Thursday, March 12, 2015

12th March and an article on Books


પુસ્તક
- ભુપતભાઇ વડોદરિયા 

છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે! પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી! ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો?

જે જુવાનને મનગમતાઁ પુસ્તકો વસાવવાની પોતાની અશક્તિ માટે લાગી આવ્યઁ હતુઁ એ જુવાન સાથે ઘણી બધી વાતો નીકળી. એમાઁથી એવુઁ સમજાયુઁ કે, પુસ્તકની વાત તો ઠીક છે, ઘણી બધી આવી બાબતોમાઁ જુવાન માણસને કશીક જરૂરી અને ઉપકારક સાધનસામગ્રીથી વઁચિત રહી ગયાની લાગણી થયા કરતી હોય છે. આ લાગણી એના અઁતરને પીડ્યા કરે છે. વઁચિત રહી ગયાની લાગણી એટલી તીવ્ર હોય છે અને એટલી નકારત્મક અસર કરે છે કે એક પછી એક વસ્તુઓ તેમની નજર સામે પસાર થઇ જાય છે. એ વ્યક્તિ એ કારવાઁને જોયા કરે છે, પણ કશુઁ ઝડપી લેવા તત્પર બનતી નથી! રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે? એ તો કોઇ વિધિમાઁ ભાગ લઇ શકે નહિ. ગઁગાના કિનારે રામક્રૂષ્ણે માત્ર જળથી અઁજલી આપવાનુઁ વિચાર્યુ પણ આઁગળીઓ જકડાઇ ગઇ. જલની અઁજલિ પણ આપી ન શક્યા. રામક્રૂષ્ણથી રડી પડાયુઁ. કોઇ પણ ઉમરે માતા જાય ત્યારે માણસનુઁ હ્રદય રડ્યા વગર રહી ન શકે. રામક્રૂષ્ણ સાચુકલા માણસ હતા. એમણે બતાવ્યુઁ છે કે માણસની અઁદર જ પુસ્તકોનાઁ પુસ્તકો હોઇ શકે છે.

છેવટે માણસ પુસ્તક તરફ કેમ આટલો બધો ઉમટે છે? કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે? તોઅ માણસ જવાબમાઁ કહી શકે છે કે આ ચોપડી આપ નામદાર વાઁચી લો, તેમાઁ મારી બધી વાત આવી ગઇ છે. આવોજ અભિપ્રાય દોસ્તોવ્સીની મહાન નવલ કથા બ્રધર્સ કરામઝોવ માટે આપવામાઁ અવ્યો છે. વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇંસ્ટાઇને આ નવલકથા માટે એવુઁ કહ્યુઁ છે કે, કોઇ વૈજ્ઞાનિક ચિઁતક પાસેથી મને જે કાઁઇ મળે તેનાથી વધુ મને દોસ્તોવ્સ્કી પાસેથી મળ્યુઁ છે. પુસ્તકની ખરેખરી પ્યાસ જાગે છે ત્યારે તે ગમે ત્યાઁથી મળી જાય છે. આઇંસ્ટાઇન વાળ ન કપાવે, પણ પુસ્તક મેળવી લે અને લિઁકન સારાઁ કપડાઁ ન પહેરે, પણ પુસ્તક માટે પૈસા ખર્ચે.
 
છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ કરી શકે છે. તે માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત નક્કી કરવાની છે.

12th March and an unforgettable day for me - My dad was born this day - Gandhiji's Salt Satyagraha and Sambhaav Newspaper's birthday. It is not a death of a newspaper with many years of continuous Sambhaav Metro rolling -The new site http://www.sambhaavmetro.com is also launched. However, there is no match substitute to the newspaper that Bhupatbhai managed. One got to accept with grace. Sambhaav Newspaper started way back on 12th March 1986. A great Literature soul and Author of over 60 Books, Bhupatbhai lives in our hearts. All the best Gujarati Columnist appeared in the then Sambhaav Newspaper. And Bhai had great rapport and love for all. I worked with Sambhaav from 1997 to 2004 and he always inspired and encouraged me to be an Outstanding Journalist and I did win a laurel - got an Award for Outstanding Journalist by Kadva Patel Community Mahila wing in 2009. And, when I remember Bhai today, my heart fills with emotions that have no words to say except pray for a great literature soul and keep the wonderful memories of the yester years.


Thursday, March 05, 2015

મજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે



મજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે
ભૂપત વડોદરિયા

નોર્વેના નોબેલ પારિતોષિકવિજેતા લેખક નટ હેમસનની અલગારી’ કથાઓ વિશે વાંચતો હતો તેમાં નટ હેમસનના જીવનની પણ ઘણી વિગતો વાંચી. ઈ. સ. ૧૮૫૯માં જન્મેલા આ નોર્વિજન લેખકની પ્રથમ નવલકથા હન્ગર’ (ભૂખ) ખૂબ વખણાયેલી. નટ હેમસન ગરીબરોટીના એક ટુકડાનો મોહતાજ પણ તદ્દન મસ્ત માણસ. પગરખાં વગરના પગેજૂનાં જર્જરિત કપડાંમાં એ ખાલી ખિસ્સે ગમે ત્યાં ઘૂમ્યા કરે.

અક્ષરશઃ યાત્રિક! જુવાન નટ હેમસન અમેરિકા ગયેલો અને ત્યાં લોહીની ઊલટીઓ થઈ. હેમસનને ઇસ્પિતાલમાં લઈ ગયા અને ક્ષયરોગનું નિદાન થયું. નટ હેમસને હસીને કહ્યું કે આવા રોગના દવાદારૂ કરવાના ફાજલ પૈસા મારી પાસે નથી! એમણે લખ્યું હતું, ‘તાજી હવા લઉં છું અને તાજી હવા મારાં ફેફસાંમાં ભરું છું.’ શું બન્યું એ તો કોણ જાણે પણ નટ હેમસન ક્ષયરોગથી મુક્ત થયો હોય કે ના થયો હોયપોતાની રખડુ જિંદગીમાં ખાસ કંઈ ફેરફાર કર્યા વિના નેવું વર્ષથી વધુ જીવ્યો.

અંગ્રેજી ભાષાના એક સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી પણ ઘણું બધું લાંબું જીવ્યા. બરાબર અઠ્ઠયાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા. બેત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમના જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતીપણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા. આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને દાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નીરોગીપણું લાંબી જિંદગીનો કોઈ વીમો નથી. આપણે તંદુરસ્ત માનેલા માણસોને આપણે અચાનક મૃત્યુ પામતા જોઈએ છીએ. અચાનક બેચાર દહાડાની તબિયતની કોઈ ગરબડમાં ચાલ્યા જતા જોઈએ છીએ. આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી. એટલે માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે. કોણ કેટલું જીવશે અગર ક્યારે તેનું મૃત્યુ થશે તે ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે. એ બધા પોતાના કાર્યમાં જ બરોબર પરોવાયલા રહ્યા છે. 

તબિયતની ગમે તેટલી અસહ્ય કનડગત અને આર્થિકસામાજિક સંજોગોની ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આવી વ્યક્તિઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. તેનું એક નોંધપાત્ર દ્રષ્ટાંત રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું ગણી શકાય. તેને વાઇનું દર્દ હતું અને તેનો હુમલો આવે ત્યારે તે દિવસો સુધી માંદો અને નિર્બળ બની રહેતો. તેના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો ભારપોતાના કુટુંબનો ભાર અને આવકનું કોઈ નિશ્ચિત સાધન નહીં. વધુમાં નસીબ અજમાવવાની લાલચમાં તેણે કરેલું મોટું દેવું કઈ રીતે ચૂકવવું એની પણ સતત ચિંતા! લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે! અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે! માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાની કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ  કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથીતે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે.

ઈંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો અને બર્નાર્ડ શોની જિંદગીનાં પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેમને માથે આવી પડ્યાંતે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીનેચોક્કસ પ્રકારની શિસ્ત પાળીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું. મોં કટાણું કર્યા વિના અને હસતાં હસતાં!’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા! એમની વિનોદવૃત્તિધારદાર કટાક્ષોવક્રોક્તિઓ આજે પણ આપણને જરાય વાસી’ લાગતાં નથી. બર્નાર્ડ શો પણ ખૂબ લાંબું જીવ્યા અને તબિયતના ગંભીર પલટાઓ સામે તેમણે હસતા ચહેરા સાથે જ મુકાબલો કર્યો!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી....

