામાઁ શો વાઁધો છે? સાદા દાખલાને ઉતાવળથી અઘરો બનાવવાની ચેષ્ટા છોડી દો.
Monday, May 29, 2006
મૃત્યુ પછી ની ગતી ની ચીંતા શા માટે?
- By Bhupatbhai Vadodaria
ભુપતભાઇના મને ગમતા અને હદયને સ્પર્શી જતા લેખ હવેથી હુ અહિ પ્રગટ કરીશ. બાકીની તેમની કોલમ સમભાવ, સદેશ મા સાઇટ પર નિરંતર વાંચી શકો છો. ઘણા વાચકો ની વીશ હોવાથી ઉનિકોડમા લેખ મુકાશે જેથી ફોંટ ડાઉનલોડ કર્યા વગર વાંચી શકાય (WYSIWYG) .
સદેશ મા પ્રગટ થયેલ ભુપતભાઇ નો આ લેખ સર્વ માટે વિચાર કરવા જેવો છે.
મૃત્યુ પછીની ગતિ ની ચીંતા.......( શબ્દ ભુલ માફ કરશો.)
એક સબનધીએ હમન કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મરયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગની મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગની સતાવ્યા કરે છે. ખરેખર તો સપુર્ન સુરક્ષિતતાની લાગની થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારન સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સબન્ધી પૈસેટ્કે અતિ સુખી છે. મિલકત સારી છે. ધન્ધામા સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પન છે. એમને બિનસલામતીની લાગની રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.
એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી થીક થીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યા ત્યા કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પન મારે રુપિયાનિ ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષન આપે તો સારુ! આ માનસને આ બધા પ્રશનો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પન મનની અન્દર બિનસલામતીની એક લાગની સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડ્તુ નથી.
તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સમ્પુર્ન ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગની વારમવાર કહે છે કે, હુન દુબરામા દુબરો માનસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પન તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાનાજીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પન લગ્ન કરી શકુએવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત દર રહ્યા કરે છે કોઇ જોખમ્ની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસન્દ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડાકમરામાંજ રહે છે. છ્તા બધિયાર જગાનુ પન એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘ્વુ એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખરામા મુકી દેવુ.
માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછર કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટ્લે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બરતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા અશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેથી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વરી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભરી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.
બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વરી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશી અની નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જારવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તોઅ બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધન્ધો બન્ધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુર આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધન્ધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પન કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધન્ધા હોવા છતા નવા ધન્ધાનો જન્મ થાય છે.
આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોરી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમ્ની કન્યાના ગરામા પુષ્પમારા રોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!
કેટલાક વરી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બન્ધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સબન્ધીઓની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વરી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેરવે ત્ય પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટ્લ પોતના આયુષયની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરિર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટેનોના અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકસ્પ્દ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગન્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.
પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તોઅ વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દવા થશી - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડર્ના રુપમા ચીતરવાનો શો અર્થ?
- ઇલાક્ષી પટેલ
Wednesday, May 24, 2006
સાહિત્ય ચોરો
ગુજરાતી બ્લોગ જગત ખુબ સરસ વિકાસ કરી રહયુ છે. જે પોસ્ટ દરેક કરે છે તે ખરેખર ઇંફોર્મટ્વિ હોય છે. અહિ અવેલ એમ. જે. લાય્બ્રેરી ની વાત કરુ. મે બી, ઇટ માયટ બી એંકરેજીગ ટ મેની બ્લોગર્સ. દર્ શનિવારે અહિ સાહિત્ય ચોરો યોજાય છે. તેમા કવિઓ, સાહિત્યકારો, વિધ્યાથીયો, વગેરે પોતાની સ્વર્ચીત રચ્નાઓ પેશ કરે છે. બધા હોશ્થી એટેન્ડ કરે છે અને પોતની કવિતા કે ગઝલ કે શાયરી કહે છે. મે આ સાહિત્ય ચોરો બે-ત્રન વખત અટન્ડ કરીયો છે કારનકે હુ ખુદ એક લાય્બ્રેરી નુ સંચાલન કરુ છુ. એમ. જે. મા દર શનીવાર ના કવિતાઓનો વિશય જાન કરવામા આવે છે. સો થેટ આવનાર પર્સ્ન પોતાની રચના તૈઇયાર કરીને આવી શકે.
