Friday, April 15, 2011

મારી પત્નિ મારા માટે ભગ્યની દેવી બની

મારી પત્નિ મારા માટે ભગ્યની દેવી બની
ભુપતભાઇ વડોદરિયા


આપણી સંસ્ક્રૂતિમાં આદર્શ પત્નિ ના જે ગુણો દર્શાવામાં આવ્યા છે તેમાં 'ભોજનેષુ માતા' અને 'કાર્યેષુ મંત્રી' એવા ગુણોનો સમાવેશ થાય છે. જે પત્નિ પતિને માતાની જેમ સ્નેહ પુર્વક ભોજન કરાવે છે અને જે પત્નિ પતિના કાર્ય માં મંત્રી જેવુ કામ કરે. રશિઆના મહાન નવલકથાકર ફાઇડોર દોસ્તોવશ્કિને મોટી ઉંમરે જે પત્નિ મળી - ઉંમરમાં નાની પ્ણ ગુણોમાં ઘણી મોટી. ક્રાઇમ એન્ડ પનિષમેન્ટ અને બ્રધર્સ કેરેમેસિવ જેવી મહાન નવલકથાઓ લખનારા આ રશિયન લેખક ના સેક્રેટરી તરિકે - સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવનાર આ યુવતિ ના પ્રેમ માં પડી પછી લગ્ન કર્યા. દોસ્તોવસ્કી દેવાના ડુંગર નીચે દટાઇ ગયા હતા. નાણા ભીડમાં રહેતા આ મહાન સર્જકનું શોષણ કરવામાં પ્રકાશકોએ કશુ બાકી રાખ્યુ ન હતુ. આર્થિક ભીડમાથી અન્નાએ તેના પતિને મુક્ત કર્યા.


દોસ્તોવસ્કીએ જાતે કહ્યું છે કે 'મારી પત્નિ મારી આર્થિક તંગીમાં થી ઉગારીને જાતેજ મારી નવલકાથાઓને છપાવીને પુસ્તકવિક્રેતાઓ દ્વારા પ્રસ્તુત કર્યા. મોડી રાત સુધી લેખકની પ્રવ્રુતિમાં રહીને સવારે હું મોડો ઉઠતો ત્યારે મારી પત્નિ પુસ્તક વિક્રેતા સાથે લાભકારક સોદો કરવાની કડકુટ દેવી બની. મારી આંખમા આંસુ આવી જતા. ખરેખર તે મારા માટે મારી ભાગ્યની દેવી બની. દોસ્તોવસ્કીનું શોષણ માત્ર પ્રકાશકોજ કરતા નહતા. તેના ઉદાર સ્વભાવનો લાભ લઇને સગાં સંબંધી પણ તેને પરેશાન કરતા. આ બધાજ બંધનોમાં થી તેમની પત્નિએ તેમને મુક્ત કરાવ્યા. મોટી ઉંમર હોવા છતા એક થી વધુ અર્થમાં તે એક આદર્શ પત્નિ બની. આ રશિયન સમાજની વાત છે.


આપણે ભારતીય સમાજની આજની સ્થિતિનો વિચાર કરીએ તો આપણે જોઇએ છે કે આજે પત્નિ 'કાર્યેષુ મંત્રી' બની રહેવાને બદલે એથી વધુ નાણાં કમાવવાની ફરજ પાડનારી એક વ્યક્તિ બની ગઇ છે. પુરતી કમાણિ ના હોય તો કેટલાક કિસ્સામાં તે સીધી કે આડકતરી એવી સુચના આપે છે કે 'કોઇપણ રીતે નાણા લાવો' લાંચરૂશવત લઇને પણ પૈસા મેળવો. બે નોકરી કરીને પણ નાણા લાવો. પત્નિના મનમાં બીજાઓની દેખાદેખી બહુ છે. તે અમુક સ્તરનું ઉંચા મધ્યમ વર્ગનુ ધોરણ પ્રાપ્ત કરવામાં ઉત્સુક છે. આ ઊંચા ધોરણમા જોઇ શકાય છે કે તેને રસોઇ કરવામાં ખાસ રસ નથી. તેને પતિના કાર્યમાં કોઇ દિલ્ચસ્પી હોતી નથી. આપણી જુની કહેવત છે કે 'માતા પુર્ત્રને આવતો જોઇને સંતોષ માને છે અને પત્નિ તો પતિ કાંઇ લઇને આવે તેની અપેક્ષા રાખે છે બીજી બાજુ, આજે અનેક પરિવારમાં પતિની કમાણી અપૂરતી હોય તો પુરક કમાણી માટે પત્નિ બહાર નોકરી કરી કે કોઇ પણ રીતે કમાવવાની કોશીશ કરે છી. આમાં કશુ ખોટું નથી. આમાં સ્ત્રી પોતાની કાર્યશક્તિ બતાવે છે અને આર્થિક સ્વતંત્રતા નો થોડો અનુભવ પણ કરી શકે છે. છતાં આમ એક પરિણામ એક એવું આવે છે કે સ્ત્રી બરાબર ઘર નથી સંભાળી શક્તી કે નથી પોતાના બાળકોનુ શોષણ-શિક્ષણ પર પુરુ ધ્યાન આપી શક્તી. ઘણા બધા કિસ્સામાં સ્ત્રીઓની નાજુક પ્રક્રુતિને કારણે તે તબિયત અને અન્ય રીતે વધુ સહન કરવુ પડે તેવુ દેખાય છે.