Thursday, February 19, 2015

મૃત્યુ સ્વાભાવિક છે....તો જીવન આશ્ચર્ય છે

મૃત્યુ સ્વાભાવિક છે....તો જીવન આશ્ચર્ય છે
ભૂપત વડોદરિયા

ફ્રેન્ચ ફિલસૂફનિબંધલેખક મોન્ટેને એવું કબૂલ કર્યું છે કે મૃત્યુનો ડર મને લાંબા વખતથી સતાવ્યા કરતો હતો. મારી તબિયત અલમસ્ત હતી ત્યારે પણ થતું કે મોત તો નક્કી છે અને કોઈ પણ પળે આવી શકે છે. મોતનો ખ્યાલ અને એનો સતત ભય  એમાંથી છૂટવા શું કરવું? તેણે આમાંથી રસ્તો કાઢ્યો. મોન્ટેન કહે છે ઃ ‘ફિલસૂફી માણસને મોતથી નહીં ડરવાનું શીખવી શકે છે. માણસને ગૌરવપૂર્વક મરતાં શીખવે એ જ ફિલસૂફી.’ મહાકવિ કાલિદાસની જેમ જ મોન્ટેન કહે છે કે મૃત્યુ સ્વાભાવિક છે  જીવન આશ્ચર્ય છે.

આખા વિશ્વની વ્યવસ્થા સાથે મૃત્યુ સુસંગત છે. મોન્ટેન એવો સવાલ કરે છે કે આપણા મૃત્યુ પછી આપણે નહીં હોઈએ એ ખ્યાલ આપણને આટલો બધો અકળાવનારો શું કામ લાગવો જોઈએ? આપણા જન્મ પહેલાં આપણે નહોતા તે વિચારથી શું આપણે અકળામણ અનુભવીએ છીએ? જન્મ પહેલાં આપણે ક્યાં હતા? એ જેવો એક અજ્ઞાત વિષય છે તેમ મૃત્યુ પછી ક્યાં હોઈશું તે પણ એવો જ અજ્ઞાત વિષય છે.
સેનેકાની શિખામણ મોન્ટેનને બરાબર ગળે ઊતરી ગઈ. બેધડક મોતનો વિચાર કરો  વારંવાર વિચાર કરો અને એમ કરીને મોતનો ડર મનમાંથી કાઢી નાખો. કોઈ પણ પળે વિદાય લેવાની તૈયારી સાથે માણસે જિંદગીને માણવી જોઈએ.

મોન્ટેન ફિલસૂફ ખરો, પણ ફિલસૂફ પણ આખરે માણસ તો છે જ ને? મોતને ગમે તે પળે વધાવી લેવાની સજ્જતા કેળવવાની સલાહ આપનારા મોન્ટેનના જીવનમાં એવા બનાવો બન્યા કે તેને પોતાને જ પોતાની સલાહ ભૂલભરેલી લાગી! મોતનો સતત વિચાર કર્યા કરવો એ તો પળે પળે મરવા બરોબર જ છે! મોન્ટેનની નાનકડી પુત્રીઓ મરી ગઈ હતી. એના વતનના પ્રદેશ બોરડીઓમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. મોત માત્ર ચિંતનનો વિષય મટીને એની પોતાની જ ગરદન ઉપર એક ગરમ ફૂંક બની ગયું! મોન્ટેન જીવતો માણસ છે  ગમે તેવા મોટા ફિલસૂફોના કે ખુદ પોતાના વિચારોને પવિત્ર પોથી ગણીને પકડી રાખે એવો નથી. મોન્ટેને પોતાના વિચારોમાં સુધારો કર્યો. એણે કહ્યું કે મોતનો સતત વિચાર કર્યા કરવાથી મોતનો ડર તો નીકળે કે ન નીકળે, પણ જિંદગીની ચિંતા વધે છે! એટલે મને લાગે છે કે આપણે સારી અને સાર્થક રીતે કેમ જીવવું એટલું જ શીખવાની જરૂર છે. બરાબર જીવતાં શીખએ તો પછી આપણને બરાબર મરતાં પણ આવડી જશે.

મોન્ટેન કહે છે કે જિંદગીનું મૂલ્ય તેનાં વર્ષોની લંબાઈમાં નથી, પણ તેનો શું ઉપયોગ કરીએ છીએ તેમાં છે. મોન્ટેન કહે છે કે મારી જિંદગીનો સમય મર્યાદિત છે તે હું જાણું છું એટલે હું બમણા ઉમંગથી જિંદગીને માણું છું. મારી જિંદગીને વધુ વજનદાર બનાવવા મથું છું. જીવન ટૂંકું છે માટે હું વધુ અર્થસભર અને ભરપૂર બનાવવા માગું છું.

મોન્ટેનના સામે છેડે ગિઓરડાનો બ્રુનો છે. ટેલિસ્કોપની શોધ થઈ તે પહેલાં જ બ્રુનોએ એવું કહ્યું હતું કે બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય નથી  એ પણ એક તારો છે અને ઘણા બધા સૂર્યો છે. બ્રહ્માંડ અનંત છે  સમય અનંત છે. બ્રુનોના સમયમાં ટેલિસ્કોપ નહોતું એટલે પશ્ચિમના જગતમાં તો બ્રુનોની આ બધી વાતો ભવિષ્યની આગાહી સમાન જ ગણાય.

બ્રુનો કહે છે કે મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. આ વિશ્વમાં કશું નાશ પામતું જ નથી. પરિવર્તનની એક અખંડ પ્રક્રિયા ચાલ્યા કરે છે અને કશું તત્ત્વતઃ મૃત્યુ પામતું નથી  કશું ઘટી જતું નથી, ઓછું થઈ જતું નથી  માત્ર તેનું સ્વરૂપ બદલાય છે.

બ્રુનો કહે છે: આ વિશ્વમાં તમામ વસ્તુઓ છે અને તમામ વસ્તુઓમાં વિશ્વ છે. આપણે તેનામાં છીએ અને તે આપણામાં છે. મૂંઝાવા જેવું કશું જ નથી. આ વિશ્વમાં કશું જ નાશવંત નથી. અનંતનો આ સરવાળો અનંત જ છે. તેમાંથી કશું બાદ થતું નથી અને કશું શૂન્ય બની જતું નથી.

બ્રુનો કહે છે કે મૃત્યુને હું અશક્ય જ ગણું છું. મને જ્ઞાનની જે અણછીપી પ્યાસ છે, વધુ રૂપવાનગુણવાન થવાની જે અનંત ઝંખના છે તે જ મારે મન આ વિશ્વની અનંતતાનો પુરાવો છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી............

Happy Birthday Bhupatbhai - his memories are alive in our hearts
Born on 19th February  1929- 4th october 2011

Saturday, October 18, 2014

દિવાળી ખરેખર શું છે?

અંતરના માંડવે આગિયો
ભુપતભાઈ વડોદરિયા
(વહાલી વસમી ઝીંદગી માંથી)

ઍક સંવેદનશીલ જુવાને હમણા કહ્યુકે, દીવાળીને હવે બહુ થોડા દિવસ રહ્યા. ચોપસ ખરીદી ખરીદી ચાલશે. હજુ બોનસ બોનસ ચાલે છે. પછી લોકો બે ચાર દીવસ રૂપિયાની તદાફડી અન ટેટાબાજી ચલાવશે. કોણ જાણે દિવાળીનો સાચો આનંદ જણાતો નથી. લોકો પહેલા કરતા અત્યારે વધારે દુખી છે, ઍવૂ નથી. તેથી ઉલ્ટુ, અગઊના કરતા અત્યારે ઍકંદરે સુખ સગવડો વધી છે. છતાં દિવાળી નો ઉત્સાહ જણાતો નથી.

વાત સાચી છે. હોળીના રંગ બદલાયા છે. તે વધુ કીમતી બન્યા છે. વધુ કીમતી વસ્ત્રો ઉપર તે ઘુટાય છે. પણ હોળીનો આનંદ દેખાતો નથી. દિવાળી આવે તે પહેલા લોકો પોતાની શક્તિ પ્રમાણે ઘરના રંગાવે છે. સાફ્સુફી કરે છે. નવા વસ્ત્રોની ખરીદી કરવા વિચારે છે. તરેહ તરેહ ના ખર્ચ નો અંદાજ લગાવે છે. બોનસ ઉપર ટાપીને બેસે છે. ગમે તેમ વધારાનો બંદોબસ્ત પણ કરી લે છે. આ બધા ખર્ચના ધૂમધડાકા પછી રોજીંદા જીવન માં એક સુનકાર ફેલાવે છે. તારીખના વધુ પાના ફાટે છે અને ગૃહસ્ત ને ગૃહિણી વિચાર કરે છે કે આ તે દિવાળી કે દેવાળુ ?