આઇ થીંક નેટ પર બ્લોગ્સ પર ભલે કોઇ કવિ કે સાહિત્યકાર ની રચના મુકાય પન ઇફ ઓ લ એડ ઓન ક્રીયેટીવીટી , ઇટ વુડ બી નાઇસ. બ્લોગ જગત નવા ક્લાકારોને પ્લૈટ્ફોર્મ આપી પ્રોત્સાહીત કરે અને અમારા જેવા લોકો જે ગુજરાની હોવા છતા ગુજ્રરાતી લખી નથી શકતા, ધીરે ધીરે ગુજરાતી ક્શેત્રે પન કોંંટ્રીબ્યુશન આપે અને ઇગલીશ એડ્યુકેટેડ ગજરાતી ભુલી ના જાય!
મ્રુગેશ ભાઇ, એસ વી, વિવેક ભાઇ, ધવલ, હરીશ, વગેરે ના કોશિશ આર રીયલી કોમેન્ડેબલ અને આઇ વિશ ઔલ થ બેસ્ટ ટુ ગુજરાતી બલોગ્રસ .
- ઇલાક્ષી
Sunday, May 21, 2006
આક્રુતિ
થોડા સમય પહેલા મન્હર ઉધાસ નો શો અહિ થયો. ગુજરતી ગીત ગઝલ ના ચાહ્કો માટે મનહર ભાઇ એક સરસ મઝાનુ નવુ આલબમ બહાર પાડ્યુ છે. સામાન્ય રીતે આલબમ ના નામ ‘અ’ પરથીselect કરતા મનહર ભાઇએ આ આલબમનુ નામ ‘આક્તી’ રાખયુ છે.ખુબ સરસ કહે છે “કાલ વીતી ગઇ તેનો વિચાર ન કર, આવતીકાલ માટે તુ ખુદ્ ને તૈયાર કર....થૈક્સ ટુ મનહરઉધાસ કે એક સરસ આલબમ બહાર્ પાડ્યુ. તેમના ચાહ્કો માટે એક્ ખુશીની વાત છે. અને થેંક્સ ટુ ધવલ, કાર્તિક અને હરીશ ફોર encouraging me to write in gujarati.
Btw, you may refer my Help file on ‘How to Blog in Gujarati’ …Watch for help on Dynamic fonts, coming soon:-)
- ઇલાક્ષી
Thursday, May 18, 2006
Shraddhanjali to Rameshbhai
ßÜõå ÕëßõÂÞí ÀìäÖë, ÃíÖëõ, ÃDáëõ, ÀëTRëëõÞí PëëWëëÞëõ ±äëÉ ±Üß ßèõåõ. ÃðÉßëÖ ±Þõ ÃðÉßëÖí PëëWëë±õ UëOJ ÉÃÖÞëõ ÖõÉVäí Öëßáëõ ÃðÜëTRëëõ Èõ.
May his soul rest in peace.