ઊંચા જીવનનો 'મોહ' આટલો બધો વધી ગયો છે કે 'સંતોષ' એજ સાચ સુખ તેવી વાતો જુની લાગે છે અને 'અસંતોષ' આગળને આગળ જવાનો અજંપો આપણને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આમાં કામાણી વધે છે. જીવનધોરણ બેશક ઉંચું આવ્યાનો અહેસાસ થાય છે પણ ઘરની સુખશાંતિનું શુ? કેટલાય એવા ઘર છે કે બાળકોની આંખ સામે માતા પિતા હાજર હોય એવું ઓછુ બને છે. કેટલાક કિસ્સામાં બાળકો નોકરના પનારે પડ્યા હોય છે અને ઘણાં બધા કિસ્સામાં માતા પિતાની હાજરી સ્થૂર હાજરીજ બાળકોને જોવા મળે છે. બાળક તોફાન કરે કે કોઇ ફરિયાદ લઇને આવે ત્યારે મા બાપનું ધ્યાન જાય છે. બકી બધુ રામ ભરોસે ચાલતુ હોય તેવુ લાગે છે.

ક્યાંક પત્નિ વગર પગારનો ઢસરડો કરતી કામવારી જેવા વેષમા દેખાય છે તો ક્યાંક માત્ર 'બોસ' સાહેબ ના રૂપ માં દેખાય છે. જીવનધોરણ ઉંચું થતું દેખાય છે અને ઘર ભાંગી પડેલુ દેખાય છે. 'પ્રૂથ્વિ નો છેડો ઘર' એ વાત જાણે કે ખોટી પડતી લાગે છે. તો કેટલીવાર નિત્ય પ્રવાસી ના રાતવાસી જેવુ બની જાય છે. અન્ન ગિરોરોવીસ દોસ્તોવસ્કિએ પતિ ના ઘર ને તથા તેની બહારની દુનિયાના બંને મોરચા સંભાળ્યા - એટલુજ નહીએ પણ પોતાના જીવનને એક પ્રેમ -રોમાંચક કથા બનાવવાની ધુનમાં જે કોઇ સંબંધો યુવતિઓ સાથે બાંધ્યા તે બધા સંબંધો અન્નાએ પતિને છોડાવ્યા. તે બધી સ્ત્રીઓ સાથે ખરેખર શી સગાઇ છે તેનુ ભાન તેમને કરાવ્યું . પુરી સહનશીલતાથી, પુરા ધૈર્યથી, પતિને ઠપકો ના આપ્યો - તેને કદી તરછોડ્યો નહી બધા તબક્કા વચ્ચે ભીંસાતા બિમાર પતિને ટેકો આપ્યો - એક આધાર આપ્યો. મોટા ટોણા માર્યા વગર પતિને ભાન કરાવ્યુ કે આ સંબંધોમાં સ્વાર્થ સીવાય કશું નથી. એ સંબંધો છીછરા અને કામચલાઉ છે.બધી વ્યક્તિઓ કોઇ આધાર શોધી રહી છે. એ બદલામાં કશું આપી શક્તી નથી અને આપી શકે તેમજ નથી.