પાના રંગોની સજાવટ, સાફસૂફીનો  ચળકાટ કે રોશનીની ઝગમગાટ  છતાં સાચી રોનક દેખાતી નથી. નાનકડા ગામડામાં બેઠેલા એક ગરીબ માનસ ની ઝુપડી બહાર ટમટમતા દીવડા જેટલું દૈવત પાણ  શહેરોની ઝાક્ઝમાળ જોવા મળતું નથી. ગામડામાં જન્મેલો અને શહેરમાં સુખી થયેલો માણસ વિજળી કે ગોળના હરડા પ્રગટાવીને જોઈ રહે છે. તેની યાદદાસ્ત કહે છે કે એક બાળક તરીકે એણે કોઈ ગામડે જેવી દિવાળી ઉજવી હતી દિવાળી નથી. એક કિશોર તરીકે એણે માત્ર પોટાશ ફોડ્યો હતો., સદા લાવીન્ગ્યા એક એક ગણીને ફોડ્યા હતા.છતાં તેમાં આનંદ હતો. તે આનંદ આજે નથી. આજે તો કાનમાં ધાક પડી જાય તેવા બુલંદ ટેટા, રોકેટ વગેરે કાઈ કાઈ ફૂટે છે. પણ એમાંથી કર્કશ ઘોંઘાટ અને નાકને સંકોચી દે તેવી તીવ્ર વાસ સિવાય કઈ પણ નીપજતું નથી.

આનું કારણ શું? આનું કારણ એ છે કે આપણે વ્યવસાયી જીવન જેવી ધમાલ તહેવારોની  ઉજવણીમાં પણ ભરી દીધી છે. અપને તહેવારોની મજાનું પણ ખર્ચ કરવાના જુવારી જુસ્સાના ત્રાજવે ટાંગી દીધું છે. જેમાં વધુ નાણા ખર્ચીએ તેમ વધુ મજા! અપણે બધી બાબતોમાં આવું સમીકારણ ગોખી નાખ્યું છે. આપણને સમજાતું નથી કે અંતરમાં સાચા આનંદના નાનકડા ઝરણાની તોલે ગંજાવર ખર્ચના કોઈ કાડાકા ભડાકા આવી શકે તેમ નથી. તમારા અંતરમાં આનંદનું ઝરણું હોયુ છે. એના તળ સજા હોય તોં સાદામાં સાદી ઉજવણીમાંથી સુંદરમાં સુંદર રંગોળી પ્રગટે છે. આનંદનું ઝરણું સુકાઈ ગયું હશે તોં બહારની કોઈ ઝાક્ઝમક, કોઈ ચહલ પહલ, કોઈ ખાણી પીણી ઉત્સવનો સાચો આનંદ આપી નહિ શકે. દુનિયામાં બધું પૈસાથી થઇ શકે, તેવો અપણો બ્રહ્મ ભાંગ્યો નથી. જેમ વધુ નાણાં ખર્ચીએ તેમ વધુ આનંદ આવે તેવો ખયાલ હજુ છુટ્યો નથી. દિલમાં આનંદ ના હોય અને અપણે ગમે તેવા રંગીનસફાઈદાર વસ્ત્રો સજીયે કે દીવાનખાનું શણગારીએ તોં તેથી મજા આવતી નથી. આવી ઉજવણી એક ધમાલ બની જાય છે. જીવાનસંગર્ષ ની બધી ધમાલ, બધી ઉતાવળ, બધો સ્પર્ધાભાવ અપને તહેવારોની ઉજવણીમાંથી જન્મે છે. સદા કોડીયાકે એક નાની મીણબત્તી નું શાંત શીતળ અજવાળું છોડીને અપને વીજળી તોરણોની ખરચાળ લાબુક્ઝાબુકના દેખાવમાં ખોવાઈ ગયા છીએ.

લોકો દિવાળી નિમિત્તે મીઠી અને ફરસાણ બનાવે છે કે તૈયાર મીઠાઈઓ ઉપાડી લાવે છે, પણ તેનો સ્વાદ માણવાની માનસિક તૈયારી ક્યાં? સ્વાદ અપને માણી શકતા નથી. કારણકે દરેક ચીજની સાથે આપને અદેશ્ય આવું કિંમત દર્શાવતું પતાકડું ચીટકાવી દીધું હોય છે. કોઈ અપની મીઠી વખાણે ત્યારે આપનાથી બોલી જવાય છે : અરે, આ બધું કેટલું મોઘું થઇ ગયું છે! તહેવારો માણીએ છીએ તે પણ અપના નાના નાના અસન્તોષો નું આણુ પાથરીને! રોશની બરાબર પ્રગટાવીએ છીએ પણ મનની આંખ વીજળીના મીટર ઉપર ચોટેલી હોય છે. ફટાકડા ફોડીએ છીએ, પણ તેનો આનંદ એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત છીએ, પણ તેનો આનંદ, એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત થઇ જાય છે. બેસતા વર્ષના અભિનંદનોની આપલે માટે માનો કાંટો મોટર, સ્કુટર કે રીક્ષાના મીટર ઉપરજ કાંપયા કરતો હોય છે. મિલનમાં ઉમળકો નથી. મિલનમાં નિરાંત નથી. જાણે હુતુતુ રમતા હોઈએ તેમ સ્નેહીયો, સંબંધીયોના બારણે હાથ દીધો ના દીધો અને વળી દોડધામ ચાલુ ! સાચા ઉમળકાના સથાવાલા વિના માત્ર કર્તવ્યપાલન નો ખેલ હોય છે. આજે શેઠને ઘરે જવું પડશ, આજે સાહેબને માલ્વુંજ પડશે - આમાં પણ ધંધાદળી સંબંધોની લાચાર સગાઇ બોલે છે. કોઈને મન મુકીને મળવાની વાતજ નથી. ફાયદાકારક સંબંધોને ચોપડે કોઈક જમા કરાવી દેવાની ગણતરી હોય છે.

દિવાળી પ્રકાશનો ઉત્સવ માટીને માત્ર અંધકાર ની ઉજાણી બની ગઈ છે. તેનું કારણ અપનો પોતાનો બદલાઈ ગયેલો અભિગમ છે. જીવન પ્રત્યેનું આપનું વલણ બદલાઈ ગયું છે. દિવાળી ટાણે પણ આપણને આજ ઉપાધી પીડતી રહે છે. દિવાળી ખરેખર શું છે? એ કહે છે કે અંધકાળથી ડરવાની જરૂર નથી. ગમે તેવી અંધાળી  અમાસને છેડે ચાંદ  ઉભેલો હોય છે. ગમે તેવી અંધાર્ળી રાતના છેલ્લા પ્રહાળ માં સુરજ હાજર થવા તેનો રેશમી સાફો બાંધી રહ્યો હોય છે. અંધકાર અને પ્રકાશની આ ફેર ફૂદેડી ચાલ્યાજ કરે છે અને ચાલ્યાજ કરવાની છે. દિવાળીનું કાજળ આંખમાં આંજો - નુતન વર્ષનું તેજ કિરણ તેમાંથી ફૂટશે। સમયની તીમ્પણું ભલભલાને થકવી નાખે તેવું હોય છે. એટલે તેમાં આવા પ્રકરણો તોં પાડવાજ પડે. કથા સળંગ છે. પણ તેના ચઢાવ ઉતાર આવા પ્રકરણોને આભારી છે. એક પ્રકરણની સમાપ્તીમાં નવા પ્રકરણનો આરંભ સંતાયેલો  હોય છે. જીંદગીમાં આસો કારતકની સગાઇ સમજો। એક વર્ષનો છેડો બીજા વર્ષનો મંગલ આરંભ છે. જિંદગીના હરેક તબક્કાને આ વાત લાગુ પડે છે. મધુર શૈશવ પૂરું થતા તોફાની બાળપણ રમવા માંડે છે. અને બાળપણની વિદાયને કિશોર અવસ્થા ભુલાવી દે છે. કિશોર કાળ ની સમાપ્તિને યૌવનની વસંત નવી ચાલ શીખવે છે. યૌવનનો અંત પીછાનીયે તે પહેલા ઘરના ઘોડિયે ફરી પોતાનાજ પ્રાણપ્રહ્વામાંથી પ્રગટેલું શૈશવ ખેલવા માંડે છે. હરેક ખરતા પાનની ઓથે નવી કુંપળ ઉભી છે. માટીના કોડીયા તૂટતા રહે છે. પણ જિંદગીનો દીવો નવી વાટ માં અખંડ જાગરણ કાર્ય કરે છે.