- ilaxi
Tuesday, May 09, 2006
Vichar Manthan:Snehni Maya
ìäÇëßÜ_×Þ
By Bhupat Vadodaria:Presented by ilaxi

±ë ç_çëß ±ëì×ýÀ áõäÍØõäÍÞù É ÀëßùÚëß Þ×í ÕHë ÜëHëç ÜëHëç äEÇõÞë VÞõè ç_Ú_ÔÞù ÀëßùÚëß Èõ, ±õËáõ Öù ÜëHëçÞõ °äÞ ±ëËáð_ ÜíÌ<_ áëÃõ Èõ. Üëhë äõÕëßí ÃHëÖßí±ù µÕß É ±ë ÚÔù ÀëßùÚëß ÇëáÖù èùÖ Öù ÜëHëç ÜëHëç äEÇõÞë ç_Ú_ÔÞí Àù³ ÜíÌëå Àõ Àù³ ÛíÞëå èùÖ Þìè Üë Hëç ÜëHëç äEÇõ VÞõèÞí ÜëÝë Þ èùÖ Öù °äÞ Àõäð_ èùÖ? ÜëHëç ÜëHëçÞí ÜëÝë Öù ÚßùÚß Èõ, ÕHë ÕåðÕ_ÂíÞí äEÇõ ÕHë ±õÀ ÜëÝë Èõ. ÉõÜHëõ ìÞßíZëHë ÀÝðý_ Èõ ±õ ½Hëõ Èõ Àõ ½õ VÞõè ±Þõ ÜëÝëÞë ç_Ú_Ô Þ èùÖ Öù °äÞÜë_ Àù³ ßçÀç èùÖ É Þìè. ÜëÝë Þ èùÖ Öù ÜëHëçùÞõ ÕùÖëÞë_ ç_ÖëÞù ±_Ãõ Àù³ ÕþÀëßÞù áÃëä èùÖ Þìè. ±ëÕHëõ ½õ³±õ Èí±õ Àõ VÞõèÞë ç_Ú_ÔùÞí çë_Àâ Øñß Øñß ÕèùîÇõ Èõ. ±ëÕHëõ Àèí±õ Èí±õ Àõ Üëßí ÜëÖë Àõ Üëßë ìÕÖë ±ÜðÀ TÝã@Ö ÕþIÝõ VÞõè×í ±õäë Ú_ÔëÝõáë èÖë Àõ Üë-ÚëÕ ÜùÉ^Ø Þ èùÝ Öù ÕHë ç_Ú_ÔùÞí Øùßí Öù ÇëSÝë É Àßõ Èõ. Àù³ ±ëÕHëÞõ ÕñÈõ Àõ ±ë ÚëâÀ çë×õ ÖÜëßõ åù ç_Ú_Ô? ±ëÕHëõ Àèí±õ Èí±õ Àõ Üëßí ÜëçíÞõ Àõ Üëßë ÀëÀëÞõ ±õÞõ ÜëËõ ÂñÚ VÞõèÛëä èÖù. ±ëÕHëõ ½õ³±õ Öù ÂÚß ÕÍõ Àõ VÞõèç_Ú_ÔÞë_ Üñâ Úèð ¬Íë_ èùÝ Èõ. ç_Ú_ÔÞí ±ë ÀÍí ±ëËáí ±Â_Í Þë èùÖ Öù ÜëHëçÜëHëç äEÇõÞë ç_Ú_ÔÜë_ ±ëÕb_ ±ØQÝ ÂõîÇëHë Þë É èùÖ.