દોસ્તોવસ્કિને વાઇ ની બિમારી હતી. એ રોગ 'એપોલેપ્સીમા' તમ્મર આવતા. મોમાં થી ફીણ નિકળે અને શમી જાય પછી નિર્બળ બની પથારીવશ રહેતા. અન્ના ના સ્નેહ અને સમર્પણથી દોસ્તોવ્સ્કિની તબિયાત પ્રમાણમાં સારી બની અને આ લાગણીપ્રધાન લેખક પર બહારથી આવેલા હુમલાઓની સામે તે રક્ષા કવચ બની હી.

એવોજ એક કિસ્સો એલિઝાબેથ બ્રાઉનીંગનો છે.એલિઝાબેથ પતિ કરતા એક વધુ શક્તિશાળી કવિ હતા. તેની કવિતાની તુલનામાં રોબર્ટ બ્રાઉનીંગ ની કવિતા થોડા ઉતરતા સ્તરની લાગે પણ એલિઝાબેથ અપંગ - બંને પગ જાણે ખોટા પડી ગયા હતા. પથારીમાં પડી રહેતી અને ઉઠવાની શક્તિ નહતી અને ઉભા થવાનુ મન થતુ નહી.રોબર્ટ બ્રાઉનીંગ તેની જિંદગીમાં આવ્યો અને પોતાન પ્રેમ અને વફાદારી વડે તેને ઉભી કરી. વિમ્પોલસ્ટ્રીટમાં તેનુ નિવાસસ્થાન હતુ અને તેના પિતા ખુબજ શક્તિશાળી અને કડક હતા. પુત્રી પર ખુબજ અંકુશ. ચાલી નહી શક્તી પ્રેયસીને પથારીમાંથી બેઠી કરી રોબર્ટ બ્રાઉનીંગ અને એલિઝાબેથ નાસી ગયા. પ્રેમ પંખીડા ઉડી ગયા અને લગ્ન કરી સુખી બન્યા.

આપણે ત્યાં આ પ્રકારના કિસ્સા ઓછા નથી. ભલે સ્ત્રી પુરુષ ના નામો જાણીતા ના હોય પણ ક્યાંક પતિએ તો ક્યાઅ પત્નીએ જીવનસાથીના જીવનમાં રસરંગ અને પ્રાણ પુર્યા હોય. હીંદીના મહાન લેખક પ્રેમચંદજી દેવાદાર અને શરાબી. તેમની પત્ની શીવરાનીદેવીએ ક્યારેક માતાની કઠોરતાથ તો ક્યારેક પ્રયસીના ધૈર્ય થી અને ક્યારેક પત્નિ ના વ્યહ્વારૂ બુદ્ધી થી તેમનુ જીવન બદલી નાંખ્યુ. જાણીતા શાયર મિર્ઝા ગાલીબની પત્નિનો સાથ અને સહારો કેટલો બધો હતો? ગાલીબે અનેક દિલ્ચસ્પ ગઝલો લખી છે - તેમની પ્રેમાળ - સહનશીલ પત્ની એક ખુદ તેમના માટે ગઝલ હતી. તેના સાથ વગર ગાલીબની ગઝલો મુરઝાઇ જાત - ગાલીબની પ્રતિભાને ઓછી આંકવાની વાત નથી - પ્રતિભા પણ કોઇ જીવનદાયક તુલસીક્યારામાં જ પુર્ણ કળાએ ખીલે છે તે હકિકત છે અને અહી સ્વિકાર કરવામાં આવે છી.

___________________

ભાઇનો આ ખુબ જુનો લેખ છે જે આજે પણ હકિકતને દર્શાવ છે. કહે છે 'અનુભવી આંખ'- ભાઇ પણ ભાનુબેન ના સાથ અને સહકારથી, તેમના ઘણા ધૈર્ય અને યોગદાન,ત્યાગથી જીવન તરી ગય.....


ખરેખર. માતા પિતા સંસારને સુંદર બનવવા આગળ વધી રહ્યા છે. ઘણી વખત દોડાદોડીમાં અને કમાવવાની ઉત્સુકતા અને મોંઘવારીમા પુરુ પાડવામા, સારુ ખાવાનુ, પહેરવાનુ, હરવા ફરવાનું અને કમ્ફર્ટ મેળવવામાં ઘણું ગુમાવી પણ દેવાય છે. તમારા પ્રતિભાવ આવ્કાર્ય છે - કોમેન્ટ બોક્ષમાં જણાવો. ગુજરતી લખવામાં કોઇ ભુલ ચુક હોય તો માફ કરશો - ઉનિકોડમ આ લેખ ટાઇપ કર્યો છે જે ગુગલ બ્લોગર સર્વિસને આભારી છે.