દિવાળી ખરેખર માણવી છે? પહેલીજ વારના ફટાકડાથી ડરતી શૈશવની આંગળીયો તમારા કરચલી ભરેલા હાથમાં શોધો। પહેલી વાળ ફટાકડાની સળંગ લુંમની તડાફડી હાથમાંજ થવા દેવાની હિંમત મેળવનારો કિશોર યાદ કરો. અને, એ દિવાળી યાદ કરો જયારે એક જવાન તરીકે તમે આવી રહેલા કારતકની ઠંડીનો ચમકારો પહેલી વાર સ્ત્રીની હૂંફની ઝંખના કરી હોય. દિવાળી માણવીજ  હોય તોં તમારા અંતરમાં બેઠેલા બાળકને, કિશોરને, જુવાનને સાદ પાડો।

દિવાળીનો આનંદ પ્રકાશ ના તોરણમાં નથી, તમારા અંતરના માંડવે  રમતા અગીયામાં છે. દિવાળીનો ઉમંગ વીજળીક ગોળાની રંગીન છટા માં નથી, કોડિયાની માટીની વાસ પારખવાની તમારી ધ્રાનેન્દ્રિયામાં કે મીણબત્તી ના ઓગળતા મીણ માં ચમકતા તમારા હૃદય ભાવોની પીછાણમાં છે. દિવાળીની મજા મોંઘી મીઠાઈમાં નથી, તમારા એવા ને એવા તાજા  સ્વાદમાં છે. દિવાળી નવા વસ્ત્રોમાં રમતી નથી, તમારી અંદર જીવતા રહેલા બહુરૂપીની કાળમાં જીવે છે. દિવાળી મોટા ફટાકડામાં બોલતી નથી, તમારા હૈયામાં ગાજતા ઉમંગ ના પડઘમમાં બોલે છે. દિવાળી તમારા વાહનની તેજ રફતાર માં ડોડતી નથી, તમારા ચરણની ઉતાવળી ગતિમાં દોડે છે. દિવાળી તમારા વેપારના ચોપડામાં કે તમારી નોકરીના પગાર પત્રકમાં નથી, જુના-નવા સંબધનો જમા ઉતારમાં છે.

દિવાળી આવી છે તોં વિષ્ણુ બનો, લક્ષ્મી આવશે. દિવાળી આવી છે તોં તમે શંકર બનો, પાર્વતી તમને શોધી રહી છે. તમારી જીંદગીના તમે બ્રહ્મા બનો - નવું વર્ષ, નવી જીંદગી, નવી દુનિયા ખડી કરવાનું તમારા હાથમાંજ છે.

__________________

દરેકને મારા વતી પ્રણામ અને નવા વર્ષની શુભકામના - ભાઈ નો આ લેખ દિવાળી વિષે એક અનેરો આનંદ આપને આપશે એની મને ખાતરી છે. દિવાળી આપના સહુના અંતરમાં રહેલા ઉત્સાહનો પર્વ છે અને ખરેખર અંધારી અમાસને છેડે ચાંદ  ઉભેલો હોય છે - એક નવી રોશની નું તેજ નવા વર્ષમાં સહુને મળે તેવી મારી શુભેચ્છા। 

Thursday, August 07, 2014

તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં

તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં!
ભૂપત વડોદરિયા

સારી તબિયત સારી રીતે જીવવા માટે છે. માત્ર તબિયત ટકાવવા માટે કંઈ જીવવાનું નથી. આપણે જાણીછીએ કે નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા છે અને ઘણું કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ નીરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર ‘હાજરી’ પુરાવતા રહ્યા છે. આયુષ્યને તબિયતની સાથે થોડો સંબંધ છે-ખરેખર ઝાઝો સંબંધ નથી! એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય! આનો ભેદ આપણે જાણતા નથી.

અમેરિકાના પ્રમુખ ફ્રાંકલીન ડિલીનો રૂઝવેલ્ટનું કમર નીચેનું અડધું અંગ ભરજુવાનીમાં ખોટું પડી ગયું, છતાં તેમણે જાહેર જીવનનું કાર્યક્ષેત્ર ન જ છોડ્યું અને તબિયતના ગંભીર પ્રશ્નમાં પણ કદી નાસીપાસ થયાની લાગણીને મચક ના આપી. કેટલાક લોકો તબિયતની બાબતમાં એટલા માટે ગાંજી જાય છે કે તેઓ પોતાના રોગને કે તબિયતની નાદુરસ્તીને ‘શિક્ષા’ ગણે છે પણ તેને ઈશ્વરની કે નસીબની કોઈ શિક્ષા ગણવાની જરૂર જ નથી. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું અને બીજા પ્રશ્નો પણ હતા. રામકૃષ્ણ પરમહંસે કદી શરીરની મર્યાદાને શિક્ષા કે પોતાની અશક્તિ કે ગેરલાયકાતરૂપે જોઈ નહોતી. સ્વામી વિવેકાનંદને પણ તબિયતના પ્રશ્નો હતા. સંતશ્રી મોટાની શારીરિક પીડાની વાતો જાણીતી છે, પણ આ લોકોએ કદી નરમ તબિયતને નિષ્ક્રિયતાના બચાવનામા તરીકે વાપરી નથી અને પોતાના દુઃખનું કારણ પણ ગણી નથી. માણસનું શરીર તો માટીનું છે-આપણે જાણીએ છીએ કે અત્યંત મજબૂત બાંધાના અને પોલાદનાં યંત્રોમાં પણ કોઈ ને કોઈ કારણે, ક્યારેક ને ક્યારેક કોઈક ભાગ બગડે છે અને ખોટકો ઊભો થાય છે. માણસને પોતાના શરીરમાં કોઈ ત્રૂટીનો અનુભવ થાય તો તે માટે તેણે ઈશ્વરનો, મા-બાપનો કે પોતાની જાતનો કોઈ વાંક કાઢવાની જરૂર નથી કે પોતાની જાતને ઠપકો આપવાની પણ જરૂર નથી.

એક પ્રૌઢ વયના વેપારીને તબિયતના કેટલાક પ્રશ્નો હતા અને તેમણે યોગ્ય ઉપચાર અને કાળજી વડે પોતાની તબિયતને ખૂબ સરસ બનાવી દીધી. આ અંગે તેમના એક મિત્રે તેમને અભિનંદન આપ્યાં ત્યારે તેમણે હસીને કહ્યું કે, ‘હું તો વેપારી છું. કોઈ માંદું ઔદ્યોગિક એકમ ખરીદ કરીને તેને કમાતું કરી દઉં તો જ હું સારો વેપારી ગણાઉં! મેં મારા શરીરને ઈશ્વરે મને સોંપેલું એક ‘સિક યુનિટ’, માંદું ઔદ્યોગિક એકમ ગણ્યું અને ઈશ્વરે મને બાહોશ વહીવટકર્તા સમજીને મારા માંદા શરીરનું સમારકામ કરવાનું કામ સોંપ્યું છે તેમ સમજીને યોગ્ય ઉપચારો કર્યા! એ ઈશ્વરની દયા કે મારા પ્રયાસો સફળ નીવડ્યા, બાકી એથી વધુ ઝાઝો યશ હું લઈ શકું નહીં.’

આ વેપારીએ જે વાત કરી તેમાં પણ એક નોંધપાત્ર મુદ્દો છે. શરીર માંદું પડે, નબળું પડે, કંઈક ઉપદ્રવ કરે તો તેને ધિક્કારો નહીં. તેના પ્રત્યે અણગમો કે ‘લાચાર બિચારું’ એવી લાગણી ના કેળવો. આ શરીર પણ ઈશ્વરની-માતાપિતાની મોટી બક્ષિસ ગણીને તેને દુરસ્ત કરવા પ્રયત્ન કરો, પણ જિંદગીની મુખ્ય ચિંતાનું મહત્ત્વ તેને ન જ આપો. તબિયત સુધારવા બધું જ કરો પણ બાકીનું ભગવાન પર છોડી દો.
સાચી વાત એ છે કે તમે તબિયતને જિંદગીની પરીક્ષાનો મુખ્ય પ્રશ્ન જ નહીં ગણો તો તમે કેટલીક અકારણ તંગદિલીથી બચી જશો. આજે તો હવે એ હકીકત  સ્વીકારાઈ ચૂકી છે કે તબિયતની સુધારણામાં દર્દીની માનસિક પ્રસન્નતા અને મનોબળ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જિંદગીના એકંદર મુકાબલાને જે વાત લાગુ પડે છે તે જ વાત તબિયતની બાબતને પણ લાગુ પડે છે. જિંદગીનો મુકાબલો માણસે સામી છાતીએ કરવો જોઈએ અને વાસ્તવિકતા ઉપર ઢાંકપિછોડો કરવો નહીં જોઈએ. તબિયતની બાબતમાં કેટલાક લોકો હકીકતો કબૂલ કરવાની ના પાડે છે અને તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.

કેટલીક વાર એવું બને છે કે દર્દીનું મનોબળ મજબૂત હોય છે પણ તેમનાં સ્વજનો એકદમ લાગણીશીલ થઈને સાચી હકીકત દર્દીથી છુપાવે છે, પણ આ વલણ ખોટું જ છે. તમે દર્દીને સાચી હકીકતથી વાકેફ કરો તો તે પોતાના રોગનો વધુ સારી રીતે વધુ મક્કમતાથી મુકાબલો કરી શકશે અને પોતે પોતાના જીવન વિશે વિચારી પણ શકશે. થોડીક વાર રડશે પણ પછી હિંમત ભેગી કરશે. તેમાં તમે મદદ કરી શકો છો, પણ તમે તેને અંધારામાં રાખશો તો તેને કોઈ જ ફાયદો થવાનો નથી. મોડે મોડે એ જયારે આ વાત જાણશે ત્યારે તેને વધુ મોટો આઘાત લાગવાનો છે અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવી લાગણી તે અનુભવ્યા વગર રહેશે નહીં.

Thursday, April 10, 2014

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી
ભૂપત વડોદરિયા

સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું! પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે! પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં! ભારતના મઠાધીસ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું! પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે! પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં! ભારતના મઠાધીશોએ સાફ ના જ પાડી! સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં ‘પ્રતિનિધિત્વ’ અમેરિકાના એક વિદેશી ગૃહસ્થે જ મેળવી આપ્યું- તેણે મેલાંઘેલાં કપડાંમાં આ ભારતીય યુવાન સંન્યાસીની વાણી સાંભળી અને કહ્યું કે કોઈ પણ પરિષદમાં ઈશ્વર કે ધર્મ વિશેની વાત કરવા માટે આ માણસની પાસે કોઈ પ્રમાણપત્ર માગવું તે સૂર્યના પ્રકાશ ફેલાવવાના અધિકાર માટે સૂર્ય પાસે પ્રમાણપત્ર માગવા બરોબર છે! સ્વામી વિવેકાનંદને મદદ કરવાની પ્રેરણા ઈશ્વરે જ અમેરિકાના એ માણસના દિલમાં મૂકી અને સ્વામી વિવેકાનંદની વાણી ગુંજી ઊઠી- અમેરિકામાં જ નહીં, સમગ્ર સંસારમાં! સ્વામી વિવેકાનંદનું પૂર્વજીવન જોઈએ તો તેમને માટે પણ આશા રાખવાનું કોઈ કારણ રહ્યું નહોતું અને ઈશ્વરમાં પણ લગીરેય શ્રદ્ધા રાખવાને કોઈ કારણ રહ્યું નહોતું! પણ સાચી શ્રદ્ધા કોઈ જ કારણો કે પ્રમાણોની ઓશિયાળી હોતી નથી. જેમણે અનુભવ કર્યો છે તે જાણે છે કે સત્યની જેમ જ શ્રદ્ધા પણ સ્વયંસિદ્ધ હોય છે.

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી.

તમે ઈશ્વરનો આધાર ન સ્વીકારો તો છેવટે કોઈ માણસનો કે કોઈ સિદ્ધાંતનો કે કોઈ આદર્શનો આધાર લેવો જ પડે છે! એચ.જી. વેલ્સ સફળ લેખક બન્યા. ધન પામ્યા, બંગલો બનાવ્યો પછી એમના એક મિત્ર તેમને ઘેર મળવા ગયા. મિત્રે બંગલો જોયો. એચ.જી. વેલ્સ પોતે એક નાનો ખંડ વાપરતા હતા. મિત્રે પૂછ્યું કે, આ મોટો ખંડ કોણ વાપરે છે? એચ.જી. વેલ્સે કહ્યું કે, ‘અમારી કામવાળી!’ મિત્રને આશ્ચર્ય થયું ત્યારે એચ.જી. વેલ્સે ખુલાસો કર્યો- ‘મારી માતા પણ કામવાળી હતી!’

એચ.જી. વેલ્સે માતાને શ્રદ્ધાનો આધાર બનાવી. કોઈ આ રીતે પિતાને, ગુરુને કે મિત્રને આ હોદ્દો આપે છે. આમાં કશું ખોટું પણ નથી. કેમ કે માતા, પિતા, ગુરુ જ નહીં, કોઈ પણ માણસમાં ઈશ્વર તો બેઠો જ છે. ક્યારેક એ તમારો પરીક્ષક બને ત્યારે તમને તે અણગમતો લાગે છે, પણ તે તમારો મિત્ર અને માર્ગદર્શક પણ હોઈ શકે છે એટલે સહાયક પણ એ જ બને.

જે માણસ આશા રાખે છે તેની કસોટી પણ થાય છે. તેમાં આશા ‘નપાસ’ થાય તો તેનું દુખ લાગે, પણ માણસે સમજવું રહ્યું કે તેની આશા નપાસ થઈ તેનો અર્થ એ કે હજુ વધુ તૈયારીની જરૂર છે! આ રીતે શ્રદ્ધા પણ કસોટીએ ચઢે છે અને હકીકતે વધુ ને વધુ કસોટીમાંથી પસાર થઈને શ્રદ્ધા વધુ અણિશુદ્ધ બને છે. શ્રદ્ધા તકલાદી હશે તો તેને તૂટતાં વાર નહીં લાગે. અમેરિકાના ચિંતક-લેખક મહાત્મા એમર્સનનો દીકરો ગુજરી ગયો ત્યારે તેમને એક ધક્કો લાગ્યો. પછી છેક ૬૯ વર્ષની ઉંમરે ઘર બળી ગયું ત્યારે બીજો મોટો ખળભળાટ થયો. માણસ છીએ એટલે દુખ તો લાગે જ, પણ છેવટે માણસે દુખને પણ દવાની જેમ પીવું જ પડે છે અને પોતાની ‘સ્વસ્થતા’ને વિશેષ શક્તિશાળી બનાવવી પડે છે. એક એવો સમય આવે છે કે જયારે માણસને સમજાય છે કે સાચો ખેલાડી હોવું તેનો અર્થ રમતની કુશળતાની સજજતા હોવી તે છે. તે રમતનાં સાધનોની પ્રાપ્તિ કે માલિકી નથી. એ જ વાત માણસને લાગુ પડે છે. જીવનને સમજવાની અને માણવાની જેટલી ‘સજજતા’ માણસમાં વધારે એટલું એનું જીવન ચઢિયાતું. ખેલાડીને સફળતા મળે, તે જીતે અને નિષ્ફળ પણ જાય- તે હારે પણ ખરો, પણ સારો ખેલાડી સારો જ રહે છે. એક કે અમુક ખેલના પરિણામ ઉપર તેના છેવટના મૂલ્યાંકનનો આધાર નથી. જિંદગીનો મુકાબલો કરવાની જેટલી ક્ષમતા-સજજતા તેનામાં વધારે એટલો તે માણસ વધુ ‘પ્રાણવાન’. ગમે તેટલી ઊંડી ખીણમાં ગબડ્યા પછી પણ આકાશમાં તારાની સાથે નજર સાંધો અને ઊંચું નિશાન પકડી જ રાખો ત્યારે તમારું જીવન સાર્થક દૃષ્ટાંત બને છે. જિંદગીના સ્થૂળ-ક્ષુદ્ર હેતુઓની પાછળ દોડો ત્યારે તમને તેમાંથી ગમે તે મળે- તેનાથી તમારા જીવનચરિત્રમાં કોઈ રંગ ઉમેરાતો નથી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જયાં આશા કે શ્રદ્ધા વગર માણસ કંઈ પણ કરી શક્યો હોય. અમુક આશા સાથે, અમુક શ્રદ્ધા સાથે જ આગળ વધવું પડે છે- આ પ્રારંભિક મૂડી વગર તો એકપણ ડગલું આગળ વધી ન શકાય- સંશોધનનો લાંબો પંથ કાપી પણ ન શકાય!

માણસનો ઇતિહાસ એવાં અનેક દૃષ્ટાંતોથી ભરપૂર છે જેમાં માણસ ગરીબ હોય, દુખી હોય, રોગગ્રસ્ત હોય, અપંગ હોય- જાતજાતનાં દુર્ભાગ્યોથી ઘેરાયેલો હોય અને છતાં તે એક ‘આત્મા’ રૂપે, એક દૈવતભર્યા વ્યક્તિત્વરૂપે, એક જબરદસ્ત હસ્તીરૂપે ઝળહળી ઊઠ્યો હોય અને જગતનો કોઈ ને કોઈ ખૂણો અજવાળી ગયો હોય!

પુસ્તક પંચામૃતમાંથી ...........

Thursday, September 05, 2013

તૈયાર સુખ વારસામાં નથી જોઈતું ...