±õÀ B²èV×Þõ Àù³±õ Õþ‘ ÀÝùý Àõ ±ë ÝðäëÞ Éõ ßíÖõ °äí ßëù Èõ Öù ±õÞõ ÜëËõ ÖÜÞõ ±ëäð_ ±ëÀWëýHë À³ ßíÖõ èù³ åÀõ? ±ëÕHëõ ÉäëÚ Ø³±õ Èí±õ Àõ Üëßõ Öõ ìÜhë çë×õ çÃë Ûë³ Éõäù ç_Ú_Ô èÖù. ÖõÞí ÕþIÝõ Üëßí ±õÀ äHëìáìÂÖ ÉäëÚØëßí èð_ VäíÀëßð_ È\_. ÀëöË<_ìÚÀ ç_Ú_Ô Þë èùÝ Àõ Úí½ Àù³ ÕþÀëßÞí çÃë³ ÕHë Þë èùÝ Öù ÕHë ÜëHëç VäõEÈë±õ ÀõËáíÀ ÉäëÚØëßí±ù µÌëäí áõ Èõ. ±õÀ B²èV×Þõ Àù³±õ ±õäù Õþ‘ ÀÝùý Àõ ÖÜëßù çÃù ØíÀßù Ô_ÔëÜë_ Àù³ ÞðÀçëÞ äèùßõ Öù ÖÜõ ÖõÞí ÉäëÚØëßí Õëß ÕëÍäë ÞöìÖÀ ßíÖõ Ú_ÔëÝõáë Èù? ÕHë ÖÜõ Éõ ÝðäëÞ ÜëËõ ±ëäí ÉäëÚØëßí VäíÀëßí ßëë Èù ±õ ÖÜëßí Àù³ ÞöìÖÀ ÎßÉ Þ×í. ±õÞë ìÕÖë±õ ÖÜëßõ ÜëËõ ±õäð_ ÀÝð* Þ×í Àõ ±õÞù Õðhë Éõ Ào³ ÂùË Àßõ ÖõÞí ÉäëÚØëßí ÖÜëßõ µÌëääëÞí èùÝ. ±õÀ çëÇù ìÀVçù Èõ Àõ ±õÀ ìÜhëÞë ±äçëÞ ÕÈí Úí½ ìÜhëõ ±õÞí ÚÔí É ±ëì×ýÀ ÉäëÚØëßí±ù äíÀëßí. ìÜhëÞí Éõ ìÜáÀÖ èÖí ÖõÞí çë×õ ±õÞõ Öù Àåí áõäëØõäë Þ×í. Àù³ çÜëÞ ÛëÃíØëßí Àõ äëÚØëßí ÞèùÖí É. ÈÖë_ ÀõËáíÀ äëß ÜëHëçù ±ëäë VÞõèç_Ú_ÔùÜë_ ±ëäí ÉäëÚØëßí±ù µÌëäõ Èõ. Úèð É ìÞÀËÞë ìÜhëÞí ±ëì×ýÀ ÉäëÚØëßí Üëhë VÞõèç_Ú_ÔÞõ ÀëßHëõ ±õÞõ µÌëääëÞí Þ×í É. ìÜhëÞí ìÜáÀÖ ±õÞë ä_å½õ á³ ½Ý ±Þõ ±ëì×ýÀ ÉäëÚØëßí ìÜhë µÌëäõ, Üëhë VÞõèÜë_×í ¶Ûí ×Ýõáí áëÃHëíÞë ÀëßHëõ É. TÝëäèëìßÀ ßíÖõ Àõ ÀëÞñÞí ßíÖõ ±ëäí Àù³ ÉäëÚØëßí ±õÞë Üë×õ Þ×í. ÜßÞëß ÜëHëçÞí ç_Õìkë ±õÞë ä_å½õÞë ±ìÔÀëßÜë_ ó. ìÜhëÞù ±ìÔÀëß Öù Üëhë ÖõÞí ±ëì×ýÀ áõHëØõHëÞí É ÉäëÚØëßí ÕùÖëÞë Üë×õ áõäë ÕñßÖù ßëù.
±ëÜ É\±ù Öù VÞõèÞë ÞëÜõ ±ë ÂùËÞù Ô_Ôù É ÀèõäëÝ ÈÖë_ ÜëHëç Üëhë É^Þë ç_Ú_ÔÞí çÃë³Þõ ÀëßHëõ ÂùËÞù ±ë Ô_Ôù Àßõ Èõ. ±ë ç_çëß ±ëì×ýÀ áõäÍØõäÍÞù É ÀëßùÚëß Þ×í ÕHë ÜëHëç ëHëç äEÇõÞë VÞõè ç_Ú_ÔÞù ÀëßùÚëß Èõ,±õËáõ Öù ÜëHëçÞõ °äÞ ±ëËáð_ ÜíÌ<_ áëÃõ Èõ. Üëhë õÕëßí ÃHëÖßí±ù µÕß É ±ë ÚÔù ÀëßùÚëß ÇëáÖù èùÖ Öù ÜëHëç ÜëHëç äEÇõÞë ç_Ú_ÔÞí Àù³ ÜíÌëå Àõ Àù³ ÛíÞëå èùÖ Þìè.