તૈયાર  સુખ વારસામાં  નથી  જોઈતું ...
- ભુપતભાઈ  વડોદરિયા 
સંતાનોના વહેવારથી દુઃખી થયેલા એક શ્રીમંત વૃદ્ધે હમણાં કહ્યુઃ ‘સંતાનોને સુખી કરવા માટે હું તો વધુ ને વધુ ધન મેળવવાની જંજાળ વધારતો ગયો. છેવટે એ ધન સંતાનોની નજરે જાતે નહીં કમાયેલી ઓચિંતી હાથ લાગેલી મિલકતની જેમ આવી ચડ્યું! પિતા સાથેની એમની સગાઈ માત્ર ધનની જ રહી, કેમ કે એ સિવાય તો સંતાનોને કશું આપ્યું જ નહોતું! એમને પ્રેમ નહોતો આપ્યો, મૈત્રી નહોતી આપી, સોબત નહોતી આપી. તેમની અંગત મૂંઝવણો સમજવાની કોશિશ કરી નહોતી કે તેમને કોઈ હૂંફ કે હિંમત આપી નહોતી. કારણકે આ બધા માટે મારી પાસે સમય જ નહોતો. મેં બધો સમય તેમના ‘સુખ’ માટે તેમની સરિયામ અવગણના કરીને માત્ર વધુ ને વધુ ધન કમાવા માટે જ વાપર્યો અને એમ કરીને તેમના ભવિષ્યને નિશ્ચિંત બનાવવાના ભ્રમમાં તેમના ચણતર-ઘડતરનાં વર્ષો વેડફી નાખ્યાં! કોઈ બીજી કડી ઊભી કરી જ નહીં. સ્નેહ જેવી મજબૂત કડી બીજી કોઈ નથી, તેનું સાચું ભાન તો મને પોતાને જ નહોતું એટલે મારાં સંતાનો સાથે માત્ર ધનની સગાઈ- એક જ એ કડી રહી. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ હું સાચું જ કહું છું કે મારાં સંતાનો મારા મૃત્યુની રાહ જુએ છે! હું આ સંસારમાંથી હંમેશ માટે વિદાય લઉં અને તેમને મારું એકત્રિત કરેલું ધન પ્રાપ્ત થઈ જાય! હું એમને ધનનો વારસો આપીને જઈશ, તેની કૃતજ્ઞતા તેમના અંતરમાં નથી- અલબત્ત, વાંક મારો જ છે- તેમને લાગે છે કે તેમને કાયદેસર મળવાપાત્ર વારસા ઉપર હું અજગર બનીને બેઠો છું અને હું જાઉં તો એમનો વારસો એમને મળે!’

આ ગૃહસ્થની વેદનાનો પાર નહોતો. એક વધુ અગત્યનો મુદ્દો કદાચ તેમના ખ્યાલ બહાર ગયો હશે. તેમણે પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિંતા કરીને જે ધનનો વારસો તૈયાર કર્યો, તેના કારણે તેમણે પોતાનાં સંતાનોને જ પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે આડકતરી રીતે નાલાયક જાહેર કર્યા- તેમની શક્તિમાં જાણે કે તેમને કોઈ વિશ્વાસ જ નહોતો. પુત્રોના પરાક્રમની ધગશ મરી જ પરવારે તો તેમાં નવાઈ શી?

અમેરિકાના એક અતિ શ્રીમંત ઉદ્યોગપતિએ પોતાનાં ધન-ધંધાનો વારસો પુત્રને આપવા આગ્રહ કર્યો, પણ પિતાની લાગણીને માન આપવા ખાતર પણ એ વારસો સ્વીકારવા પુત્ર તૈયાર ન થયો. પછી આ ઉદ્યોગપતિએ પોતાના પૌત્ર ઉપર મીટ માંડી. પૌત્ર સગીર મટીને પુખ્ત થયો, ત્યારે દાદાએ પોતાની સંપત્તિ તેને સોંપવા માંડી, ત્યારે પૌત્રે કહ્યું કે, ‘દાદા, મારે મારી પોતાની રીતે જીવવું છે!’

‘મારે સ્વતંત્ર રીતે જીવવું છે! મારે મારું પોતાનું એક આકાશ છે અને એ આકાશમાં મારે ઊડવું છે! તમે મને સલામતી આપવા માગો છો, પણ મારે આવી સલામતી જોઈતી નથી! મારા પરાક્રમની બધી જ પાંખો બંધાઈ જાય એવી સોનેરી પિંજરાના પંખીની સલામતી મારે શું કામની? તમે મને સુખી જોવા ઇચ્છો છો, પણ દાદા, તમે જેને સુખો માનો છો તે મારે મન સુખ છે જ નહીં! મારે કોઈ તૈયાર સુખ પિતાના કે દાદાના વારસારૂપે જોઈતું જ નથી! મારું સુખ પણ મારે મારી જાતે જ રચવું છે! હું તો અહીં અમેરિકામાં રહેવા પણ માગતો નથી! હું તો જર્મની, ઇટલી અને ફ્રાંસ જવા માગું છું! તમારા જેવા શ્રીમંત માણસની ગુડ્ઝ ટ્રેનનો કીમતી દાગીનો મારે બનવું જ નથી! મારે તો મારી યાત્રા મારી રીતે હાથ ધરવી છે અને મારી રીતે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું છે! તમે માઠું ન લગાડશો. હું તો તમારો પૌત્ર હોવાનો પણ સાફ ઇનકાર કરું છું! જે ક્ષણે હું તમારો પૌત્ર હોવાની વાત સ્વીકારી લઉં એ ઘડીએ મારું તો આવી જ બને! તમારા પૌત્ર થવું એટલે ગમે ત્યારે અપહરણનું જોખમ માથે લઈને જીવવું! કોઈ પ્રેમથી મારું અપહરણ કરે તો મને વાંધો નથી- કોઈ ધનને માટે મારું અપહરણ કરે- મારી જિંદગીની કિંમત માત્ર અમુક લાખ ડોલર માગે તે મને કબૂલ નથી!’ આ અમેરિકન ઉદ્યોગપતિએ છેવટે બધી જ મિલકત ધર્માદામાં આપી દીધી! એટલે જ એક પ્રાચીન ઉક્તિ એવું કહે છે કે પુત્ર સપૂત થવાનો છે, એવું માનતા હો તો પછી ધનનો સંચય શું કામ કરો છો?

અને તમને શંકા હોય કે પુત્ર કપૂત થશે તો તો પછી ધનનો સંચય કરવાનો કંઈ અર્થ જ નથી. કેમ કે તે તમારું ધન વેડફી નાખે એટલું જ જોખમ નથી- વધુ મોટું જોખમ એ છે કે તમારું જીવન વેડફી નાખવા જતાં પોતાનું જીવન પણ વેડફી નાખે!

ખરેખર જિંદગીમાં સુખી થવા માટે માણસે જરૂરિયાતોની કે સુખસગવડોની યાદીમાં ક્યાંક તો પૂર્ણવિરામ મૂકવું જ પડે છે અને પૂર્ણવિરામ વહેલામાં વહેલી તકે મૂકવાને બદલે જે પોતાની યાદીને લાંબી ને લાંબી કર્યા કરે છે, તે માત્ર વધુ ને વધુ દુઃખને વહોર્યા વગર રહેતો નથી!

Saturday, June 15, 2013

ડિગ્રીના મોહ અને મહત્ત્વની યોગ્યતા!