Tuesday, May 02, 2006
Bhasha India:Calling Bloggers..
The Indic Bloggers Awards was conceptualized with the aim of encouraging those people who till date have been not only expressing their opinions but also promoting the use of an Indian language on the Internet.
click here and promote your Blog!

I have a long way to go and I guess Awards are for all those buddy Gujarati Bloggers who rise and shine....Heyy...why don't you people list your name in there...All the Best.
- ilaxi
Tuesday, April 11, 2006
Vichar Manthan:Jeevan Dharm

ë°ìäÀëÞð_ çëÔÞ Éõ èùÝ Öõ, ±ëÕHëù Àù³ °äÞÔÜý Öù åùÔäù É ½õ³±õ.
By Bhupat Vadodaria:Presented by ilaxiäë èÞÞë ËëÝß µÕß ÒÃðͳÝßÓ ÞëÜ ±ëÕHëõ äë_Çí±õ Èí±õ. ±õÜ ×ëÝ Àõ ÀùHë èåõ ±õ ÒÃðͳÝßÓ? ±ëÉ×í ±õÀçù Þõäð äWëý Õèõáë_ ±õ ÉLQÝù èÖù. ±ÜõìßÀëÜë_ ÉLÜõáë ±ë ÜëHëçÞð_ ±ëÕHëí µÕß ±õÀ ·Hë Èõ. ßOÚßÞù µÕÝùà å@u ÚLÝù Öõ ÃðͳÝßÞõ ÀëßHëõ. ßOÚßÞí Çí½õ Õèõáë_ ÕHë ±ÞõÀ ÚÞÖí, ÕHë ßOÚß ÖëÕÜë_ ÃßÜíÜë_ ±ùÃâí ½Ý Èõ, Ã_Ôë³ ¶Ìõ Èõ. ±õÞí Ã_Ô ÞëÀÞõ ±õËáí Öù ±çë áëÃõ Èõ Àõ ±ÜõìßÀëÜë_ ÖëÕÜë_ ±ùÃâíÞõ Ã_Ôë³ ¶Ìõáë ±ëäë ßOÚßÞõ ÉÜíÞÜë_ åÚÞí ÉõÜ ØëËí Øõäð_ ÕÍÖð_ èÖð_. ÇëSçý ÃðͳÝßõ À_Ãëâ ÃßíÚí ±Þõ ØõäëÞë Í<_ãßþí>Úõáí èëáÖÜë_ Üßí ÃÝù, ÕHë Öõ ÒÀ_³ÀÓ ±ëÕÖù ÃÝù.
ÜèëIÜë Ãë_Ôí ÚÔð_ É ÈùÍíÞõ ÛëßÖÞí ½Þí ½B²ìÖÜë_ ÕùÖëÞí °äÞåã@Ö èùÜí Øõ, ÜùÖíáëá Þèõßð ÔíÀÖí äÀíáëÖ ÈùÍíÞõ ±ë{ëØíÞë É_ÃÜë_ {_Õáëäõ Àõ ÜèìWëý ±ßìä_Ø µFÉäâ ÀëßìÀØaÞë_ VäMÞ ½õäëÞð_ ÈùÍíÞõ ±ëIÜiëëÞÞù Õ_× ÕÀÍõ IÝëßõ ÖõÜë_ ÖõÜÞë °äÞÔÜýÞù ÞëØ çë_Ûâí åÀëÝ Èõ. ±ëÕHëë °äÞÜë_ wìÕÝë ±Þõ ÜëÞ-çkëëÞð_ ÇáHë ±õËáð_ ÚÔð_ äÔí ÃÝð_ Èõ Àõ ±ëÕHëõ ±ë°ìäÀëÞõ ±ëÕHëí ÖÜëÜ åã@Ö±ùÞë ìááëÜÞð_ ÚèëÞð_ ÚÞëäí ØíÔð_ Èõ. ±ë³LVËë³Þõ ÕùÖëÞí åùÔùÞù äõÕëß ÀßäëÞí Þë ÕëÍí èÖí ±Þõ äõÕëß ÜëËõ Àù³ åùÔ ÀßäëÞí Þë ÕëÍí èÖí. ÖõÜë_ ÖõÜÞë °äÞÔÜýÞí çEÇë³ ÚùáÖí èÖí. ±Ãëµ ÉõÜÞõ çëìèIÝÞð_ ÞùÚõá ÕëìßÖùìWëÀ ÜYÝð_ èÖð_ Öõ ÝèñØí áõÂÀ ìç_Ãß ±õÀ ÈëÕëÞë ñÎßíÍß Èõ. ñÎ äë_ÇÞëßë ìç_Ãß, ÖõÞí äëÖëý±ùÞõ áíÔõ, ÖõÞí ÞäáÀ×ë±ùÞõ áíÔõ, CëHëë_ ÚÔë_ äWëùý áÃí °äåõ. ñÎßíÍßÞí ÞùÀßí ±õ Öù ±ë°ìäÀëÞð_ çëÔÞ. ÜëHëç ±ë°ìäÀë ÜëËõ ÃÜõ Öõ çëÔÞ Üõâäõ ±õÞð_ Úèð Üèkä Þ×í. ±ÃIÝÞù çäëá ±õÞù °äÞÔÜý åð_ Èõ ±õ Èõ. ±ëäù °äÞÔÜý ÚÔë ÜëHëçùÞí ÚëÚÖÜë_ ±Üß ÀíìÖý, ÞëÜÞë Àõ äõÕëßí áëÛÞí Ãð_½åäëâù èù³ Þë åÀõ, ÕHë °äÞÔÜý ±õ ÜëHëçÞí ÕùÖëÞí ÂðåÚù Èõ. ±ëÕHëõ ±ë°ìäÀëÞõ ÀëßìÀØaÞë ÜùËë ÇùÀÌëÜë_ äÔð Þõ äÔð ÃùÌääë Üë_Íí Èõ Þõ ±ëÜ ÀßíÞõ ±ëÕHëõ ±ë°ìäÀëÞí ÜÝëýìØÖ ÉwìßÝëÖÞõ ìÛZëðÀÞí çØë ±ç_ÖðWË ÝëÇÞëÜë_ Îõßäí ÞëÂí Èõ. ÉõÜ äÔð ÔÞ Üâõ, äÔð ÞëÜ Üâõ, äÔð ÜëÞ Üâõ, äÔð Ûëä Àõ çkëë Üâõ ÖõÜ ±ëÕb_ ÀëÜ ¬Çð_! ÞëËÀÜë_ ±õÀ ÜëHëç ÚßëÚß ßë½ ÚÞõ Èõ, ÕHë Öõ ÂßõÂß ßë½ Þ×í èùÖù. ÞëËÀÜë_ ±õõÀ ÜëHëç ìÛÂëßí ÚÞõ Èõ, ÕHë Öõ ÂßõÂß ìÛÂëßí èùÖù Þ×í. Âßí ÂñÚí IÝë_ É Èõ Àõ Öõ ÂßõÂß åð_ Àßõ Èõ ±Þõ ÖõÞí ÞÉß ±ëÃâ Àõ ÕëÈâ ÀõËáí Õèù_Ç Èõ! ÀõËáíÀ äëß ±õäð_ ÚÞõ Àõ ÜëHëçÞù °äÞÔÜý É ±õäù èùÝ Èõ Àõ ÖõHëõ ±ìçì©Þù ±_ÔÀëß É ±ùÏí ßëÂäù ÕÍõ. Q²IÝð Üõâääð_ çëßð_, ÕHë ÕëßÀù ÔÜý Ú½ääëÜë_ ÉÚßð_ ½õÂÜ Èõ. ±ë°ìäÀëÞð_ çëÔÞ Éõ èùÝ Öõ, ±ëÕHëù Àù³ °äÞÔÜý Öù åùÔäù É ½õ³±õ.