સંસાર દર્પણ 
ડિગ્રીના મોહ અને મહત્ત્વની યોગ્યતા!
-ભૂપત વડોદરિયા
જિંદગીમાં સફળ થયેલાને પૂછીએ તો એ કહેશે કે ડિગ્રીનું કંઇ મહત્ત્વ નથી. યુનિર્વિસટીની ડિગ્રી હોય કે ના હોય, તેનાથી કંઇ ફરક પડતો નથી. માણસમાં આવડત હોય, જ્ઞાન હોય, ગ્રહણશક્તિ હોય તો તે ગમે ત્યાં સફળ થઇ જાય છે. જિંદગી જેમની ઉપર ઝાઝી મહેરબાન બની નથી હોતી તેઓ કહેશે કે ડિગ્રીની કિંમત આમ તો કંઇ નથી પણ ડિગ્રી ના હોય ત્યારે તે એક ખોડ બની જાય છે. ડગલે ને પગલે આ અશક્તિ માણસને નડે છે. ડિગ્રીના વાંકે આગળ વધી નહીં શકેલા માણસો ભાગ્યને દોષ દેતાં દેતાં કહે છે કે, એક નામની પણ ડિગ્રી હોત તો હું મારી નોકરીમાં ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત! નોકરીમાં મેં એટલી મહેનત કરી, એટલી સાધના કરી કે મારા સાહેબો હંમેશાં મને બઢતી અપાવવા આતુર રહ્યા પણ અમુક હદ પછી એક સીમા આવી જાય છે. તમારું માથું તરત ભટકાય! તમે વધુ ઊંચા થઇ ના શકો!
કેટલાકને ડિગ્રીનો રીતસર એક મોહ હોય છે. આમાંના ઘણામાં સંભવતઃ આત્મવિશ્વાસની કંઇક ખામી હોય છે. બીજા કેટલાકને ડિગ્રી પ્રત્યે એવો મોહ નથી હોતો પણ તેમને આ અણગમતી છતાં જરૂરિયાતની ચીજ લાગે છે. એમની દલીલ એવી હોય છે ક માણસની હોશિયારી સાથે ડિગ્રીને કોઇ અતૂટ સંબંધ નથી જ નથી. પણ ડિગ્રી ચલણના એક સિક્કા જેવી છે. તેના અંતર્ગત મૂલ્યનો સવાલ જ નથી. નોકરી - વ્યવસાયના બજારમાં તેની એક માન્ય કિંમત છે એટલે તેના ટેકા વિના ચાલતું નથી.
અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોષ તૈયાર કરનાર ડો. સેમ્યુઅલ જોન્સન પાસે કોઇ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વતા તેમ જ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં. પચીસ - છવીસ વર્ષની ઉંમરે પરચૂરણ લેખોના મહેનતાણા ઉપર પેટગુજારો કરતા, પણ હકીકતે ભૂખે મરતા જોન્સનને મિત્રોએ કહ્યું કે અંગ્રેજી ભાષાની અને અંગ્રેજી સાહિત્યની સેવા કરવાની તમારી ધગશ દાદ માગે તેવી છે પણ તમે એક નોકરી લઇ લ્યો! કોઇક શાળામાં શિક્ષકની નોકરી લઇ લ્યો! શિક્ષકને મહિને બાંધેલો પગાર મળે! તેમાં બે ટંકનું ખાવાનું અને ભાડાનું ઘર તો મળે! પછી તો સેમ્યુઅલ જોન્સન નોકરીની શોધમાં લાગી ગયા. શિક્ષકની નોકરી શોધવા નીકળ્યા એટલે ખબર પડી કે તે માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજયુએટની ડિગ્રી ગણાય!
ડો. જોન્સનના મિત્રોને તેમના ભાષાજ્ઞાન, તેમના સાહિત્યજ્ઞાન, તેમની વિદ્વતા માટે ઘણો ઊંચો મત હતો. વળી મિત્ર માટે પ્રેમ પણ હતો. તેમણે નિરાશ થઇ રહેલા જોન્સનને આશ્વાસન આપ્યું કે, વાત માત્ર ડિગ્રીની જ છે ને? એક યુનિર્વિસટીના કુલપતિને અમે ઓળખીએ છીએ. એ પણ વિદ્યાનુરાગી માણસ છે. એને કહીશું કે ભાઇ, તમે અમારા દોસ્તની જે પરીક્ષા લેવી હોય તે લઇ લો, તે કોઇ પણ પરીક્ષામાં બેસવા તૈયાર છે! તમારી પરીક્ષા સારા માર્કે તે પાસ કરી આપે પછી તો વાંધો નથી ને? તમે તેને પછી તો એક ડિગ્રી આપી શકો ને?
જોન્સનના મિત્રોએ કુલપતિને પત્રો લખ્યા, રૂબરૂ મળ્યા પણ વિદ્યાનુરાગી કુલપતિએ કહ્યું કે, જોન્સનની વિદ્વતા માટે મને માન છે. પણ આ રીતે ડિગ્રી અપાતી નથી! યુનિર્વિસટી અલબત્ત માનદ ડિગ્રીઓ આપે છે પણ તે તો એવી કાળજી સાથે આપે છે કે આવી ડિગ્રી મેળવનાર માણસને એ ડિગ્રી વટાવવાની જરૂર જ ના હોય; માનદ ડિગ્રી મેળવનારને માટે તે માનનું એક પ્રતીક હોય છે! યુનિર્વિસટી આ કાગળનાં ફૂલ આપીને વધુ તો જાતે જ ધન્યતા અનુભવે છે. બાકી માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તે હજુ જુવાન હોય, ગરીબ હોય, ડિગ્રીને નોકરીના બજારમાં વટાવવાની ગરજવાળો હોય તો તેને ડિગ્રી ના અપાય!
જોન્સનને ડિગ્રી ના મળી. તે દુઃખી થયો. થોડો વધુ વખત ભૂખે મર્યો પણ સરવાળે તેને ફાયદો થયો. ડિગ્રીના વાંકે શિક્ષકની નોકરી ના મળી એટલે તેણે બમણા જોશથી સરસ્વતીની આરાધના શરૂ કરી. તે વધુ સારો સર્જક બન્યો. વધુ ખ્યાતિ પામ્યો અને આગળ ઉપર માનદ ડિગ્રીનો અધિકારી પણ બન્યો.
વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન શાળા - કોલેજના ભણતરમાં બહુ હોશિયાર નહોતા. તેમણે શિક્ષણપદ્ધતિની અને પરીક્ષાની પદ્ધતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે જ વિદ્યાર્થીને અનેક નકામા વિષયો અને નકામી માહિતી મગજમાં ઠાંસવા પડે છે. જ્ઞાનની જિજ્ઞાસા આનાથી મરી જાય છે. આઇન્સ્ટાઇન ૨૧ વર્ષની ઉંમરે માંડ માંડ ગણિતના ખાસ શિક્ષક થવા માટેની ડિગ્રી મેળવી શક્યા. પણ નોકરી ના મળી. આઇન્સ્ટાઇનના પિતાએ ગરીબ બેકાર પુત્રની પીડાથી દ્રવિત થઇને પોતાના પુત્રને નોકરી આપવા માટે એક ઓળખીતા નામાંકિત પ્રાધ્યાપક પર લખેલો પત્ર હૃદયદ્રાવક છે! આઇન્સ્ટાઇન ખૂબ જ સ્વમાની હતા તેથી દીકરાની જાણ બહાર જ પિતાએ આવો પત્ર લખેલો. પિતા મૃત્યુ પામ્યા અને ઘણાબધા વર્ષો પછી આ હકીકત બહાર આવી - પણ હકીકત બહાર એટલે આવી કે આઇન્સ્ટાઇન ક્રાંતિકારી વિજ્ઞાની તરીકે બહાર આવ્યા હતા અને હવે તેમની સફળતા - નિષ્ફળતાની નાનીમોટી વાતોમાં સૌને રસ પડ્યો હતો.
ઉત્ક્રાંતિના સિદ્ધાંતની ખાસ સમજણ ના હોય તેવો કોઇ પણ સામાન્ય માણસ એટલું જાણે છે કે કોઇક એવો વિજ્ઞાની હતો - ચાર્લ્સ ર્ડાિવન એનું નામ હતું, જેણે કાંઇક એવું સંશોધન કર્યું છે કે માણસ વાંદરામાંથી ઊતરી આવેલો છે; ચાર્લ્સ ર્ડાિવનના આ સિદ્ધાંતનો ગ્રંથ ‘ધી ઓરિજીન ઓફ સ્પેસીઝ’ના પ્રકાશનથી ખિ્રસ્તી જગતમાં ખળભળાટ થઇ ગયો હતો. ચાર્લ્સ ર્ડાિવન વિજ્ઞાની તરીકે ખ્યાતનામ બન્યા. ચાર્લ્સ ર્ડાિવનના સિદ્ધાંતની આપણે અહીં ચર્ચા નહીં કરીએ - તેમાં કેટલીક નબળી કડીઓ છે તે હવે સ્વીકારાઇ ચૂક્યું છે - ર્ડાિવનને પણ શાળા - કાૅલેજમાં ખાસ કંઇ મળ્યું નહોતું. શાળામાં તે બરાબર ભણી ના શક્યા એટલે પિતાએ તેને ઇડીનબર્ગ યુનિર્વિસટીમાં મોકલ્યા. દીકરો અહીં કંઇક વાઢકાપ-વિજ્ઞાન સર્જરીની તાલીમ લે અને દાક્તર થાય તો! ચાર્લ્સ ર્ડાર્વિનને આ કાપાકાપી ગમી નહીં એટલે છેવટે પિતાએ વિચાર્યું કે દીકરો ભણીને-ઘણીને બાહોશ થાય તેમ લાગતું નથી. તેને કેમ્બિ્રજમાં ક્રાઇસ્ટ્સ કોલેજમાં મોકલીએ. ર્ધાિમક ઉપદેશકનું કામ સહેલું છે! ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે અને કલેર્જીમેન થાય એટલે પત્યું! આ લાઇન પણ ચાર્લ્સ ર્ડાિવનને માફક આવે તેવી નહોતી! ચાર્લ્સ ર્ડાર્વિનને નાનાં મોટાં જીવજંતુ - પ્રાણીઓ, પંખીઓમાં ઊંડો રસ હતો. આ પૃથ્વી ઉપર જીવન જે અનેક આકાર-પ્રકાર ધારણ કરે છે તેની કોઇ સળંગ સીડી છે કે પછી આ બધી વિચિત્ર રમકડાંની વખાર છે? એક અદમ્ય ઝંખના એના હૈયામાં હતી - તેણે જીવજંતુ, પંખી, પ્રાણી, માનવી, ઘણોબધો અભ્યાસ કર્યો. તેના સારરૂપે તેણે જે સિદ્ધાંત તારવ્યો તેમાં ખરેખરું સત્ય કેટલું? તેમાં ખરેખર ચતુરાઇપૂર્ણ અનુમાનોની આળપંપાળથી વધુ કંઇ છે કે નહીં - આ બધા સવાલો અહીં પ્રસ્તુત નથી પણ અહીં મુદ્દો એ છે કે જેમની વિજ્ઞાનબુદ્ધિ માટે બે મત નથી તેવા માણસને કોઇ આછીપાતળી ડિગ્રી મળી શકે તેમ નહોતું. આમાં આ કે તે યુનિર્વિસટીનો કે તેના પ્રાધ્યાપકોનો દોષ નથી. દરેક સૈકામાં અને લગભગ દરેક દેશમાં શિક્ષણની આની આ જ સમસ્યાઓ રહી છે.
દરેક દેશમાં જ્ઞાન-વિજ્ઞાન તેમ જ વેપાર - ઉદ્યોગના એક યા બીજા ક્ષેત્રમાં ડિગ્રી વગરના માણસો સાચા હીરાની જેમ ઝળકી ઊઠ્યા હોય તેવું બન્યું છે. બીજી બાજુ જાતજાતની ડિગ્રીઓના પ્રમાણપત્રો લઇને બેઠેલા માણસો કોઇક સાધારણ નોકરીમાં કે વ્યવસાયમાં દટાયેલા રહ્યા છે. તેમની શૈક્ષણિક કારકિર્દીને ડિગ્રીઓના અજવાળે જુઓ તો પ્રથમ કક્ષાની લાગે પણ તેમનું એ જ્ઞાન કોઇ નાનકડા ખેતરમાં પણ અહીંતહીં પડેલ બીજની જેમ પણ પ્રસરી ના શક્યું અને એમાંથી કોઇ લીલીછમ જ્ઞાન-વાડીનું સર્જન ના થયું. આ અનેક ડિગ્રીધારીઓની પ્રામાણિક્તાને શંકાસ્પદ ગણવાની જરૂર નથી. આવી શંકા કરીએ તો કદાચ ઘણાબધા સદ્ગુણી માણસોને અન્યાય કરી બેસીએ. આમાં થોડાક એવા હશે જેમણે માત્ર જ્ઞાનનો નિર્જીવ ભાર જ ઊંચક્યો હશે અને બટર્રાન્ડ રસેલની રમૂજમાં કહીએ તો તે જ્ઞાન-ગર્દભ (ગધેડાની જેમ જ્ઞાનનો ભાર ઉપાડનારા) હશે પણ આવા થોડાકની સામે બીજા ઘણા માણસો જ્ઞાનના સાચા સાધકો પણ હશે પણ તેમના જે ગુરુએ તેમને મંત્ર આપ્યો હશે એ ગુરુ જ ‘આગે સે ચલી આતી હૈ’ના સંપ્રદાયના હશે એટલે એ સ્થાપિત શિક્ષણ પરંપરાની બહાર નજક કરી નહીં શક્યા હોય અને વાડ કૂદી જ શક્યા નહીં હોય.
ડિગ્રી સારી કે ખરાબ તેનો આ પ્રશ્ન નથી. ડિગ્રીનો મોહ રાખવાની જેમ જરૂર નથી તેમ તેનો તિરસ્કાર કેળવવાની જરૂર નથી. ડિગ્રી મળે તો જરૂર લેવી પણ તેના વિના બધાં વહાણ ડૂબી જવાની ભીતિ રાખવાની જરૂર નથી. ડિગ્રી મળે તો તેને ભવસાગર પાર કરવાની અણડૂબ હોડી ગણી લેવાની જરૂર નથી. તમારા જ્ઞાન અને કૌશલની કક્ષા એવી હોવી જોઇએ કે તેનો પરિચય થતાંવેંત માણસ તમારી ડિગ્રી જાણીને ચકિત થાય - તમે ડિગ્રીના દીકરા નહીં, તેના દાદા લાગો. તમારી પાસે લાંબીલચક ડિગ્રી હોય પણ તમારો જ્ઞાન-વિકાસ નહિવત્ હોય તો માણસને થશે કે આને આવી મોટી ડિગ્રી કોણે આપી? ડિગ્રી જ્ઞાનના દાવાના પુરાવા તરીકે નકામી છે તો અજ્ઞાનની ક્ષમાયાચના તરીકે તો તેથી વધુ નકામી છે. આટલું સમજીને ડિગ્રી ધારણ કરવામાં કે નહીં કરવામાં વાંધો નથી. વિનોબા ભાવેની જેમ દરેક પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર બાળી નાખી ના શકે પણ તેને ભૂલી તો જરૂર શકે છે.
( લેખકના પુસ્તકમાંથી )

Thursday, June 13, 2013

સારા માણસ બનવું એ સૌથી કઠિન કાર્ય છે

સારા માણસ બનવું  સૌથી કઠિન કાર્ય છે

-ભુપતભાઇ વડોદરિયા

જો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારા હોય તો તેની આસપાસ સારોમાહોલ રહેવાનો  છેજો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોયવ્યસની હોય તો તેનો માહોલક્યારેય સારો રહેવાનો  નથીએક સારા પરિવારનું નિર્માણ કરવામાં કેટલીય પેઢીઓ વીતી જતીહોય છેપણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તો તે સમગ્ર કુળની કીર્તિ એકક્ષણમાં  ધૂળમાં મેળવી દે છે

આજના જમાનામાં લોકો સાતમા આસમાને વિહરતા જોવા મળે છેકોઈ સાદગીથી જીવવામાંમાનતું  નથીપરંતુ જેમના સંસ્કાર સાતમા આસમાન જેટલી ઊંચાઈવાળા છે તેવા લોકોગણ્યાગાંઠ્યા  છેસાતમા આસમાને દિમાગનો પારો  ધરાવતા અસંસ્કારી લોકોની સંખ્યા વધતીજાય છેઅત્યારે સમાજમાં સૌના દિલમાં જાગૃતિનો પ્રકાશ પ્રસરવો જરૃરી છે.
મનુષ્યનો જન્મ પામીને સારા માણસ બનવું  સંસારનું સૌથી કઠિન કાર્ય છેમનુષ્ય જો સારોમાણસ બને તો તેની આસપાસ સારો માહોલ આપોઆપ  નિર્માણ પામે છેસારો માહોલ ઊંચામહેલમાં  બને છે એવું નથીજો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારાહોય તો તેની આસપાસ સારો માહોલ રહેવાનો  છેજો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોય,વ્યસની હોય તો તેનો માહોલ ક્યારેય સારો રહેવાનો  નથીએક સારા પરિવારનું નિર્માણ કરવામાંકેટલીય પેઢીઓ વીતી જતી હોય છેપણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તોતે સમગ્ર કુળની કીર્તિ એક ક્ષણમાં  ધૂળમાં મેળવી દે છેબાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી તે માતાના વિચારો વડે સંસ્કાર પામવાનું શરૃ કરી દે છેજીવનું ચરિત્ર  સંસારનો ધર્મ છે.

માનવની પ્રકૃતિ  એવી છે કે  ઉપકાર અને સહઅસ્તિત્વની ભાવના વિના એક પળ પણસુખેથી જીવી શકતો નથીસુખનો ભલે આભાસ થતો હોયપણ વાસ્તવિક સુખ બહુ ઓછાનાનસીબમાં હોય છેધર્મનો પ્રાણ છે વિવેકજે પ્રકારે આત્માવિહીન શરીરનું કોઈ મૂલ્ય અને ઉપયોગહોતો નથી એવી  રીતે સંસ્કારરહિત વિવેકહીન ધર્મનો પણ કોઈ ઉપયોગ હોતો નથીઆવા ધર્મનુંકોઈ મૂલ્ય હોતું નથીઆત્માવિહીન શરીરની જેમ આવો ધર્મ પણ સડો ધરાવે છે અને દુર્ગંધપ્રસરાવે છેધર્માંધતાથી અનેક વિકૃતિઓ જન્મે છેઅહિંસા અને પરોપકારને બદલે સ્થાપિત હિત,સ્વાર્થની ચડસાચડસીપરસ્પર ઈર્ષ્યા અને આતંકવાદ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે છેજો તમેધર્મની સુરક્ષા ઈચ્છતા હો તો ધર્માત્મા બનોધર્મ જડ નથીતેની સુરક્ષા કરવી જોઈએધર્મ કોઈજાતિ કે સંપ્રદાય પણ નથીધર્મને ખરીદી શકાતો નથીધર્મ એક ચૈતન્યની અનુભૂતિ છેતેની સુરક્ષાઆપણે ચૈતન્યની અનુભૂતિ દ્વારા  કરી શકીશું સિવાય ધર્મની સુરક્ષાનો કોઈ રસ્તો નથી.તમામ સંપ્રદાયવર્ગઉપવર્ગ નાશવંત છેમાત્ર ધર્મ  શાશ્વત છેથોડા પરિશ્રમ દ્વારા આપણેસારાં પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએઆજે આપણી શક્તિનો એક મહત્ત્વનો હિસ્સો સામાજિકઝઘડાઓનો ઉકેલ લાવવામાં  વપરાઈ જાય છેજો  શક્તિને આપણે આંતરિક વિકાસનાકામમાં જોતરીએ તો ઈતિહાસમાં સ્થાન પ્રાપ્ત કરી શકીશુંઆજે દરેક માણસ સ્વાર્થમાં આંધળો છે,નાહકની ચડસાચડસીમાં વ્યસ્ત છેતેને બધંુ  પોતાના માટે જોઈએ છે અને બીજાના ભોગેજોઈએ છેઆવું વિચારવું યોગ્ય નથીવિજ્ઞાન અને સુવિધા  જીવનને સરળ બનાવવા માટે છે,તે પોતે  જીવન નથી.